ગેરકાયદેસર સામાન મૂકી રાખ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ : ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો,કોઈ જાનહાનિ નહિ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.9 સમા-હરણી રોડ...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા Suvendu Adhikariએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના નવા મુખ્યમંત્રી...
છઠ્ઠા માળે આગ લાગતા ચાર વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ : વડીવાડી ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ સંભાળી ,કોઈ જાનહાનિ નહિ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.9વડોદરા શહેરના...
તંત્રની ઉંઘ ક્યારે ઉડશે ? જનતાના ટેક્સના કરોડો રૂપિયા નદી સાફ કરવા વપરાય છે કે નદીને કચરામાં દફનાવવા ? માંજલપુરથી અટલાદરા સુધી...
અમદાવાદમાં ગયા વર્ષે થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન...
જાણો તેમાં કેવી સુવિધાઓ મળે છે. ભારત અને પાકિસ્તાનનો ઇતિહાસ ભલે એકબીજા સાથે જોડાયેલો હોય, પરંતુ સમય જતાં બંને દેશોની રેલવે વ્યવસ્થાએ...
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો: શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, મમતાને પણ મોકલાયું આમંત્રણ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે ઐતિહાસિક દિવસ માનવામાં...
IMDએ આંધીઅને વરસાદની જાહેર કરી ચેતવણી દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો...
સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા વન વિભાગ દોડતું થયું રોપ-વે મારફતે ડુંગર ઉપર પહોંચાડાયું પાંજરું હાલોલ: યાત્રાધામ પાવાગઢ ડુંગર વિસ્તારમાં છેલ્લા કેટલાક...
સાંસદ પૂનમબેન માડમ બતાવશે લીલી ઝંડી; જાણો સંપૂર્ણ સમયપત્રક અને રૂટ સૌરાષ્ટ્રના યાત્રિકો અને દક્ષિણ ભારત તરફ મુસાફરી કરતા લોકો માટે પશ્ચિમ...
દરેક લિટર પર સરકાર અને કંપનીઓ પર વધ્યું આટલું ભારણ, જાણો સંપૂર્ણ અહેવાલ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ફરી એકવાર...
લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીની નિમણૂક ભારત સરકારે દેશની સેનાના સર્વોચ્ચ સૈન્ય પદ ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ (CDS) માટે લેફ્ટનન્ટ જનરલ એન.એસ....
દિવસાકરણનો વિજયની પાર્ટી પર ફર્જી સમર્થન પત્ર આપવાનો આરોપ, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તમિલનાડુની રાજનીતિમાં સરકાર રચનાને લઈને ચાલી રહેલા સસ્પેન્સ...
મોટી જીત બાદ પણ મુખ્યમંત્રીના નામ પર સહમતિ કેમ નથી? કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ (UDF) ગઠબંધને ઐતિહાસિક જીત મેળવી હોવા...
પાંચેક વર્ષ પહેલાં દુનિયાનાં લોકોને કોરોના વાયરસથી ડરાવીને લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું તેમ આજકાલ હંતા વાયરસને કારણે વિશ્વભરમાં ભય ફેલાવાઈ રહ્યો...
કોંગ્રેસના 4 MLA બેંગલુરુ પહોંચતા અટકળો તેજ Tamil Naduની રાજનીતિમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં સત્તા અને વિરોધ પક્ષ...
MV ફોનિક્સ શિપ પર ફસાયેલા અમેરિકનોને ઉગારવા CDCનું મેગા ઓપરેશનસ્પેનના ટેનેરાઈફ બંદરેથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા નાગરિકોનું સ્થળાંતર કરાશે; નેબ્રાસ્કાના સ્પેશિયલ બાયોકન્ટેઈનમેન્ટ યુનિટમાં...
ફિન એલનની તોફાની સદીથી DCને ઘરઆંગણે હરાવ્યું IPL 2026માં Kolkata Knight Ridersની જીતનો રથ સતત આગળ વધી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી...
શોર્ટ સર્કિટ બાદ અંધારપટ છવાયો; MGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી વડોદરા: સાવલી નગરમાં મોડી સાંજે બેન્ક ઓફ બરોડા...
ચૂંટણી પરિણામો બાદ દેશભરના ઘણા રાજ્યોમાં સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. જોકે દરેક રાજ્યમાં રાજકીય પરિદૃશ્ય અલગ દેખાય છે. પશ્ચિમ બંગાળમાં...
સયાજી હોસ્પિટલ તંત્રનો માનવીય અભિગમ, મેડિસિન, સર્જિકલ અને હીટ-સ્ટ્રોક વોર્ડ સહિતના મહત્વના વિભાગો કૂલરથી સજ્જ કરાયા (પ્રતિનિધિ), વડોદરા. તા.8 વડોદરા : સમગ્ર...
