રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
‘જો મને કસ્ટડીમાં લેવાશે તો મને અપમાનિત કરવામાં આવશે,’ પવન ખેરાએ SCને શા માટે આવું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસ: ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વનું મોડેલ સ્ટેટ બનાવવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
શાળાઓમાં 35 દિવસનું સમર વેકેશન જાહેર,4 મેથી સત્તાવાર રીતે ઉનાળુ વેકેશન શરૂ થશે
બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ TMCને ટેકો આપશે? ખડગેએ આપ્યો જવાબ
સંજય કપૂરની મિલકત પર સ્ટે: કરિશ્માના બાળકોને હાઇકોર્ટથી મોટી રાહત, પ્રિયા કપૂર મિલકત વેચી શકશે નહીં
3જી મેના રોજ લેવાનારી NEET માટે 2 અને 3 મે દરમિયાન મેડિકલ કોલેજોમાં રજા આપવા પર પ્રતિબંધ
હવે વિદેશમાંથી વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મંજૂર: ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
ગુજરાતના ત્રણ શહેરોમાં પરિવહન સેવામાં મોટો વધારો: નવસારી, વાપી અને પાલનપુરમાં ૧૭ નવા બસ રૂટને મંજૂરી
રાવપુરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે મારામારી, 19 વર્ષીય યુવક અને તેની માતા પર હુમલો
વડોદરા : શેર માર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ
‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ, અજય દેવગનનો BTS વીડિયો વાયરલ
નવલખી મેદાનમાં પોલીસ ચોકી પાછળથી કોહવાયેલી હાલતમાં લાશ મળી
SSGના ડોક્ટર-સ્ટાફ પર હુમલો કરનાર NRI પુત્ર સહિત 6ની અટકાયત
રાયોટીંગ કેસના બે વોન્ટેડ આરોપી કાલોલ પોલીસે નાકાબંધીમાં ઝડપી પાડ્યા
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા 58 વર્ષીય પ્રોઢનું કરુણ મોત
ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: દેશભરમાં ત્રીજા ક્રમે,૫૩,000થી વધુ મોબાઈલ પરત કર્યા
સુરતમાં દિલ્હીના રાજપથ જેવી ભવ્ય પરેડ: ગુજરાત ગૌરવ દિવસ માટે ખાસ તૈયારી
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે
ગાંધીનગરમાં કેબિનેટમાં મોટા નિર્ણયો – જનતાનો આભાર, ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ‘એક્શન પ્લાન’ અને ૨૦ મોટી સરકારી સેવાઓ હવે ઘરઆંગણે
કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’
ભાજપે રાજ્યભરમાં ૫૦ ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખ્યો
રાજ્યમાં હીટવેવથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં 44 ડિગ્રી
૩૪ વર્ષ બાદ પ્રેતાત્માના ડરે ખુલ્યું હત્યાનું રહસ્ય, કૂવામાંથી મળ્યો સ્ત્રીનો કંકાલ
સોશિયલ મીડિયા પર અફવાથી વિદ્યાર્થીઓ ચિંતિત, CBSE 12માંનુ રિઝલ્ટ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના
નસવાડીમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટ્યો: 210થી વધુ ગામોના વાહનચાલકો હેરાન
અમેરિકા-ઇરાન યુદ્ધમાં થયો અધધ ખર્ચ, 25 અબજ ડોલર વપરાયા, રિયાલ 18 લાખ પ્રતિ ડોલર સુધી તૂટી પડ્યું
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળઝાળ અકસ્માત, કારમાં આગથી એક જ પરિવારના 5 સદસ્યોએ જીવ ગુમાવ્યો
જાણો 2026માં કયા દિવસોએ શેરબજાર બંધ રહેશે, અહીં છે સંપૂર્ણ લિસ્ટ, ટ્રેડિંગ પહેલાં કરી લો નોટ
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં 1 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત રાજયમાં છેલ્લા બે દિવસમાં 2 મોત નોંધાયા છે. જેના પગલે રાજયમાં કુલ મૃત્યુ આંક વધીને 16 સુધી પહોંચી ગયો છે. જયારે કોરોના પોઝિટિવ હોય તેવા કેસોની સંખ્યા પણ વધીને 186 સુધી પહોંચી જવા પામી છે.
આજે દિવસ દરમ્યાન સુરતમાં હાયપર ટેન્શનની બિમારી ધરાવતા 65 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું હતું. જયારે કોરોનાએ જામનગરમાં એક 14 માસના બાળકનો પણ ભોગ લીધો હતો. આ સાથે રાજયમાં મૃત્યુ આંક વધીને 16 સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજયમાં 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , સુરતમાં 1 અને ભાવનગરમાં 4 કેસો નોંધાયા છે. આ તમામ કેસોમાં લોકલ ટ્રાન્સમિશન થયું છે. આ સાથે રાજયમાં કોરોના પોઝિટિવ લક્ષણો હોય તેવા કેસો વધીને 186 સુધી પહોચી જવા પામ્યા છે.
121 દર્દીઓને સ્થાનિક ચેપ લાગ્યો
186 પોઝિટિવ કેસો પૈકી અમદાવાદમાં 83, સુરતમાં 23, રાજકોટમાં 11, વડોદરામાં 18 , ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 18, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2 , પોરંબદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદમાં 1 અને સાબરકાંઠામાં 1 એમ કુલ 186 કેસોનો સમાવેશ થાય છે. રાજયમાં આ 186 કેસો પૈકી 121 કેસોમાં લોકલ ટ્રાન્શમીશન થયુ છે.જયારે 33 દર્દીઓની હીસ્ટ્રી વિદેશ પ્રવાસની છે.આ ઉપરાંત 32 દર્દીઓએ આંતર રાજય પ્રવાસ કર્યો છે.
12,299 લોકોને ક્વોરન્ટાઇન કરાયા
186 દર્દીઓ પૈકી હાલમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 143 દર્દીઓનું સ્વાસ્થ્ય સ્થિર છે. સારવાર આપીને રાજયભરમાંથી 25 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રાજયમાં કુલ 16 દર્દીઓનું મૃત્યુ થયુ છે.રાજયમાં 12,299 લોકોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. જેમાંથી 11173 લોકોને હોમ ક્વોરન્ટાઇન, સરકારી હોસ્પિટલમાં 952 લોકોને અને 174 લોકોને ખાનગી સુવિધામાં ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. સરકાર હસ્તકની જુદી જુદી હોસ્પિટલમાં 4224 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાંથી 186 લોકોના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. 3905 લોકોના ટેસ્ટ નેગેટિવ અને હજુયે 133 રિઝલ્ટ પેન્ડિંગ છે.
કલસ્ટર નિયંત્રણમાં લેવા રણનીતિ
જયંતિ રવિએ કહ્યું હતું કે રાજયમાં સુરતમાં 5 કલસ્ટરમાં 51 ટીમ સાથે 30,850 લોકોનો સર્વે કરીને અહીં સધન સર્વે હાથ ધરવામા આવશે.હાઈ રીસ્કવાળા દર્દીઓને શોધીને તેઓને નિદાન અ સારવાર પણ આપવામા આવશે. તેવી જ સમગ્ર રાજયમાં સુરત સહિત 44 કલસ્ટરમાં 121 તબીબી ટીમ દ્વ્રારા 99321 લોકોનો સર્વે કરાશે.આ કલસ્ટરોમાં સંપૂર્ણ લોકડાઉનનો પમ અમલ કરવામા આવશે.