Madhya Gujarat

પશુ સારવારનો દંભ : 24 ગામડાઓ માટે ફક્ત બે એમ્બ્યુલન્સ ફાળવાઇ

સુખસર: ફતેપુરા તાલુકામાં ફતેપુરા બલૈયા તથા સુખસર ખાતે પશુ સારવાર કેન્દ્રો આવેલા છે.જેમાં પશુઓને ઘર બેઠા સારવાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવેલ છે.અને આ એમ્બ્યુલન્સને જાણ કરતા પશુ ડોક્ટર જે-તે પશુપાલકના ઘરે પહોંચી દવા સારવાર આપી રહ્યા છે.પરંતુ ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સોને તાલુકાના માત્ર 24 ગામડાઓ પૂરતી મર્યાદિત રાખવામાં આવ્યા છેજ્યારે બાકીના પશુપાલકો જે-તે પશુ ચિકિત્સાલયમાં પોતાના પશુને લઈને જાય છે,અથવા તો પશુની ગંભીર સ્થિતિમાં પશુ દવાખાના માંથી જે-તે કર્મચારીને પશુપાલકો ઘરે બોલાવી સારવાર કરાવતા હોય છે.

ત્યારે પશુ સારવાર માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ માં તાલુકાના તમામ ગામડાઓનો સમાવેશ થાય અથવા તો નવીન એમ્બ્યુલન્સ મૂકવામાં આવે તે જરૂરી છે.ફતેપુરા તાલુકામાં 96 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને તમામ ગામડાઓમાં ખેડૂતો પશુપાલન પણ કરતા આવેલ છે.પશુઓમાં બીમારી કે રોગચાળા જેવા સંજોગોમાં પશુપાલકો ઘર બેઠા પોતાના પશુની સારવાર કરાવી શકે તે હેતુથી સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવેલ છે.જેમાં એક એમ્બ્યુલન્સ મોટી ઢઢેલી ખાતે ફાળવવામાં આવેલ છેતેમાં 12 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તે પૈકી મોટીઢઢેલી, નાનીઢઢેલી,નાના બોરીદા,મોટા બોરીદા, માનાવાળા બોરીધા,ઘાણીખૂંટ, હડમત,પટીસરા, વાંસિયાકુઈ, મોટાનટવા,ડબલારા, ભીતોડી ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે બીજી એમ્બ્યુલન્સ ચીખલી ખાતે ફાળવવામાં આવેલ છે. તેમાં વાંકાનેર,હિંગલા,મારગાળા,ખાતરપુરના મુવાડા,પાટડીયા,જવેસી, કુંડલા, લખનપુર,ઝાબપૂર્વ,આસપુર સરસવાપૂર્વ અને ચીખલી ગામનો સમાવેશ કરવામાં આવેલ છે.આમ બે એમ્બ્યુલન્સ 24 જેટલા ગામડાઓમાં પશુઓને સારવાર આપવા કોલ મળતા પહોંચી જતી હોય છે.

જ્યારે તાલુકાના 72 જેટલા ગામડાના પશુપાલકો આ સેવાથી વંચિત છે.અને પોતાના પશુની બીમારીમાં કોઈપણ હાલતે પશુ સારવાર કેન્દ્ર ખાતે પોતાના પશુઓને લઈને જતા હોય છે અથવા તો પશુ સારવાર કેન્દ્રમાંથી કોઈ કર્મચારીને પોતાના ઘરે બોલાવવા પડતા હોય છે.ત્યારે પશુ સારવાર માટે પશુની બીમારીના ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સમાં દરેક ગામડાનો સમાવેશ કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ ઉઠવા પામેલ છે. ફતેપુરા તાલુકા પશુ ચિકિત્સક નુરદાસ સંગાડા દ્વારા જણાવાયું હતું કે,પશુ સારવાર એમ્બ્યુલન્સમાં કયા-કયા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની જાણકારી મારાી પાસે નથી. તેની માહિતી મેળવવી હોય તો અમદાવાદ ખાતે પૂછપરછ કરવી પડશે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને અભણ ખેડૂત પશુપાલકોને પોતાના ગામનો સમાવેશ પશુ સારવાર એમ્બ્યુલન્સમાં કરવામાં આવ્યો છે કે કેમ?તેની જાણકારી
ક્યાંથી હોય?

Most Popular

To Top