Entertainment

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો, AIIMSમાં દાખલ કરાયા

મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાનું સામે આવ્યું છે. અચાનક બગડતી તબિયતના કારણે રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની (Delhi) સરકારી હોસ્પિટલ એઈમ્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા છે. તેના ભાઈ અને પીઆરએ આ વાતની પુષ્ટિ કરી છે.

રાજુ શ્રીવાસ્તવનું શું થયું?
રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેમની સાથે અકસ્માત થયો. રાજુ શ્રીવાસ્તવને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુના પીઆરઓ અજીત સક્સેના કહે છે કે કોમેડિયન પાર્ટીના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હીમાં રોકાયા હતા. તે સવારે જીમ જઈ રહ્યો હતો, તે દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો.

કોમેડિયન વિશેના આ દુઃખદ સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે. ચાહકો રાજુ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ એક પ્રખ્યાત કોમેડિયન છે. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ છે. રાજુ શ્રીવાસ્તવને કોમેડીનો બાદશાહ માનવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષોથી રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા અને તેણે પોતાનું સપનું પણ પૂરું કર્યું. રાજુએ પોતાના કરિયરની શરૂઆત સ્ટેજ શોથી કરી હતી.

Most Popular

To Top