જ્યારે દેશનું બંધારણ ઘડાયું અને લોકશાહીની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશવાસીઓને એવી હાશ થઈ હતી કે હવે દેશમાં સ્વરાજ આવશે. ગુનાખોરી નાબુદ...
ગોધરા: મોરવા હડફ તાલુકાના વાડોદર-૨ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી...
સુખસર, ફતેપુરા: ફતેપુરા તાલુકાના તમામ વિસ્તારોમા સરકારી-ગૌચરની જમીનો આવેલી છે.તે જમીનો ઉપર કેટલાક તકવાદી તત્વોએ પોતાનો કબજો જમાવી જમીનો હડપ કરી છે....
દાહોદ: ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે...
વડોદરા: શહેરમાં બની રહેલો જન મહેલ નહિ પણ જળ મહેલ છે જે ડોક્ટર વિનોદ રાવની ભેટ છે. પહેલા જ વરસાદમાં જન મહેલમાં...
સુરત: મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) દ્વારા મડ આઈલેન્ડમાં રાજ કુંદ્રા (Raj kundra) દ્વારા ચલાવવામાં આવી રહેલા પોર્ન ફિલ્મ મેકિંગ (pornography)નો...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ વેપારીઓ પેટા ભાડુઆત રાખી તગડું ભાડું લેતા હોય છે. એટલું જ નહીં...
વડોદરા: વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ માં મરણ પથારી પર રહેલા દર્દીના સ્પર્મ હાઇકોર્ટની સુનાવણી બાદ લેવામાં આવ્યા હતા. દર્દીના અનેક અવયવો કામ કરતા...
સુરત: સુરત (Surat)માં આજે ફિલ્મી ડ્રામા (Filmy drama) સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારી (Navsari)ના બોરિયાચ ટોલનાકા...
નડિયાદ: ખેડા તાલુકાના ગાંધીપુરા તેમજ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી અને શત્રુંડા નજીક વિતેલા ચોવીસ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવો બન્યાં હતાં....
આણંદ: સામાન્ય રીતે કાયદાકીય ચૂંગલમાં કે ગુના માં ફસાયા બાદ અસીલ વકીલની ગાય હોય તેમ જ વર્તતા હોય છે.વકીલ કહે તે પ્રમાણે...
સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા...
આણંદ: આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદના નેતા પ્રવીણભાઈ તોગડીયાએ આણંદની મુલાકાતે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ વડોદરા અને આણંદ થઈ તેઓ...
નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો...
વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે....
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની...
ઓલિમ્પિકમાં સ્પોર્ટસ ઇવોલ્વ થઈ રહ્યું છે અને તેમાં મહત્ત્વનો ભાગ ટૅક્નોલોજી ભજવી રહી છે. ટૅક્નોલોજી ધરમૂળથી બદલાઈ રહી છે. ભારતીય દર્શકો ઓલિમ્પિક...
જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે,...
અત્યારે ખેડ વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં...
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7...
સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ...
કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાં પર ગયા વર્ષથી રોક લગાવી દેવાઇ હતી. જાન્યુ. 20, જુલાઇ 20 અને જાન્યુ....
આદિ માનવ જંગલમાં ભટકતો ત્યારે જંગલી સર્પ ડંખ દેવાથી મૃત્યુ નિપજતું. સર્પથી ડરીને એણે પથ્થરમાં સર્પની આકૃતિ કોતરીને પૂજા કરવા લાગ્યો. સમયાંતરે...
ડો શાહ એક સફળ માનસશાસ્ત્રી. તેમની પાસે એક હતાશ નિરાશ બહેન આવ્યાં. થોડો જાણીતો ચહેરો લાગ્યો અને પુછતાછ કરતાં જૂની ઓળખાણ નીકળી....
ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર...
આપણે કાયમ માટે આપણા ગમા-અણગમાને આધારે કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. આપણને ગમતી વ્યકિતના જીવન અને વ્યવહારમાં એકસો વાંધા હોય,...
