સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોને ટેક્સટાઇલ (Textile) ટ્રેડર્સના સંગઠનોને પત્ર લખી આરટીપીસીઆર ટેસ્ટ અને રેપિડ ટેસ્ટની સમય મર્યાદા વધારી હોવાની...
જમ્મુ -કાશ્મીર ( JAMMU KASHMIR ) માં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટ ( OPRETION ALL OUT ) ની જેમ જ નક્સલવાદીઓને નાશ...
ચોકીદારથી લઇ ખ્યાતનામ સંસ્થા આઈઆઈટી ( IIT ) ના સ્નાતક અને હવે રાંચીના આઈઆઈએમના સહાયક પ્રોફેસર સુધીની 28 વર્ષીય રણજીત રામચંદ્રનની યાત્રા...
કોરોના વાયરસના બગડતા સ્વરૂપ વચ્ચે હાલ આંશિક રાહત મળી છે. અને હવે ભારતમાં ત્રીજી રસી મંજૂર થઈ છે. સોમવારે, રસી કેસની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી...
સુરત: (Surat) શહેરમાં કોરોના સંક્રમણના કેસો તિવ્ર ગતિએ વધતા વેપાર ઉદ્યોગ (Business Industries) પર અસર પડી છે. તે સિવાય બેન્કોના કામકાજને પણ...
સુરત: (Surat) વૈશ્વિક બજારમાં હીરાની માંગ સારી છે. તેથી સ્થાનિક ઉત્પાદકો મોટી માત્રામાં હીરાનું (Diamond) પ્રમાણપત્ર મેળવવા વિદેશની લેબોરેટરીમાં મોકલી રહ્યાં છે....
છત્તીસગઢમાં ફરી વાર નક્સલી હુમલો થયો અને તેમાં ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ’ [CRPF]ના 22 જવાનો શહીદ થયા. નક્સલીઓના આ હુમલામાં સાંઠથી વધુ...
સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે “કોઈ ઘર ગમતું ન હતું, અથવા ત્યાંનું વાતાવરણ સારું ન હતું, તેથી લોકો ઘરો બદલાતા...
jharkhand : ઝારખંડમાં કોરોના ( corona ) ઝડપથી આગળ વધી રહી છે, સ્મશાન ઘાટ પર પરિવારની લાંબી લાઈનો તેમજ એમ્બ્યુલન્સ ( ambulance...
સુરતઃ (Surat) સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટેના જરૂરી રેમડેસિવિર ઈન્જેકશન (Injection) માટે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ (C R Patil)...
સુરત અને દક્ષિણ ગુજરાત ભારતની આઝાદીના આંદોલનનું બેરોમિટર છે. 1957ની ક્રાંતિ પહેલાં અહીં બ્રિટિશ સરકાર સામે 1844માં મીઠા સત્યાગ્રહ થયો હતો. ગાંધી...
ભારતમાં નાની બચત યોજનાઓની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે લોકોને 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે, જે...
ભુવનેશ્વર, જયપુર, મુંબઇ, : એક તરફ આજે વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ લોકોને રસી મૂકી શકાય તે માટે ચાર દિવસના ટીકા ઉત્સવનો આરંભ...
સુપ્રીમ કોર્ટે ( supreme court ) કુરાનની ( quran ) આયતો વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે અદાલતે અરજદાર...
છેલ્લા અઠવાડિયામાં કોરોના ( CORONA ) ચેપના વધતા જતા કેસોએ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. સતત કોરોના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ...
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને...
નવસારી : નવસારી જિલ્લામાં જ દવા કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે, જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી તરફ કેટલાય...
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસોથી રોકાણકારો ચિંતિત છે. આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીની જોરદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુક્લા 188 રનના...
કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી લહેરના કારણે સોમવારે દેશમાં એક દિવસમાં જોવા મળતા કોરોના ચેપના તમામ રેકોર્ડ બ્રેક થયા...
અનિયંત્રિત કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગે દેશમાં કહેર ફેલાવ્યો છે. એક તરફ, દેશમાં કોરોનાના નવા કેસ અંગે દરરોજ રેકોર્ડ...
એક વર્ષ પછી પણ દેશમાં કોરોના(CORONA)નો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં જીવલેણ કોરોનાની ઝપેટમાં સૌથી વધુ વિદ્યાર્થી (STUDENTS) સપડાયા હોવાની વાત ચોંકાવનારી...
