ગાંધીનગર,આજે ૮ મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન અભિયાનને વધુ...
ગાંધીનગર,સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા ‘સોમનાથ અમૃત પર્વ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ સોમનાથની મુલાકાત...
ગાંધીનગર,ગુજરાત હવે માત્ર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ યાયાવર અને વિદેશી પક્ષીઓ માટે પણ સૌથી સુરક્ષિત અને પસંદગીનું રાજ્ય બની રહ્યું...
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બનવા તરફ આગળ : કેન્દ્રીય મંત્રી ગાંધીનગર, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય,...
ગાંધીનગર, ગુજરાત રાજ્ય હવે ઊર્જા સંગ્રહ ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન બનાવી રહ્યું છે. ભારતના પ્રથમ સોલાર ગામ મોઢેરામાં સફળ અમલીકરણ બાદ...
સુરત : ગુજરાતમાં આગામી દિવસોમાં ઉનાળાનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનની વર્તમાન પરિસ્થિતિને જોતા 10 મે...
તમિલનાડુમાં લાંબી રાજકીય ખેંચતાણ પછી ટીવીકે માટે સરકાર બનાવવાનો માર્ગ આખરે મોકળો થયો છે. વિજયને 120 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે અને હવે...
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-10ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. આવેદનપત્રો 15 મે...
બુકીંગ 10 મેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.9પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે ઓખા અને...
શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારના મંત્રી સંજીવ અરોરા પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા...
શુક્રવારે યુનાઇટેડ સ્ટેટ્સમાં લાંબા સમયથી રાહ જોવાતી UFO ફાઇલોનો પ્રથમ બેચ પ્રકાશિત થયો. ટ્રમ્પ વહીવટીતંત્રે સેંકડો નવા વિડિઓઝ, ફોટોગ્રાફ્સ અને ઐતિહાસિક સરકારી...
લાંબી રાહ જોયા પછી ભારત સરકારે ચાર નવા શ્રમ સંહિતા સંપૂર્ણપણે લાગુ કરી છે, જે દેશના શ્રમ માળખામાં મોટો ફેરફાર દર્શાવે છે....
કાપડનાં વેપારી દ્વારા સલાબતપુરામાં ૧.૨૦ લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ… સુરત શહેરની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે, લાજપોર સેન્ટ્રલ...
ભારતીય ક્રિકેટ જગતમાં આ દિવસોમાં એક મોટો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર બેટ્સમેન Yashasvi Jaiswal અને મહિલા ક્રિકેટ...
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વર્ષ 2020 એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું હતું. તે સમયે તૃણમૂલ કોંગ્રેસ (TMC) અંદરથી મજબૂત દેખાતી હતી અને...
તમિલનાડુમાં નવી સરકારની રચના અંગે સસ્પેન્સ યથાવત છે. અભિનેતા વિજયની પાર્ટી તમિઝગા વેત્રી કઝગમ (TVK) ને ટેકો આપતા પહેલા થોલ તિરુમાવલવનની પાર્ટી...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વર્ષો સુધી તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ હવે રાજ્યમાં એક નવો રાજકીય અધ્યાય શરૂ થયો...
ગુજરાતના સચિવાલયમાં આ દિવસોમાં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. એક તરફ રાજ્યના અનેક વરિષ્ઠ IAS અધિકારીઓ નિવૃત્તિની તૈયારીમાં છે, તો બીજી તરફ...
દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને હાલ તમિલનાડુની રાજનીતિમાં મોટું નામ બનેલા અભિનેતા સી. જોસેફ વિજય, એટલે કે ‘થલાપતિ વિજય’, આજે રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ...
ગુજરાતમાં વધતા માનસિક તણાવ, પારિવારિક સમસ્યાઓ અને જીવનશૈલીના દબાણ વચ્ચે આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના...
15 મે સાંજે 5 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ અરજી પર કરી શકાશે : ( પ્રતિનિધિ )વડોદરા,તા.9ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,...
