Latest News

More Posts

શહેરનાં સહારા દરવાજા પાસે આજે શનિવારે તા. 12 જુલાઈની સવારે એક બેફામ દોડી રહેલી એસટી ભસનાં ચાલકે એક પછી એક પાંચથી વધુ ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પીક અવર્સમાં એસટી બસનાં ચાલક દ્વારા ગફલતભરી રીતે વાહન હંકારીને વાહન ચાલકોનાં માથે જીવનું જોખમ ઉભું કરતાં એક તબક્કે ભારે નાસભાગ મચી જવા પામી હતી.

બીજી તરફ ઘટનાને પગલે ત્રણ વાહન ચાલકોને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા હાલમાં બસ ચાલક વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર અને ટ્રકો સહિત બસોને કારણે છાશવારે ગમખ્વાર અકસ્માતો કાયમી થઈ ચુક્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર-ઠેર સીસીટીવી કેમેરા અને આકરા દંડની જોગવાઈ વચ્ચે પણ બેફામ વાહન ચાલકો પર લગામ કસવામાં ટ્રાફિક પોલીસ ધરાર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ સ્થિતિમાં આજે સવારે બારડોલીથી સુરત એસટી ભસ ડેપો તરફ જઈ રહેલી એસટી બસનાં ચાલકે સહારા દરવાજા ગરનાળા પાસે ભારે ટ્રાફિક જામ વચ્ચે એક પછી એક પાંચ જેટલા ટુ વ્હીલરને અડફેટે લેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પીક અવર્સમાં એક તો મંથરગતિએ ચાલતા વાહન વ્યવહાર વચ્ચે એસટી બસના ચાલક દ્વારા આ પ્રકારે ગંભીર લાપરવાહી દાખવતાં અન્ય વાહન ચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ખાસ કરીને બસની આસપાસ પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકોનાં જીવ રીતસરનાં પડીકે બંધાયા હતા. જો કે, ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો અને સ્થાનિકોએ ભસને ઘેરી લેતાં હોબાળો મચી જવા પામ્યો હતો. બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં ત્રણ વાહન ચાલકોને ઈજા પહોંચતા તમામને તાત્કાલિક નજીકમાં જ આવેલ સ્મીમેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં બોમ્બે માર્કેટ પાસે જવલંત ટાઉનશીપમાં એતાં 48 વર્ષીય ગોવર્ધન નંદલાલ જૈનને પગના ભાગે ટેક્ચર થયું હોવાને કારણે તેમના પરિવારજનો પણ હોસ્પિટલ વસી આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સહારા દરવાજા ગરનાળા ખાતે ધસી આવ્યો હતો. જો કે, પટના બાદ ભસ ચાલક નાસી છૂટતાં હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનો આધારે વધુ તપાસ હાથ ધરી છે.

To Top