દસ્તાવેજોના અભાવે બાંગ્લાદેશે પોતાના જ નાગરિકોને સરહદ પર રોક્યા, બંગાળમાં બનાવાયા 11 હોલ્ડિંગ સેન્ટર
અમેરિકામાં ગ્રીન કાર્ડનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ: યુએસ કોંગ્રેસમાં રજૂ થયેલા નવા બિલથી ભારતીયો ચિંતામાં
વડોદરાના જનપ્રિય નેતા યોગેશ પટેલની પ્રાર્થના સભા યોજાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેનકા ગાંધીએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
શિલ્પા શિંદે મુશ્કેલીમાં: ખોટા આરોપ બદલ મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ પાસે કડક કાર્યવાહીની માંગ
પાણી વગર પ્રજા તરસી, કાર્યવાહી કરવા પહોંચતાં VMC ટીમનો ઘેરાવો
અકોટામા ધમધમતા બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ
ભારતની અફઘાનિસ્તાન સામે 451 રનની લીડ: બીજા દિવસના અંતે અફઘાનિસ્તાનો સ્કોર 113/5
અભિનયથી લઈને રાજકારણ સુધી સક્રિય રહેનારા નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા સલીમ કુમારનું નિધન
મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યોમાં ચોમાસુ પહોંચ્યું, ગુજરાતને છોડી દેશના બધા રાજ્યોમાં પ્રિમોન્સુન એક્ટિવીટી
કિમ જોંગ ઉનનો દુનિયાને ખુલ્લો પડકાર: મિસાઇલ ફેક્ટરી બતાવી, બહેને કહ્યું- પરમાણુ હથિયારો છોડવાનો સવાલ જ નથી
ચંદીગઢ ટેસ્ટ: ભારતે 564/8 પર ઇનિંગ્સ ડિક્લેર કરી, કેપ્ટન શુભમન ગિલનો ટોપ સ્કોર 126 રન
વડોદરામાં પાણીની એલર્ટ! આગામી 30 દિવસ અડધા શહેરમાં ઘટશે પાણીનું પ્રેશર
ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો, સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનો દાવો
ફેક ટ્રેડિંગ એપ, નકલી બેન્ક APK અને બોગસ હોટલ બુકિંગ; અમદાવાદમાં ત્રણ મોટા સાયબર કૌભાંડો સામે આવ્યા
વારાણસીમાં માંસ અને માછલીની દુકાનો હવે શહેરની બહાર ખસેડવામાં આવશે
મચૈલ માતા અને મિંધલ માતા યાત્રા પર બ્રેક, કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓથી ચિંતા
સમા સંજયનગરમાં ગેરકાયદે ચાલતા ભૂંડના કતલખાના પર દરોડો
TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો, ડ્રાઈવરને માર મારાયો; ભાજપ સમર્થકો પર ગંભીર આરોપ
ETP ટેન્કમાં મોતનો કાળો કાંડ: સુરતમાં ઝેરી ગેસે ચાર શ્રમિકોના જીવ લીધા
સરથાણા ઝૂમાં વાઘ સાથેની ક્રૂર હરકતનો વીડિયો વાઈરલ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા,નજીવી બોલાચાલી બની જીવલેણ, વિસ્તારમાં ચકચાર
ખાન સર પર સૌથી મોટું સંકટ! FIR બાદ વધી મુશ્કેલીઓ :ખાન સર સામે હત્યાના પ્રયાસનો કેસ? જાણો આખું સત્ય!
મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
અચ્છે દિન’ નહીં, મોંઘવારીના દિવસો આવ્યા: ભાવવધારા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીથી ખરડાયો, અકસ્માતમાં 4ના મોત
ભારત માટે ચિંતાજનક સંકેત! દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડથી પણ નીચે, એલન મસ્કે વ્યક્ત કરી ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનનો ઝટકો! AI નીતિ સલાહકાર પદેથી રાજીનામું
LPG સિલિન્ડરના ભાવ વધારા પર સરકારની સ્પષ્ટતા: ‘દરેક સિલિન્ડર પર થઈ રહ્યો છે ₹700 જેટલો નુકસાન’ વધતી કિંમતો પાછળનું કારણ શું?
વડોદરા ગ્રીન બનવા તરફ, કમાટીબાગ ખાતે ‘ગ્રીનેથોન-2026’ માં 10,000 થી વધુ બરોડિયન્સ ઉમટ્યા
‘હજુ તો તે બાળક છે…’ વૈભવ સૂર્યવંશી માટે BCCIનો ખાસ નિર્ણય, ઇંગ્લેન્ડ પ્રવાસે માતા-પિતા પણ રહેશે સાથે
જ્યારે દેશનું બંધારણ ઘડાયું અને લોકશાહીની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશવાસીઓને એવી હાશ થઈ હતી કે હવે દેશમાં સ્વરાજ આવશે. ગુનાખોરી નાબુદ થશે. ગુનેગારો જેર થશે અને શાંતિનો માહોલ સ્થપાશે. પરંતુ તેવું કશું જ થયું નહીં. લોકોની આશા ઠગારી નીવડી. તેનાથી ઉલ્ટું દર વર્ષે રાજનીતિમાં ગુનેગારોનો વધારો જ થતો રહ્યો છે. રાજનીતિમાં ગુનેગારો હોવા જોઈએ નહીં અને રાજનીતિનું અપરાધીકરણ થતું અટકવું જોઈએ તેવી અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી.