ધજા ચઢાવવાથી રાજભોગ સુધીના દર ડબલ-ત્રણ ગણાં વધતા ભક્તોમાં રોષ 52 ગજની ધજા હવે ₹11 હજાર, તુલસી વિવાહ માટે ₹51 હજારનો લાગો...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે...
તામિલનાડુમાં સરકાર રચનાને લગતો રાજકીય સસ્પેન્સ આખરે સમાપ્ત થઈ ગયો છે. ટીવીકે ચીફ અને અભિનેતા વિજય મુખ્યમંત્રી બનશે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે...
નડિયાદમાં કાઉન્સિલિંગના નામે ધર્માંતરણ અને યુવતીને વિધર્મી સાથે પરણાવવાના આક્ષેપનડિયાદ, તા.8નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે....
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક એવી ક્ષણ બની જેણે અચાનક કોર્ટની ગંભીર કાર્યવાહીને કંઈક ખૂબ જ ભાવનાત્મક અને પ્રેરણાદાયક બનાવી દીધી. આ ઘટના...
એલસીબી ઝોન-02 અને અકોટા પોલીસની સંયુક્ત કાર્યવાહી, ગાંજાનો જથ્થો અને રોકડ રકમ સહિત રૂ.1.99 લાખનો મુદ્દામાલ જપ્ત વડોદરા તા.8 વડોદરા શહેરમાં નશીલા...
ગાયકવાડી શાસન સમયનું ઐતિહાસિક તળાવ અને પ્રાચીન વાવ પુરાણ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ; જાગૃત યુવાને કલેક્ટર સુધી કરી લેખિત ફરિયાદ વડોદરા જિલ્લાના...
IPLમાં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાઈ રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચ...
તાજેતરમાં હંટા વાયરસને લઈને દુનિયાભરમાં ચિંતા વધી છે. એક લક્ઝરી ક્રૂઝ શિપ પર કેટલાક મુસાફરોમાં હંટા વાયરસના કેસ મળ્યા બાદ ચર્ચા તેજ...
અમદાવાદમાં ગયા વર્ષે થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આગામી એક મહિનામાં અંતિમ તપાસ રિપોર્ટ જાહેર થઈ શકે છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાયેલા ‘ઈન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટ 2.0’ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) સંપૂર્ણ સ્વતંત્રતા અને પારદર્શિતાથી તપાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી તપાસ એજન્સીને તમામ જરૂરી સહાય અને ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક માટે ઉડાન ભર્યા બાદ થોડા જ સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન મેઘાણીનગર વિસ્તારમાં આવેલી BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ કોમ્પ્લેક્સ પર તૂટી પડતાં ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર પણ અનેક લોકોના જીવ ગયા હતા. કુલ મળીને આશરે 260 લોકોના મોત થયાં હતાં.
પ્રાથમિક તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. તપાસમાં એવું માનવામાં આવ્યું હતું કે ઉડાન બાદ થોડા જ સમયમાં બંને એન્જિનમાં થ્રસ્ટ ઘટી ગયો હતો. કેટલાક રિપોર્ટમાં ફ્યુઅલ સપ્લાય અને કોકપિટ સિસ્ટમ સાથે જોડાયેલી ટેક્નિકલ ખામીઓની શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. પાઈલોટ સંગઠનોએ પણ સરકાર સમક્ષ દસ્તાવેજી પુરાવા સાથે કેટલીક ટેક્નિકલ શંકાઓ રજૂ કરી હતી.
આ દરમિયાન કેટલાક વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં પાઈલોટની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ હતી, પરંતુ ભારતની Aircraft Accident Investigation Bureau (AAIB)એ આવા દાવાઓને “અટકળો આધારિત” અને “અપૂર્ણ માહિતી” ગણાવીને નકારી કાઢ્યા હતા. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું કે અંતિમ રિપોર્ટ આવ્યા વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
કેન્દ્રિય મંત્રી રામ મોહન નાયડુએ વધુમાં જણાવ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાથી તેની તપાસ પર વિશ્વસ્તરે નજર રાખવામાં આવી રહી છે. ઘણા દેશોના નાગરિકો વિમાનમાં સવાર હતા, જેથી અંતિમ રિપોર્ટ સંપૂર્ણ પારદર્શિતા અને આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર તૈયાર કરવામાં આવશે.
વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો તરફથી હજુ પણ ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક પરિવારો દ્વારા કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR)ની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય. સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે પીડિત પરિવારોને યોગ્ય વળતર અને સહાય મળી રહે તે માટે વિશેષ સેલ કામ કરી રહ્યો છે.હવે સમગ્ર દેશની નજર આ ફાઈનલ તપાસ રિપોર્ટ પર છે, કારણ કે તેનાથી ભારતના સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાંના એકનું સાચું કારણ સામે આવી શકે છે.