દૂધવાળા મહોલ્લા પાસે ફૂલ સ્પીડ એસયુવીએ સર્જ્યો અકસ્માત, ટ્રાફિક વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ (પ્રતિનિધિ), વડોદરા. તા.9વડોદરા શહેરના સૌથી વ્યસ્ત...
વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો : નરસિમ્હા કોમાર ‘સરદારધામ’ના ઉદ્ઘાટન પૂર્વે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈવડોદરા, તા. 9આગામી...
સમુદ્રની વચ્ચે વૈભવી મુસાફરીનો આનંદ માણવા નીકળેલા હજારો મુસાફરો માટે એક ક્રૂઝ શિપ અચાનક ચિંતાનું કેન્દ્ર બની ગયું. 3116 લોકો સવાર હતા...
તમિલનાડુની રાજનીતિમાં અભિનેતા અને Vijay માટે વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ છે. તેમની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) પ્રથમ જ...
પશ્ચિમ બંગાળના કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારંભ દરમિયાન એક એવો ભાવુક ક્ષણ સર્જાયો કે જેના વીડિયો અને તસવીરો...
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારનું ગઠન થઈ ગયું છે. ભાજપના દિગ્ગજ નેતા Suvendu Adhikariએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ...
₹1 લાખની પ્રોસેસ ફી મામલે દાખલ થઈ હતી ચેક રીટર્ન ફરિયાદ પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યોકાલોલ: વડોદરાના સંજયપાર્ક વિસ્તારમાં રહેતા...
પળવારમાં ભભૂકી ઊઠેલી આગ વિકરાળ બનતા કાર સંપૂર્ણ સળગીને ખાકબહાર નીકળવાનો મોકો ન મળતા ચાલકનું કરુણ મોત વડોદરા તા. 9દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ...
પાચરાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામ જોતાં થોડી બહોળા કેનવાસ પર સમગ્રતામાં વાત કરવાની જરૂર ભાસે છે માટે આ લેખશ્રેણી:
જેની કોઈ રાજકીય ગણના નહોતી, જેની એક સમયે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, જેની ભારત વિશેની કલ્પનાને શેખચલ્લીના ખ્વાબ તરીકે જોવામાં આવતો હતો એ લોકો ભારતીય રાજ્ય (સત્તા નહીં, રાજ્ય. સત્તા કબજે કરવી અને રાષ્ટ્રને કબજે કરવું એ બેમાં જમીન-આસમાનનો ફરક છે.) પર કબજો કેવી રીતે કરી શક્યા? મેં મારા એક લેખમાં કનૈયાલાલ મુનશીને ટાંક્યા હતા. તેમણે આઝાદીની પહેલી વર્ષગાંઠ નિમિત્તે એક લેખમાં કહ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સત્તા પર કબજો જમાવશે તો દેશમાં સંપૂર્ણપણે ફાસિસ્ટ રાજ્ય આકાર લેશે, પણ એવી શક્યતા નહીંવત્ છે. સંઘ ફાસીવાદી છે અને તેનો વિજય એટલે રાષ્ટ્ર/રાજ્ય પર કબજો એ વાત મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો જાણતા હતા, પણ એવું શું હતું કે તેઓ એવી શક્યતા નહીંવત્ જોતા હતા? આખરી પરિણામની તો જાણ હતી, પાક્કી ખાતરી હતી, પણ સંભાવના નહીંવત્ લાગતી હતી.
