છત્તીસગઢની રાજધાની રાયપુરના વડીલોએ તેમને મળતા પેન્શનથી 93 બાળકોનું જીવન સુધાર્યું છે. 65 વર્ષથી ઉપરના 205 વડીલો તેમને મળતા પેન્શનમાંથી 6000 રૂા....
તમિલનાડુની રાજનીતિમાં અત્યારે અભૂતપૂર્વ ગરમાવો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર ‘થલાપતિ’ વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK) એ...
25 દિવસથી ફરાર નિદા ખાન આખરે ઝડપાઈ, SITની તપાસમાં મોટા ખુલાસાની શક્યતા:યૌન શોષણ અને ધર્માંતરણના આરોપોમાં પોલીસની મોટી કાર્યવાહી, છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ...
મિથુન ચક્રવર્તીના પુત્રે બોલિવૂડના સંઘર્ષ પર તોડ્યું મૌન ‘ડિસ્કો ડાન્સર’ના સુપરસ્ટાર પિતાની ઓળખ છતાં કરવો પડ્યો ભારે સંઘર્ષ, કહ્યું – “લોકોને લાગતું...
3 લોકોના મોત થયેલા ક્રૂઝ શિપમાં 2 ભારતીય ક્રૂ મેમ્બર પણ સવાર MV Hondius ક્રૂઝમાં ફેલાયો દુર્લભ વાયરસ, WHO એલર્ટ મોડમાં; 8...
લખનઉ સુપર જાયન્ટ્સે બેંગલુરુને 9 રને હરાવ્યું, DLS મેથડથી લખનઉની જીત : રજત પાટીદારની ફિફ્ટી અને ટિમ ડેવિડની આક્રમક બેટિંગ છતાં RCBને...
બિહારમાં નવી સરકારની રચના બાદ, મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને આરોગ્ય મંત્રી તરીકે...
રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મને શરૂઆતના દિવસથી જ દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. તેણે...
પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી છે. ગુરુવારે સાંજે લોક ભવનમાંથી આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આનો...
વેજ-નોનવેજ રેસ્ટોરન્ટ્સમાં ગુણવત્તાના નામે મીંડું; મોલમાં પાવભાજી વાસી નીકળતા તંત્રની પોલ ખુલી, હવે સઘન તપાસની ઉઠતી માંગ વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા હાલમાં...
સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યાના બાવીસ દિવસ પછી આજે ગુરુવારે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. એક મેગા ઇવેન્ટમાં નીતીશ કુમારના પુત્ર નિશાંત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરા આયકર ભુવન ખાતે કર્મચારીઓનું સતત બીજા દિવસે આંદોલન યથાવત રહેવા પામ્યું હતું. પે કમિશનથી માંડી પડતર 10 માંગણીઓ...
૪ મેના રોજ યુનાઇટેડ સ્ટેટ્સે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરને સરળ બનાવવા માટે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ શરૂ કર્યું. જોકે તેના એક દિવસ પછી જ...
હવામાં ઉડતી ધૂળને કાબૂમાં લેવા અત્યાધુનિક મશીનનો ડેમો; PM 2.5 અને PM 10 ઘટાડવામાં મળશે મદદ વડોદરા શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને...
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી હતી કારણ કે તેમણે મમતાને હરાવ્યા...
તબીબો પર હુમલા અને ચોરી રોકવા વડોદરા પોલીસનું ‘ઓપરેશન સિક્યુરિટી’ વડોદરા, તા.7 : મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા...
રાષ્ટ્રની એકતાનું સન્માન: કશ્મીરમાંથી 370 નાબૂદ કરી અખંડ ભારતનું સપનું સાકાર કરનાર વડાપ્રધાનનું પાટીદાર સમાજ કરશે શાહી સન્માન વડોદરા: વડોદરાના આંગણે આયોજિત...
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ ચાલુ છે. બુધવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને...
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે રમતજગત અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે....
બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી ‘સરકે ચુનર’ નામના આઇટમ સોન્ગને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થઈને...
સોના અને ચાંદીના ભાવમાં થોડા સમય પહેલા મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી બજારમાં તેજીનો માહોલ બન્યો છે. આ સપ્તાહની...
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં રાજ્યમાં 39 શાળાઓનું પરિણામ 0 ટકા...
ગાંધીનગર : ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ રાજ્યની વિવિધ શાળાઓમાં ક્યાંક ખુશીના ઝૂમતા દ્રશ્યો જોવા મળ્યા, તો ક્યાંક નિરાશાની લાગણીઓ...
ગાંધીનગર : ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી -અવલોકન અને ઓએમઆરની નકલ મેળવવા 13 મે 2026 સાંજે 5:00 વાગ્યા...
અમદાવાદ : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કુલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાના આરે જ શાળાના...
ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે, જેમાં જણાવાયું છે કે આ અભિયાન દરમિયાન ભારતે પાકિસ્તાનના 13...
અમદાવાદ : અમદાવાદ મનપા દ્વારા 14થી 15 વર્ષની ઉંમરની કિશોરીઓને શહેરના અર્બન હેલ્થ સેન્ટરો તથા મ્યુનિસિપલ હોસ્પિટલોમાં નિઃશુલ્ક HPV વેક્સિન આપવામાં આવી...
અમદાવાદ : અમદાવાદ શહેરના વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર મોડી રાત્રે અચાનક રસ્તો બેસી જતા મોટો ભુવો પડ્યો હતો, જેમાં એક...
ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત અંબા ટાઉનશીપ – ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજ્યના...
ગાંધીનગર,ગુજરાતના રાજકીય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર નોંધાવાની શક્યતા છે. રાજ્યસભામાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે ખતમ થવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આવનાર 21 જૂનના...
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.