GANDHINAGAR : અમદાવાદમાં રવિવારે ફરીથી સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેકશની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી.પોતાના સ્વજનોને બચાવવા...
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ એમ પાંચ રાજ્યોમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી પ્રથમ વખત ભારતના સક્રિય કોવિડ -19 કેસોમાં 70.82...
ગુજરાત હેલ્થ ઈમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે, તેવા નિરીક્ષણ સાથે ગુજરાત હાઈકોર્ચના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ડિવીઝન બેન્ચે...
કોરોનાના કેસો ગુજરાતમાં 3.42 લાખને પાર કરી જતાં પહેલા રાજયમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કર્યા પછી હવે રાજ્ય સરકારે તમામ કોલેજોમાં શિક્ષણ...
સોમવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં લોકેશ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને સંજૂ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું અભિયાન...
આજે રવિવારે કોરોનાના મહામારીના કારણે રેકોર્ડબ્રેક 54 દર્દીઓનાં મૃત્યું થતાં હાહાકાર મચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ...
એક વર્ષ કરચાં પણ વધુ સમય પછી ટર્ફ પર ઉતરેલી ભારતીય હોકી ટીમે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરતાં એફઆઇએચ પ્રો લીગની બે...
શ્રદ્ધા હોય તો શું નથી કરી શકાતું?! કદાચ આ જ કારણે આપણે કેટલાક સવાલોના જવાબ ભગવાન પાસે માગીએ છીએ, જેમાં આપણને વિશ્વાસ...
વડોદરા : અલકાપુરીમાં ધંધો કરતા ચાંદીના વેપારી સાથે રૂ. 17.33 લાખની છેતરપીંડી
2022થી એર ઇન્ડિયાના સીઇઓ તરીકે ફરજ નિભાવ્યા બાદ સીઇઓ કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું
MI vs RR: સૂર્યવંશી vs બુમરાહની પહેલી ટક્કર, મેચ બનશે રોમાંચક
નકારાત્મક શરૂઆત છતાં માર્કેટનો કમબેક, નિફ્ટી 23,124 પર બંધ, સેન્સેક્સ 510 પોઇન્ટ ઉછળ્યો
તાપી નદીમાં તરતી લાશથી કાપોદ્રામાં ચકચાર
‘મને ટીકાકારોની પરવા નથી’ ટ્રમ્પના નિવેદનથી વિવાદ વધ્યો, ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર
વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ છવાઈ,કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા
ગુજરાત અને રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: ₹25 કરોડના ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા, પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ
ખડગે સાડા છ કરોડ ગુજરાતીઓની માફી માંગે: સીએમ ભૂપેન્દ્ર પટેલ
40 લક્ઝરી બસોને મેમો ફટકારાતા ફફડાટ
જે બોલ્યા તે કરવું એ ભાજપની કાર્યશૈલી
સબરીમાલા વિવાદમાં નવો વળાંક, કેન્દ્રે કહ્યું ઘાર્મિક મામલામાં કોર્ટ હસ્તક્ષેપ ના કરી શકે
ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખતા શિક્ષણ અધિકારીનો રૂ. ૧૦ હજારનો દંડ
અમદાવાદ માટે કોંગ્રેસનું મેનિફેસ્ટો – વિકાસ અને સુવિધાઓ પર ભાર
ચૂંટણી જંગ માટે પોલીસ તંત્ર સજ્જ : રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર બે કલાક કોંગ્રેસમાં ‘આંટો’ મારી આવ્યા
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’
બિહારમાં રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટી લેવાયું
ગુજરાતમાં ઈંધણ અને ખાતરનો પૂરતો પુરવઠો : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
