Top News

More Posts

   The Latest

Most Popular

ઇટાલીમાં ગુરુદ્વારા બહાર બે ભારતીયોની ગોળી મારી હત્યાવૈસાખી સમારોહ બાદ હુમલો,

ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો (Covo) શહેરમાં ગુરુદ્વારા બહાર બે ભારતીય નાગરિકોની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ઘટના વૈસાખી સમારોહ બાદ બની હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે.મૃતકોની ઓળખ રગિંદર સિંહ (48)વર્ષીય અને ગુરમીત સિંહ (48) વર્ષીય તરીકે થઈ છે. બંને ગુરુદ્વારામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા બાદ હુમલાનો શિકાર બન્યા હતા.

મધરાત પહેલાં ગુરુદ્વારા બહાર થયો હુમલો
રિપોર્ટ મુજબ:ઘટના શુક્રવારે મધરાત પહેલાં બની
હુમલો Gurdwara Mata Sahib Kaur Ji બહાર થયો
હુમલાખોરે નજીક આવીને ગોળીબાર કર્યો
ત્યારબાદ કારમાં બેસી ફરાર થઈ ગયો
સ્થળ પરથી આશરે 10 ગોળીના ખોખા મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

‘પ્લાન્ડ એક્ઝિક્યુશન’ હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં: અચાનક થયેલા ઝઘડાની સંભાવના નકારી કાઢાઈ
હુમલો પૂર્વનિયોજિત હોવાની શંકા વ્યક્ત થઈ
તપાસ એજન્સીઓ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે,સ્થાનિક સાક્ષીએ એવો દાવો કર્યો કે હુમલાખોર પણ ભારતીય મૂળનો હોઈ શકે છે અને તે ગુરુદ્વારામાં આવતો-જતો હતો, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

ત્રીજો વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત
માહિતી મુજબ:
ગોળીબારમાં એક ત્રીજો વ્યક્તિ પણ ઘાયલ થયો
હાલ તેની સ્થિતિ અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી

ભારતીય સમુદાયમાં ચકચાર
આ ઘટના એવા સમયે બની જ્યારે: વૈસાખી ઉજવણીનો કાર્યક્રમ નજીકમાં યોજાવાનો હતો, સ્થાનિક સંસ્થાઓ અને સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાવાના હતા, ઘટનાએ ઇટાલીમાં વસતા ભારતીય તથા શીખ સમુદાયમાં ચિંતા અને શોકની લાગણી ફેલાવી છે.

પોલીસે તપાસ તેજ કરી
ઇટાલિયન પોલીસ: CCTV ફૂટેજ તપાસી રહી છે સાથે જ સાક્ષીઓના નિવેદન લઈ રહી છે તેમજ હુમલાખોરની ઓળખ અને કારણ જાણવા માટે કાર્યવાહી તેજ કરી છે હાલ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી, પરંતુ પોલીસે કેસને ગંભીરતાથી લઈને તપાસ આગળ વધારી છે.

To Top