મેં જે અભ્યાસ કર્યો છે એમાં બે વ્યક્તિ મેં એવી જોઈ છે જે એ સમયે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાબતમાં સાવધાન હતી. એક જવાહરલાલ નેહરુ અને બીજા વિનોબા ભાવે. આમ તો ત્રણ કહી શકાય. પહેલા મહાત્મા ગાંધી, પણ તેમની સામેનો સંદર્ભ સંસદીય સત્તાકીય રાજકારણનો નહોતો. ગાંધીજીની નિસ્બત અહિંસક સમાજરચના માટેની અને સાધનશુદ્ધિ માટેની હતી. તેમણે કહ્યું છે અને વિનાયક દામોદર સાવરકરનું તો નામ લઈને કહ્યું છે કે તેઓ હિંસામાં માને છે, એ પણ વળી સમી છાતીએ (બહાદૂર ક્રાંતિકારીઓની માફક) પોતે હિંસા કરવામાં માનતા નથી, પણ પાછળ રહીને હિંસા કરાવે છે અને સાધનશુદ્ધિમાં માનતા નથી. આ વાત તેમણે ૧૯૦૯માં મદનલાલ ઢીંગરાએ કર્નલ વાઈલીનું લંડનમાં ખૂન કર્યું ત્યારે ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લેખ લખીને કહી હતી અને પછી પણ બે-ચાર વાર કહી છે.
જવાહરલાલ નેહરુએ તો સંઘને ફાસિસ્ટ સંગઠન તરીકે અનેકવાર ઓળખાવ્યું છે. ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ કારણ કે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો સંઘ સાથે એ સમયે સીધો સંબંધ નહોતો એવું માનનારા કોંગ્રેસમાં અનેક લોકો હતા અને એ વાત સાચી પણ હતી. પરંતુ આ સિવાય પણ એક કારણ હતું. કોંગ્રેસની અંદરના જમણેરી નેતાઓને એમ લાગતું હતું કે આ સંગઠન ત્રણ રીતે કામની છે. એક તો તેઓ મુસ્લિમ કોમવાદને અંકુશમાં રાખી શકે એમ છે. બીજુ વખત આવ્યે તેઓ સામ્યવાદ અને સામ્યવાદીઓને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે અને ત્રીજુ તેઓ કોંગ્રેસની અંદર સમાજવાદી વિચારો ધરાવનારા ડાબેરી નેતાઓની વગ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે એમ છે. કોઈકને મુસ્લિમ કોમવાદનો ભય હતો, કોઈકને સામ્યવાદનો ભય હતો અને કોઈકને કોંગ્રેસ સમાજવાદનો માર્ગે અપનાવે એ વાતનો ભય હતો. મોટાભાગના લોકોને આ ત્રણેય ભય એક સાથે સતાવતો હતો અને એ દરેક લોકોને એક વાતની તો ખાતરી હતી કે આ ગાંડીઘેલી વાતો કરનારી સંગઠન ક્યારેય સત્તા સુધી પહોંચી શકે એમ નથી. હિન્દુ ઝનૂની બની જ ન શકે. તેમની કલ્પનાનું ભારત હિન્દુ પીંડને માફક આવે એવું નથી. કનૈયાલાલ મુનશીએ તો ઉપર ટાંક્યો એ લેખમાં લખ્યું પણ હતું કે આ સંગઠન સામ્યવાદને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે. મુનશીએ તેમને “A Friend In Need” તરીકે ઓળખાવ્યા હતા. હા, એક વાતની ખાતરી હતી કે ન કરે નારાયણ અને જો તેઓ સત્તા પર કબજો કરે તો ફાસીવાદી શાસન અવશ્યંભાવી છે.
સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા એમ. એસ. ગોલવલકરને સલાહ આપી હતી કે સંઘ કોંગ્રેસમાં જોડાઈ જાય. તેમનો ઈરાદો કોંગ્રેસની અંદરના ડાબેરીઓનો પ્રભાવ ખાળવાનો હતો. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આ સારું તેમણે જવાહરલાલ નેહરુને રાજી કરવા જોઈએ. ગોલવલકર સાહેબે એવો પ્રયાસ કર્યો પણ હતો. તેમણે પોતાના નામે સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં નેહરુની પ્રસંશા કરતા લેખો લખ્યા હતા. એક બે નહીં, શ્રેણીબદ્ધ. આહા! નેહરુના આટલા અને આવા વખાણ તો તેમનાં માતાપિતાએ પણ નહીં કર્યા હોય! ભારતનો પનોતો પુત્ર, ગરીબોની આંખોનું નૂર અને બીજું શું નહીં!
