National

10 વર્ષ બાદ પહેલીવાર વડાપ્રધાનની પીલીભીતમાં રેલી, રામમંદિર માટે કહ્યુ આવું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 9 એપ્રિલ મંગળવારે ચૂંટણી રેલી (Election rally) માટે પીલીભીત (Pilibhit) પહોંચ્યા હતા. પીએમ મોદી તેમના 10 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત અહીં પહોંચ્યા હતા. તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ તેમનું અહીં સ્વાગત કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિર ન બને તે માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. પરંતુ દેશની જનતાએ આટલું ભવ્ય મંદિર બનાવવા માટે એક-એક પૈસો આપ્યો. તેમજ મંદિરના લોકોએ કોંગ્રેસના બધા પાપો માફ કર્યા અને તેમને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કર્યા હતા. ત્યારે કોંગ્રેસે આમંત્રણને નકારીને ભગવાન રામનું અપમાન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠામાં ગયેલા નેતાને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.

પીએમ મોદીએ રામ મંદિર મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું
વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તેઓ (વિપક્ષ) કાલે પણ રામ મંદિરના નિર્માણને નફરત કરતા હતા અને આજે પણ નફરત કરે છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યા બાદ પણ કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો હતો. એટલું જ નહીં.

મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કહ્યું કે રામ મંદિરના આમંત્રણને નકારીને આ લોકોએ ભગવાન શ્રી રામનું અપમાન કર્યું છે. વિપક્ષમાંથી જેઓ અભિષેક સમારોહમાં સામેલ થયા હતા તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો મુસ્લિમ લીગનો ઢંઢેરો લાગે છે. સપા અને કોંગ્રેસ CAAનો વિરોધ કરી રહ્યા છે. તેમજ વિપક્ષી ગઠબંધન ભારતના ભાગલા પાડવાના ષડયંત્રમાં લાગેલું છે.

કોંગ્રેસે શક્તિનું ઘોર અપમાન કર્યું છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે પીલીભીતની ભૂમિ પર માતા યશવંતરી દેવીનો આશીર્વાદ છે. અહીં આદિ ગંગા મા ગોમતીનું મૂળ સ્થાન છે. આજે, નવરાત્રિના પ્રથમ દિવસે, હું દેશને એ પણ યાદ અપાવી રહ્યો છું કે કેવી રીતે ભારત ગઠબંધને શક્તિને ખતમ કરવાના શપથ લીધા હતા. આજે દેશમાં જે શક્તિની પૂજા થઈ રહી છે તેનું કોંગ્રેસે ઘોર અપમાન કર્યું છે. જેના આગળ આપણે માથું નમાવીએ છીએ તેવી શક્તીને ઉખાડીને ફેંકવાની વાત કોંગ્રેસના આ નેતાઓ કરી રહ્યા છે.

ભાજપ સરકારે શેરડીના ખેડૂતોની મુશ્કેલી ઓછી કરી
મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સપાના શાસનમાં શેરડીના ખેડૂતો કઇ રીતે પોતાના પૈસા માટે તડપતા હતા. આ વાત તમારા કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે? શેરડી પકવતા ખેડૂતોની સમસ્યાઓને ઓછી કરવા માટે ભાજપ સરકારે પૂરી તાકાતથી કામ કર્યું છે. જેના માટે ઘણી ખાંડની મિલો ખુલી છે. જે હાલ ઘણી વિસ્તરી રહી છે.

Most Popular

To Top