Business

ગળા પર ઘા માર્યા બાદ કરંટ આપીને પતિની કરપીણ હત્યા કરી

વડોદરા: તદ્દન સામાન્ય ઘરેલું વાતોમાં પત્નીને પારાવાર ટોર્ચર કરતા બેકાર પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ મધરાત્રે કરપીણ હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ હતી.ફતેગંજ પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.
છાણી ટી.પી-૧૩ વિસ્તારમાં સોમેશ્વર મહાદેવ સામે વીએમસી ક્વાટર્સમાં ૪૨ વર્ષનો નવીન ગોરધનભાઇ શર્મા એ ૨૦૧૪માં રંજનબેન વાળંદ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા નવ વર્ષના લગ્ન જીવનમાં ૮ વર્ષના પુત્ર અને ૬ વર્ષની પુત્રી સાથે સહ પરિવાર રહેતો હતો.અને બાજુના જ ફ્લેટમાં નવીનના વયોવૃધ્ધ પિતા ગોરધનભાઇ અને માતા કૈલાસબેન રહે છે.બે સંતાનો બાદ પણ દંપતી વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. છૂટક ડ્રાઈવિંગ કરતો નવીન છેલ્લાં વીસ દિવસ થી કોઇ કામ ધંધો કરતો નહતો.જેથી આર્થીક સમસ્યા હલ કરવા રંજન આસપાસના બંગલાઓમાં ઘરકામ કરીને પરીવારનું પુરું કરતી હતી.ગઇ કાલે રાતે રંજન ઘેર આવી હતી અને પરિવારને ખીર ખવડાવી હતી.આ વખતે તેના બંને સંતાનો બાજુના ફ્લેટમાં પતિ નવીન પાસે હતા.જેથી રંજન પણ ત્યાં ગઇ હતી.પરંતું રોજના ગૃહ કલેશના કારણે કંટાળીને મધરાતે બાર વાગે બાળકોને લઇ સસરાના ફ્લેટમાં આવીને સુઈ ગઈ હતી.

વહેલી સવારે સાડા છ વાગે રંજન ઉઠીને તેના ઘરે ગઇ હતી. એકાએક રંજને શોર બકોર મચાવીને સસરાને બૂમ પાડી કે,પપ્પા જલ્દી આવો, નવીન નીચે પડી ગયા છે,બોલતા નથી. તુરંત દોડી આવેલા પિતાએ બેભાન નવીનને પાણી પીવડાવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પીતો ન હોવાથી કોઈ અજુગતી ઘટના ના આશંકાએ સારવાર અર્થે ૧૦૮ને બોલાવી હતી. તબીબી ટીમે શરીર પર ધ્યાન થી જોતા ગળા અને હાથે-પગે ઇજા નજરે પડી હતી. જેથી ફતેગંજ પોલીસને જાણ કરી હતી.લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાર બાદ પ્રાથમિક તપાસ માં જ નવીનની હત્યા થઇ હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે શકમંદોની કડકાઈ ભરી પૂછપરછમાં પત્ની રંજન ભાંગી પડી હતી અને કબૂલ્યું હતું કે,રાતે ચારિત્ર્ય પર શંકા કરી નવીને મને લાત મારી હતી.જેથી આવેશમાં આવીને મધરાત્રે લોખંડના રોડથી તેનું ગળું ઝનૂન પુર્વક દબાવી દીધું હતું.ત્યારબાદ પગે વાયર બાંધીને કરંટ આપ્યો હતો.જેથી ફતેગંજ પોલીસે મૃતકના પિતાની ફરીયાદ આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો ખુની પત્ની રંજનની ધરપકડ કરી ને વધુ પૂછપરછ કર્યા બાદ ઉચ્ચ પોલિસ અધિકારીએ ગુના અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિગતવાર જાણકારી આપી હતી.

Most Popular

To Top