Top News

More Posts

   The Latest

Most Popular

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા (Murder) કરનાર આતંકવાદીને સેનાએ એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કર્યો છે. સેનાએ એન્કાઉન્ટરમાં કુલ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હતા. સેનાએ આતંકવાદી લતીફ રાથરને પણ મોતને ઘાટ ઉતારી દીઘો છે. લાંબા સમયથી સુરક્ષા દળો લતીફની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા, તેણે ઘાટીમાં ઘણી હત્યાઓ કરી હતી, તેણે રાહુલ ભટની પણ હત્યા કરી હતી. પરંતુ બુધવારે, સેનાને મજબૂત ઇનપુટ્સ મળ્યા કે લતીફ અને તેના સાથી બડગામમાં છે. તેથી વ્યૂહરચના મુજબ કાર્યવાહી કરવામાં આવી અને ત્રણેય આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રાહુલ ભટની વાત કરીએ તો આ વર્ષે મે મહિનામાં તેને એક આતંકીએ માર્યો હતો. રાહુલ મહેસૂલ વિભાગમાં કામ કરતો હતો, પરંતુ આતંકવાદીઓએ 12 મેના રોજ તેની હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ ઘાટીમાં વાતાવરણ તંગ બની ગયું હતું. લાંબા સમય બાદ કાશ્મીરમાંથી પંડિતોની હિજરત જોવા મળી હતી. મોટાભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ તરફ ચાલ્યા ગયા હતા. રસ્તાઓ પર પણ મોટા પાયે વિરોધ જોવા મળ્યો હતો. રાહુલ ભટની મોત માટે ન્યાય માંગવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ આરોપ છે કે કાશ્મીરી પંડિતોને સુરક્ષાની કોઈ ગેરંટી આપવામાં આવી નથી.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ દ્વારા સતત ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતો ઉપરાંત બહારના કાર્યકરો, સરપંચોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઘાટીમાં વાતાવરણ બગાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સેના પણ ઓપરેશન ઓલઆઉટ દ્વારા આ આતંકવાદીઓની યોજનાઓને સતત નિષ્ફળ બનાવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકડા દર્શાવે છે કે 370 નાબૂદ થયા બાદથી ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમાંથી, 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, જ્યારે 5 ઓગસ્ટ, 2019 અને 4 ઓગસ્ટ, 2022ની વચ્ચે માત્ર 438 ઘટનાઓ બની હતી. આ સિવાય 370 નાબૂદ થયાના ત્રણ વર્ષ પહેલા કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 124 નાગરિકોના મોત થયા હતા.

To Top