Business

તેલ, અનાજના ભાવ આ રીતે જ વધતા રહ્યાં તો એ દિવસ દૂર નથી જ્યારે..

નવી દિલ્હી: વીતેલા એક વર્ષમાં ભારતમાં મોંઘવારી (Inflation) ચિંતાજનક હદે વધી છે. એક વર્ષમાં ખાણી-પીણીની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. સરકારના (Indian Government) પ્રયાસો છતાં ભાવ નિયંત્રણમાં નથી આવી રહ્યા. મીઠું પણ મોંઘું થયું છે. ગ્રાહક મંત્રાલયના ડેટા દર્શાવે છે કે એક વર્ષ પહેલા ચોખાની કિંમત 34.86 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 37.38 રૂપિયા થઈ ગઈ છે. ઘઉં 25 રૂપિયાથી વધીને 30.61 રૂપિયા જ્યારે લોટ 29.47 રૂપિયાથી વધીને 35 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

દાળના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો
તુવેરની દાળ એક વર્ષ પહેલા 104 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી જે હવે 108 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. અડદની દાળ 104 રૂપિયાથી વધીને 107 રૂપિયા પ્રતિ કિલો, મસૂર દાળ 88 રૂપિયાથી વધીને 97 રૂપિયા પ્રતિ કિલો અને દૂધ 48.97 રૂપિયાથી વધીને 52.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આરબીઆઈના અંદાજ મુજબ છૂટક ફુગાવાનો દર હજુ પણ 6 ટકાથી ઉપર રહેશે. ઉપભોક્તા મંત્રાલયે અનેક વખત ઓઈલ કંપનીઓ અને સંગઠનોને તેલની કિંમતો ઘટાડવા માટે આહ્વાન કર્યું છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ સતત તેલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. પરંતુ હજુ પણ ઓપન માર્કેટમાં તેલના ભાવ 150 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે.

એક વર્ષમાં આટલો ભાવ વધારો થયો

વસ્તુઓકિંમત
(8, ઑગસ્ટ, 22)
કિંમત
(ઓગસ્ટ 8, 21)
મગફળીનું તેલ188176
સરસવનું તેલ174
 
169
વનસ્પતિ તેલ154134
સોયા તેલ57148
સૂર્યમુખી તેલ180166
બટાકા2820
મીઠું2019

લોટ, મેંદા અને રવાની નિકાસ માટે જરૂરી ગુણવત્તા પ્રમાણપત્ર, 13 મે 2022ના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ લોટની નિકાસમાં વધારો થયો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મંજૂરી એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ (EIC) પાસેથી મેળવવી પડશે. તેના મુખ્ય કેન્દ્રો મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને કોલકાતામાં છે. હકીકતમાં, 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, લોટ, મેંદા અને રવાની નિકાસ અચાનક વધી ગઈ હતી. સ્થાનિક બજારમાં લોટની ઉપલબ્ધતા પર અસર થવાની આશંકા હતી. જેના કારણે કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. આને દૂર કરવા માટે, 12 જુલાઈએ, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ પણ લોટ, મેંદા અને રવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માલની નિકાસ માટે આંતર-મંત્રાલય જૂથની મંજૂરી જરૂરી રહેશે.

ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાના પ્રયાસો
સરકાર ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવો વધુ છે. જુલાઈ 2021માં છૂટક ફુગાવાનો દર (CPI) 5.59 ટકા હતો, તે જૂન 2022માં 7.01 ટકા હતો. જુલાઈમાં તેમાં નજીવો ઘટાડો થવાની ધારણા છે. વિશ્લેષકો માને છે કે તે 6.6 ટકાની આસપાસ રહી શકે છે. જુલાઈનો ડેટા 12 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

મોંઘવારીથી લોકો ત્રાહિમામ
છેલ્લાં એકાદ-બે વર્ષથી મોંઘવારીએ માઝા મુકી છે. તેલ, અનાજ, કઠોળ, શાકભાજીની કિંમતો હવે પોષાય તેમ રહી નથી. મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ મોંઘવારી પર કાબુ મેળવવાના કોઈ નક્કર પ્રયાસો દેખાઈ રહ્યાં નથી. આખાય વર્ષનું અનાજ ભરાવતી ભારતીય પ્રજા માટે હવે એ દિવસો દૂર નથી જ્યારે મજૂરોની જેમ એક એક દિવસનું તેલ અનાજ ખરીદવાની મજબૂરી ઉભી થાય.

Most Popular

To Top