Top News

More Posts

   The Latest

Most Popular

સુપ્રીમકોર્ટે (Supreme court) 10 દિવસની લાંબી સુનાવણી પછી ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના (High Court) નિર્ણયને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની બેન્ચે રાજ્ય સરકાર, શિક્ષકો અને અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલની દલીલો સાંભળ્યા પછી આદેશ અનામત રાખ્યો હતો. કેટલાક અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ (Advocate) દુષ્યંત દવેએ કોર્ટમાં કહ્યું હતું કે જેઓ આસ્તિક છે તેમના માટે હિજાબ જરૂરી છે. જેઓ આસ્તિક નથી તેમના માટે તે જરૂરી નથી. તેમણે કહ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં માર્ગદર્શિકા જારી કરવાનું કોઈ કારણ હતુ નહીં.

  • સુપ્રીમકોર્ટે 10 દિવસની લાંબી સુનાવણી પછી ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કર્યો
  • સુપ્રીમે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો
  • દુષ્યંત દવેએ કોર્ટમાં કહ્યું હતું કે જેઓ આસ્તિક છે તેમના માટે હિજાબ જરૂરી છે
  • રાજ્ય સરકારે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેણે હિજાબ પ્રતિબંધના વિવાદમાં કોઈપણ ધાર્મિક પાસાને સ્પર્શ કર્યો નથી

અન્ય કેટલાક અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે PFIની દલીલ હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવી નથી. આ પક્ષપાત ઉભો કરવા માટે રજૂ કરાયેલી દલીલ છે. કર્ણાટક સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2021 સુધી કોઈ પણ વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો ન હતો અને શાળાઓમાં જરૂરી શિસ્તનો ભાગ હોવાને કારણે યુનિફોર્મનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું હતું. જો કે ત્યારબાદ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) નામના સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર એક આંદોલન શરૂ કરવામાં આવ્યું અને તેને આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું. મહેતાએ કહ્યું કે હિજાબ પહેરવાનું શરૂ કરવા માટે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરવામાં આવી હતી. આ કોઈ સામાન્ય વાત ન હતી. કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો અને બાળકો તેના ઈશારે કામ કરી રહ્યા હતા.

અરજદારોના વકીલે કર્ણાટક સરકારના પરિપત્રનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમાં PFI પ્રવૃત્તિનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે પરિપત્ર ધાર્મિક પ્રથાઓના પાલનને એકતા અને સમાનતાના અવરોધ તરીકે દર્શાવે છે. દવેએ તેમની દલીલમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. તે અનુસાર યુનિફોર્મ ફરજિયાત નથી. તેથી કર્ણાટક સરકારનો 5 ફેબ્રુઆરીના આદેશ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી શકે નહીં.

દવેએ કહ્યું કે કેટલાક લોકો માટે તે જરૂરી પ્રેક્ટિસ છે. કેટલાક લોકો વધુ ધાર્મિક છે. કેટલાક વધુ સહિષ્ણુ છે અને તે વ્યક્તિગત પસંદગી છે. કર્ણાટક સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે શાળા પરિસરમાં હિજાબ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે પ્રિ-યુનિવર્સિટી કોલેજોના ક્લાસરૂમમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો બચાવ કરતા તેણે કહ્યું કે તે માત્ર ક્લાસરૂમમાં જ પ્રતિબંધિત છે. રાજ્ય સરકારે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેણે હિજાબ પ્રતિબંધના વિવાદમાં કોઈપણ ધાર્મિક પાસાને સ્પર્શ કર્યો નથી.

To Top