National

કોરોનાને કારણે ૪૦ કરોડ લોકો ગરીબીમાં ધકેલાશે

નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને અન્ય પગલાંઓ નોકરી અને આવક પર અસર નાંખી રહ્યા છે, એમ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના (આઈએલઓ) અહેવાલમાં મંગળવારે કહેવાયું હતું.
‘કોવિડ-19′ લાખો અનૌપચારીક કર્મચારીઓ પર અસર નાંખી રહી છે. ભારત, નાઈઝેરિયા અને બ્રાઝિલમાં લૉકડાઉનના કારણે અનૌપચારિક ક્ષેત્રના કેટલાંક કર્માચારીઓ પર અસર પડી છે’, એમ આઈએલઓના અહેવાલમાં કહેવાયું હતું. ‘ભારતમાં 90 ટકા લોકો અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે ત્યારે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા 400 મિલિયન કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જાય તેનું જોખમ ઉભું થયું છે’, એમ અહેવાલમાં કહેવાયું હતું. તેમાં કહેવાયું હતું ‘ભારતમાં અત્યારે ચાલી રહેલા લૉકડાઉનથી આ કર્મચારીઓ પર ગંભીર અસર પડી છે, તેમાંના મોટાભાગના લોકો પાછા ગ્રામીણ વિસ્તારોમાં જતા રહ્યા છે’.
અહેવાલમાં વધુમાં કહેવાયું હતું, ‘જે દેશો કમજોર છે, લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હોય, વારંવાર કુદરતી આફત આવતી હોય અથવા લોકો વિસ્થાપિત થવા પર મજબૂર બન્યા હોય ત્યાં મહામારીના કારણે વિવિધ સમસ્યાઓ આવે છે’.

કોવિડ-19ને લીધે ૧૯.૫ કરોડ નોકરીઓ પર ખતરો: ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન
યુએન,તા.07: યુએનના મજૂર સંગઠનનો અંદાજ છે કે કોવિડ -19 ફાટી નીકળ્યા પછી બીજા ક્વાર્ટરમાં 195 મિલિયન ફુલ-ટાઇમ નોકરીઓની કમી થશે.   આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી આ પ્રોજેક્શન વાયરસના ઉભરતા પ્રભાવ પર આધારિત છે, અને તે 2020માં તમામ માટે 25 મિલિયન વધારાના રોજગાર ખોટની 18 માર્ચની આગાહીથી મોટો વધારો થવાની સંભાવના છે. આઇએલઓનાં ડાયરેક્ટર જનરલ ગાય રાયડર કહે છે, આ આંકડાઓ બોલે છે કે, રોજગારની દુનિયામાં એકદમ અસાધારણ પતનનો સામનો કરવો પડી રહ્યો છે. એજન્સી કહે છે કે સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન પગલાં હવે લગભગ 2.7 અબજ કામદારો અથવા લગભગ 81 ટકા વૈશ્વિકને અસર કરે છે. કાર્યબળ. આશરે 1.25 અબજ લોકો હોટલ અને ફૂડ સર્વિસિસ, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ જેવા સખત હિટ-સેક્ટર સેક્ટરમાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top