નેહરુ પીગળ્યા નહોતા. તેમણે ઘસીને કોંગ્રેસમાં જોડાવાની ના પાડી દીધી. સંઘ ફાસીવાદી સંગઠન છે અને ફાસીવાદી કમજોર હોય તો પણ જોખમી છે એ નેહરુ જાણતા હતા અને એમ એકથી વધુ વખત કહ્યું પણ હતું. હિટલર અને તેનો પક્ષ પણ એક સમયે કમજોર હતા. ઝેરનાં પારખાં કરવાના ન હોય. નજીકના ભૂતકાળમાં જર્મની અને ઇટલીએ આનાં પારખાં કર્યાં અને પરિણામ જગતની સામે છે. ભારતમાં જવાહર નેહરુ એક એવા નેતા હતા જેઓ વિશ્વિક દૃષ્ટિકોણ (વર્લ્ડ વિઝન) ધરાવતા હતા. બીજા પણ એવા નેતા હતા, પરંતુ નેહરુનો વૈશ્વિક તેમ જ સાંગોપાંગ ઐતિહાસિક દૃષ્ટિકોણ દૃઢ હતો. આવા નેતાઓ તાત્કાલિક લાભાલાભથી દૂરનું જોઈ શકતા હોય છે. નેહરુએ કહ્યું હતું કે ફાસીવાદી ગમે એટલો કમજોર હોય અને દુશ્મનને ખાળવામાં ગમે એટલો ઉપયોગી હોય તેને આંગળી ન અપાય.
બીજા અને ગાંધીજીને ગણો તો ત્રીજા વિનોબા ભાવે. દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિનોબા સેવાગ્રામ આશ્રમમાં હતા. તેમણે એ દિવસોમાં રોજ સાંજે ગાંધીજી વિષે અને ગાંધીજીની કલ્પનાના વૈશ્વિક સમાજ વિષે પ્રવચનો આપ્યાં હતાં. એ પ્રવચનો મનનીય હતાં. વિનોબાનો દૃષ્ટિકોણ નેહરુ જેવો વૈશ્વિક માનવતાવાદી નહોતો, પણ હિન્દુ દાર્શનિક માનવતાવાદી હતો. તેમણે કહ્યું હતું કે સંઘની વિચારધારા હિન્દુ પરંપરા સુસંગત નથી, પણ વિસંગત છે. તેઓ હિન્દુનો પીંડ બદલવા માગે છે. તેઓ હિન્દુ માનસ બદલવા માગે છે. તેઓ જન્મજાત ઉદારમતવાદી હિન્દુને સંકીર્ણ બનાવવા માગે છે. તેઓ હિન્દુને હિંસક બનાવવા માગે છે. તેમની પ્રેરણા વેદ ઉપનિષદ નથી, પણ પશ્ચિમની વિચારધારા છે. ગાંધીજીની હત્યા એ એજન્ડાના ભાગરૂપે કરવામાં આવી છે, કારણ કે ગાંધીજી પરિપક્વ હિન્દુ પરંપરાનું ફળ છે અને નવા યુગનું બીજ છે. તેમણે તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું સેવાગ્રામથી નાગપુરનું અંતર બહુ ખાસ નથી, માટે સાવધાન રહેવાની જરૂર છે.
તેમણે એ વખતે તો નહીં, પણ અન્યત્ર એમ પણ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં ક્યારેય અખંડતા જોઈ નથી, જે દેશનું અનેક પ્રયત્નો પછી પણ કોમી વિભાજન થયું, જે દેશમાં વિવિધતાઓનો પાર નથી, જે દેશમાં ઊચનીચની નિસરણી કલંકરૂપ છે એ દેશનું પ્રજાસત્તાક લોકતાંત્રિક અને આધુનિક દેશમાં રૂપાંતર કરવું એ રાજકીય