Entertainment

‘હું 48 કલાકથી ઉંઘયો નથી હવે તો..’, લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલા આમિર ખાન નર્વસ

મુંબઈ: આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) ફિલ્મ (Film) લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) રિલીઝ (Release) થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આમિર ખાનનું ટેન્શન ઘણું વધી ગયું છે. વિવાદો વચ્ચે ફિલ્મ રિલીઝ થવાને કારણે આમિર ખાન પણ નર્વસ છે. તેઓ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યા નથી. ટેન્શને આમિર ખાનની ઊંઘ પણ ઉડાવી દીધી છે. હા, અભિનેતાએ પોતે જ કહ્યું છે કે આ વાત કબૂલ કરી છે કે ફિલ્મની રિલિઝ ડેટ નજીક આવતા તેને ઊંઘ નથી આવતી.

આમિર ખાન ઊંઘી શકતો નથી…
લાલ સિંહ ચઢ્ઢાના પ્રમોશન દરમિયાન મંગળવારે આમિરે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આમિરે કહ્યું કે તે તેની ફિલ્મને કારણે છેલ્લા 48 કલાકથી ઊંઘી પણ શક્યો નથી. આમિર ખાને કહ્યું- હું આ સમયે ખૂબ જ નર્વસ છું. 48 કલાક થઈ ગયા, હું સૂઈ નથી. હું મજાક નથી કરી રહ્યો. હું ખરેખર ઊંઘી શકતો નથી. મારું મન ખૂબ ઝડપે છે, તેથી હું પુસ્તકો વાંચું છું અથવા ઑનલાઇન ચેસ રમું છું. હવે હું 11 ઓગસ્ટ પછી જ ઊંઘી શકીશ.

ફિલ્મ રિલીઝ થયા પછી આમિર શું કરશે?
જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે તે 11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થયા પછી શું કરશે? અભિનેતાએ જવાબ આપ્યો- 11 ઓગસ્ટ પછી હું આરામથી સૂઈશ. મને લાગે છે કે અદ્વૈત અને હું જ શાંતિથી સૂઈ શકીશું અને જ્યારે અમે જાગીશું ત્યારે દર્શકો અમને કહેશે કે તેમને અમારી ફિલ્મ પસંદ આવી કે નહીં. વિવાદો વચ્ચે આમિર ખાનની ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર ખાન લીડ રોલમાં જોવા મળશે. તે જ સમયે, સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મમાં મોના આમિરની માતાનો રોલ કરી રહી છે. આમિર અને કરીનાની ફિલ્મ બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની રક્ષાબંધન સાથે ટક્કર થવાની છે. હવે જોવાનું છે કે આ ફિલ્મને બે મોટા સ્ટાર્સ તરફથી કેટલો પ્રેમ મળે છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના રિલિઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેને બૉયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આમિર ખાને વિવાદ શાંત પાડવામાંં કોઈ કસર નથી છોડી છતાં પણ કેટલાક યુઝર્સ દ્વારા ફિલ્મ બૉયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ સાથે અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મ પણ બૉયકટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top