રાજકીય પક્ષો દ્વારા પણ તેને સ્વીકારવામાં આવ્યું પરંતુ એક પણ રાજકીય પક્ષ રાજનીતિમાં અપરાધીકરણને રોકવા માટે તૈયાર નથી. આ અંગે અનેક વખત કોર્ટમાં રજૂઆતો કરવામાં આવી અને છેલ્લે હવે સુપ્રીમ કોર્ટએ પણ રાજનીતિમાં અપરાધીકરણ રોકવાના મામલે હાથ ઊંચા કરી દેવા પડ્યા છે. ભારત દેશની આ કરૂણતા છે કે સુપ્રીમ કોર્ટ પણ રાજનીતિમાં અપરાધીકરણને રોકી શકતી નથી. સુપ્રીમ કોર્ટએ ખેદ સાથે એવું કહેવું પડ્યું કે, અમને પાકો એવો વિશ્વાસ છે કે સંસદ કે પછી વિધાનસભા, કોઈપણ રાજનીતિને અપરાધીકરણથી મુક્ત કરવા માટે તૈયાર નથી.
અમને એવો પણ વિશ્વાસ છે કે હાલમાં કે પછી ભવિષ્યમાં ક્યારેય પણ આવું થવાનું નથી. કોઈપણ પક્ષને રાજનીતિમાંથી અપરાધોને મુક્ત કરવામાં રસ નથી. રાજકીય પક્ષોને તેવો કાયદો બનાવવામાં પણ રસ નથી. અપરાધી ઉમેદવારોને પણ ચૂંટણી લડતા રોકવામાં રાજકીય પક્ષોને રસ નથી. આ એવા અપરાધીઓ છે કે જેની વિરૂદ્ધમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે તમામ રાજકીય પક્ષો એક થઈ ગયા છે. અફસોસની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલે કાયદો બનાવી શકતી નથી. અમે રાજકીય પક્ષોને સતત કહીએ છીએ કે જે ઉમેદવારો વિરૂદ્ધમાં ગુનાઓ નોંધાયેલા હોય તેવા ઉમેદવારો સામે કાર્યવાહી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટની બેંચના જસ્ટીસ આર.એફ.નરીમાન તેમજ જસ્ટીસ બી.આર. ગવઈએ કહ્યું હતું કે સરકારનું કાયદા મંત્રાલય પણ આ માટે કાયદો લાવવામાં કોઈ પગલા લેવા ઈચ્છુક નથી. અત્યાર સુધી આવું કશું થયું પણ નથી અને કોઈપણ પક્ષ દ્વારા આવું કદી કરવામાં આવશે પણ નહીં. કોર્ટના અનાદરના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપ, કોંગ્રેસ, બસપા, લોજપા, માકપા અને રાકપા સહિતના વિવિધ પક્ષના વકીલોની રજૂઆતો પણ સાંભળી હતી.
વકીલ બ્રિજેશ સિંહ દ્વારા અનાદરની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની પર સુનાવણી ચાલી રહી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં જે રજૂઆતો થઈ હતી તેમાં વકીલે એવું જણાવ્યું હતું કે, બિહારમાં ગુનાહિત ઈતિસાહ ધરાવતા 427 ઉમેદવારો હતા. રાજદના 104 અપરાધી ઉમેદવારો હતા. જ્યારે ભાજપમાં પણ 77 આવા ઉમેદવારો હતો.
આ તો બિહારની ચૂંટણીની વાત થઈ પરંતુ દેશમાં અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણી થઈ તે તમામમાં અપરાધી ઉમેદવારો ઊભા રહ્યાં હતાં અને અનેક ઉમેદવારો ચૂંટણી જીત્યા પણ હતાં. કોઈપણ રાજ્ય કે રાજકીય પક્ષ રાજનીતિના અપરાધીકરણથી બાકાત નથી. જ્યાં ખુદ રાજકીય પક્ષો જ રાજનીતિનું અપરાધીકરણ અટકાવવા માટે તૈયાર નથી ત્યારે રાજનીતિનું અપરાધીકરણ થવાની કોઈ સંભાવના જ નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી દિવસોમાં સંભવિતપણે આ આખો મામલો 8 જજની બેંચને સોંપી દેવામાં આવશે પરંતુ રાજનીતિનું અપરાધીકરણ અટકાવવું હોય તો જે તે રાજકીય પક્ષોએ પોતે જ તૈયાર બતાવવી પડશે. સામે મતદારોએ પણ અપરાધી હોય તેવા ઉમેદવારોને મત આપવાનું બંધ કરવું પડશે. જો આ બે કામ થશે તો જ દેશની રાજનીતિ અપરાધીકરણથી મુક્ત થઈ શકશે તે નક્કી છે.