અમદાવાદમાં સુરતનો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો
પુડુચેરી ભાજપની નીતિઓનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે: ઉદયનિધિ સ્ટાલિન
મમતા બેનર્જીનો આરોપ: SIR પછી લાખો મતદારોના નામ યાદીમાંથી કપાયા
ત્રણ પાસપોર્ટના આરોપે ગરમાયું રાજકારણ, આસામથી દિલ્હી સુધી પહોંચ્યો વિવાદ, કોંગ્રેસ-ભાજપ આમને-સામને
વડોદરાની SSG હોસ્પિટલ ખાનગી રિક્ષાઓનો અડ્ડો બની
‘સામે કેમ જોયું’થી બબાલ ભડકી: 1 મિનિટ સુધી રોડ બાનમાં લેનારા ઓને રાંદેર પોલીસે દબોચ્યા
સયાજીગંજની સાંઈ કૃપા હોટલના રૂમમાં પંચમહાલના યુવકનો આપઘાત
સ્કાયમેટની ચિંતાજનક આગાહી
કપાસ પર આયાત શુલ્ક રદ્દ ન કરવા ખેડૂત ની માંગ, કેન્દ્ર સરકારને પત્ર લખાયો
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોને ટેક્સટાઇલ (Textile) ટ્રેડર્સના સંગઠનોને પત્ર લખી આરટીપીસીઆર ટેસ્ટ અને રેપિડ ટેસ્ટની સમય મર્યાદા વધારી હોવાની જાણ કરી છે. લિંબાયત ઝોનના ઝોનલ ચીફ આર.જે માકડિયાએ સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુને પત્ર લખી જાણ કરી છે કે હવે આરટીપીસીઆર ટેસ્ટ 15 દિવસ અને રેપિડ ટેસ્ટ 7 દિવસ સુધી માન્ય રહેશે.અગાઉ આરટીપીસીઆર ટેસ્ટની મર્યાદા સાત દિવસ અને રેપિડ ટેસ્ટની મર્યાદા 3 દિવસની હતી. જેથી ટ્રેડર્સ સંગઠનોએ પાલિકા કમિશનરને રજૂઆત કરી આવી હતી. જેમાં આરટીપીસીઆર ટેસ્ટ 3 દિવસે નીકળતો હોવાથી વેપારીઓ અને અન્ય કર્મચારીઓ (Traders And Workers) માર્કેટમાં આવી શકતા નથી.

ટેસ્ટ રિર્પોટ કરાવ્યા નહી હોવાથી સંસ્થાઓ બંધ કરાવી
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપાએ કોવિડ ગાઈડલાઈનનું પાલન નહી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં 45 થી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન વિના કામ-ધંધે નહી જવા મનપાએ અપીલ કરી છે. તેમજ દુકાનદારોએ વેક્સિન અથવા ટેસ્ટ કરાવ્યાનો રીપોર્ટ સાથે રાખવા જણાવાયું છે, તેમ છતાં ઘણા વેક્સિન અને ટેસ્ટ વિના જ કામકાજ પર જતા મનપા દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રવિવારે મનપા દ્વારા વિવિધ કોમર્શિયલ વિસ્તારોમાં ઝોન દ્વારા 19,562 દુકાનો અને સંસ્થાઓ ચેક કરવામાં આવી હતી. જેમાંથી અંદાજીત 8137 રસી લીધેલી વ્યક્તિ, 11,209 વ્યકિતઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ 3847 વ્યક્તિએ રસી લીધી ન હતી. અથવા ટેસ્ટ રિર્પોટ કરાવ્યા નહી હોવાથી તેવી સંસ્થાઓ બંધ કરાવવામાં આવી હતી. તો બીજી બાજુ મનપા દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે પણ તવાઈ હાથ ધરવામાં આવી છે. રવિવારે મનપા દ્વારા કુલ 724 વ્યક્તિઓ પાસેથી કુલ રૂા. 5.51 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તંત્રએ કડક પગલા ભરવાની ચેતવણી આપી
સુરત : શહેરમાં કોરોનાનો દિનપ્રતિદિન વિસ્ફોટ થઇ રહ્યો છે. શહેરની સ્થિતિ સતત બીજા વર્ષે પણ ઘાતક લાગી ગઇ છે. ત્યારે હવે શહેરમાં આગામી સમયમાં તહેવારોની વણઝાર શરૂ થઇ રહી છે. રમઝાન માસ, ચૈત્રી નવરાત્રી, ચેટી ચાંદ તેમજ ગુડી પડવો જેવા તહેવારોમાં જાહેર કાર્યક્ર્મો કે મેળાવડા થતા હોય છે. જો આવા જાહેર કાર્યક્રમો થશે તો કોરોનાનું સંક્રમણ વધશે. જેથી રાજ્ય સરકારે જાહેર કરેલી કોવિડ-19ની કડક ગાઇડલાઇનનું તહેવારોમાં પાલન કરવાનું રહેશે. જો આ તહેવારોમાં જાહેર કાર્યક્રમ કે લોકોની ભીડ એકત્ર થશે તો તંત્રએ કડક પગલા ભરવાની પણ ચેતવણી આપી છે.