સુરત: (Surat) શહેરમાં કોરોનાને કારણે થતાં મોતની સંખ્યા વધી ગઈ છે. છતાં પણ તંત્ર દ્વારા મોતના આ આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે....
કર્ણાટક (KARNATAKA) માં પ્રવાસ કરતા જોડા સાથે અપમાનજનક વર્તનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બીજા ધર્મની યુવતી સાથે મુસાફરી કરતો 23 વર્ષીય યુવકને...
સુરત: (Surat) સ્થાનિક સ્તરે સર્ટિફિકેશન સેન્ટરના અભાવે સિન્થેટિક ડાયમંડ ઉત્પાદકોએ સર્ટિફેકેશન માટે વિદેશમાં હીરાનાં પાર્સલ મોકલવા પડી રહ્યાં છે. જેના લીધે પડતર...
સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) કોરોના સંક્રમણના કેસો મોટી સંખ્યામાં વધતા મનપા દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાની અપીલ કરવામાં...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીના એમડી અને કોરોના સંક્રમણને પગલે નિયુક્ત થયેલા સ્પેશલ ઓફિસર એમ.થેન્નારાસન, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ...
સુરત: (Surat) છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સુરતમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોના કેસનો...
કોવિડ -19 ચેપ (CORONA INFECTION) ના નવા મોજાને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે શનિવારે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે દેશવ્યાપી લોકડાઉનની (BANGLADESH GOVT...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના વિરથવા PHC સેન્ટરમાં કોરોના રસી (Vaccine) લીધાને આશરે દસેક દિવસ બાદ તા.૧ એપ્રિલે મલંગદેવના પ્રફુલભાઈ જેઠયાભાઈ ગામીત (ઉં.વ.૫૩)નું...
આઈપીએલ 2021 શરૂ થવાને હજુ થોડા જ દિવસો બાકી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર મળ્યા છે. તેના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર...
જયપુર : રાજસ્થાન(RAJSTHAN)નો બાડમેર જિલ્લા પડોશી પાકિસ્તાન (PAKISTAN) સાથે સરહદ (BORDER) ધરાવે છે. શુક્રવારે સાંજે 8 વર્ષીય નિર્દોષ કરીમ અચાનક પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો...
વિશ્વભરમાં છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો કહેર ચાલુ છે. કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION ) ની લહેર...
વડોદરા: તરસાલી પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. જયારે સાત વ્યક્તિ હજી સુધી સરકારી અને ખાનગી...
વડોદરા: શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું રામનાથ સ્મસાન અને રામનાથ તળાવની હાલત તંત્રની ઉપેક્ષાને કારણે કફોડી બની છે. ત્યારે વિસ્તારમાં સામાજીક કાર્યકર્તા...
RAJSTHAN : રાજસ્થાનના અલવર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન પોલીસે ખેડૂત નેતા રાકેશ...
મોસ્કો : રશિયામાં પૃથ્વી પર ભગવાન કહેવાતા ડોકટરોએ ( DOCTORS) કામ પ્રત્યેનો એટલો ઉત્કટ ઉદાહરણ બતાવ્યુ કે જેનું આખું વિશ્વ વખાણ કરી...
દેશ એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો સામનો કરી રહ્યો છે. કોરોના ચેપના બીજા તરંગની ગતિ ખૂબ જ ઝડપી...
વડોદરા : એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાની મદદ કરવાના બહાને ભેજાબાજ ગઠિયાએ વેપારીનંુ કાર્ડ બદલીને 32 હજાર ઉપાડી લેતા છેતરપિંડીનો ગુનો પાણીગેટ...
વડોદરા : વડોદરામાં કોરોનાંના વધતા જતા કહેર વચ્ચે મૃતદેહોની અંતિમક્રિયા માટે પણ શહેરના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.તેવામાં શહેર નજીક ઉંડેરા સ્મશાનમાં...
વડોદરા : સમગ્ર દેશમાં કોરોનાં નો આતંક વધવા માંડ્યો છે.ત્યારે સરકારે વિવિધ રાજ્યો તેમજ ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આર.ટી.પીસી આર...
ગાંધીનગર : કેન્દ્ર સરકાર (central govt) બાદ હવે ગુજરાત સરકારે (state govt) પણ એક પરિપત્ર (official letter) બાહર પાડી આ જાહેરાત કરી...
‘લવ જિહાદ’ શબ્દસમૂહ બહુ છેતરામણો છે. મુસ્લિમો પોતાના ધર્મની રક્ષા કરવા જે ઝુંબેશ ચલાવતા હતા તેને જિહાદ કહેવામાં આવતું હતું. તેવી રીતે...
વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની...
ઘણા મિત્રોને આપણે કહેતા સાંભળીએ છીએ કે ‘‘જ્યોતિષશાસ્ત્ર ખોટું છે, મોટાભાગના જ્યોતિષોની આગાહીઓ ખોટી પડે છે’’વાત સાવ સાચી છે પણ એમ તો...
કુકિંગ ગેસનો ભાવ 826 રૂપિયા પ્રતિ બોટલ છે. ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી ગયું છે. પ્રજા લાચાર છે. સરકાર સામે...
આપણે ત્યાં દહેજ લેવુ કે આપવુ ગુનો ગણવામાં આવે છે. જ્યારે તુર્કમેનિસ્તાનની છોકરી ખૂબ સુંદર ગણાય છે. હૈદરાબાદના નિઝામો પણ તુર્કમેનિસ્તાની સુંદરીઓ...
‘ માઈનસ અને પ્લસ ‘ આ બે શબ્દો ખૂબ મહત્ત્વના છે તે વિશે ક્યાંક વાંચ્યું જે જાણવા જેવું હોઈ અહીં રજૂ કર્યું...
ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો...
“પપ્પા મારે પણ ચાલવુ છે.અને મારે રમવું છે.આ કાલીઘેલી ભાષાનાં શબ્દો એક વર્ષ બાદ ધૈર્યરાજ તેના પિતાને એવા સમયે બોલશે તેના જયારે...
જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ...
દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક પ્રકારના ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે. તેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઘટક છે. તેનું અસ્તિત્વ જે કોઇ...
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
NEETની તૈયારી કરતો 21 વર્ષનો યુવક ‘બ્રિગેડિયર’ બની ફરતો હતો! બે ‘કમાન્ડો’ સાથે જમાવતો રુઆબ
જોડિયા લોકોનું અનોખું શહેર: જ્યાં દરેક ગલીમાં જોવા મળે એકસરખા ચહેરા, દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય
દેશના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક રામ મંદિરમાં દાનની રકમને લઈને ઉઠ્યા ગંભીર સવાલો
“વિદ્યાર્થીઓ કે નિષ્ફળ મંત્રી, PM મોદી એકને પસંદ કરે” ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે’ કોકરોચ ‘ ના અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
સુરતના નાસીરનગર તોડકાંડમાં PMOની એન્ટ્રી
પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓનો ઉગ્ર બખેડો: ટ્રેનમાં તોડફોડ
બંગાળ ભરતી કૌભાંડમાં EDનો મોટો એક્શન: TMC ધારાસભ્ય મદન મિત્રાના 7 ઠેકાણાઓ પર દરોડા,રાજકીય વર્તુળોમાં ખળભળાટ
રુબિયો: હોર્મુઝમાં નાકાબંધીનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં, ભારતે આપ્યો આ જવાબ
આયાતુલ્લાહ અલી ખામેનીને મશહાદમાં દફનાવવામાં આવશે, ઈરાને તારીખ જાહેર કરી
રામ મંદિર ચોરીની તપાસ SIT કરશે, યોગી સરકારે બે અઠવાડિયામાં અંતિમ રિપોર્ટ માંગ્યો
અફઘાનિસ્તાને ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો: ડેબ્યુ કરનારા હર્ષ અને ગુરનૂરે 3-3 વિકેટ ઝડપી
હરિયાણાથી કારમા રૂપિયા 4.67 લાખનો દારૂ ભરી લાવનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો
કુંભારવાડા ફાયરિંગ કેસમાં ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
TVFનો વધુ એક માસ્ટરસ્ટ્રોક, ‘ગુલક 5’એ દર્શકોના દિલ જીતી લીધા, માત્ર 5 દિવસમાં 7 મિલિયન વ્યૂઝ
આગામી 24 કલાકમાં US-અમેરિકા ડીલ થશે: પાકિસ્તાની PMના દાવાને ઇરાને નકાર્યો
વડોદરા : ભાડૂઆત બન્યો ‘ભરોસાનો ભક્ષક’! પ્લોટ અને ટેન્ડરના નામે રૂ.38 લાખ પડાવ્યા
WT20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત પાકિસ્તાન સામે ટકરાશે
સી-ફેસ પર વધતી ભીડને પગલે પાલિકાનો મહત્વનો નિર્ણય, ડુમસ સી-ફેસ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
રાજપીપળા નજીક વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, એકનું મોત, ત્રણનો આબાદ બચાવ
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આગામી આર્મી ચીફ બનશે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે
આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા, સુરતમાં 60 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
ઘરઆંગણે અમેરિકાનો ધમાકેદાર વિજય, પરાગ્વેને 4-1થી હરાવી વર્લ્ડ કપની શાનદાર શરૂઆત
ટેક્સાસમાં ભયાનક ગોળીબાર, 1નું મોત; 9થી વધુ ઘાયલ, રોબોટની મદદથી હુમલાખોર ઠાર
હૈદરાબાદમાં યુટ્યુબર મસૂદ ચાંદીની ક્રૂરતાથી હત્યા, સાળાએ મિત્રો સાથે ચાકુ મારીને હત્યા કરી
દુબઈ-અમદાવાદ ફ્લાઇટમાં સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ, ટોઇલેટમાં છુપાવાયું રૂ.4.26 કરોડનું સોનું
ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં ટેક્નિકલ સમસ્યા, લાખો લોકો પોસ્ટ અને મેસેજ કરી શક્યા નહીં
સુરત: (Surat) શહેરમાં કોરોનાને કારણે થતાં મોતની સંખ્યા વધી ગઈ છે. છતાં પણ તંત્ર દ્વારા મોતના આ આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. ‘ગુજરાતમિત્ર’ને મળેલા પુરાવા પ્રમાણે સ્મીમેર હોસ્પિ.માં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ હોય અને મોત થયાં હોય તેવા 8 દર્દીના (Patients) નામો છે. આ તો ખાલી સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) થયેલા મોતના આંકડા છે પરંતુ જો નવી સિવિલ હોસ્પિ. અને અન્ય ખાનગી હોસ્પિ.માં થતાં મોતના (Death) આંકડા પણ જો આમાં ઉમેરવામાં આવે તો સુરતમાં મોતની ભયાનકતા વધી જાય તેમ છે. બીજી તરફ તંત્ર દ્વારા શુક્રવારે થયેલા મોતનો આંક માત્ર 3નો જ બતાવ્યો છે. જે અતિ ગંભીર બાબત છે.

સુરતમાં કોરોનાની ભયાનકતા એટલી ચરમસીમા પર છે કે હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર મેળવવા માટે પરિવારજનોએ હોસ્પિ.માં કાકલુદી કરવી પડી રહી છે. હોસ્પિટલાઈઝ્ડ થયા બાદ કલાકોમાં જ કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યાં હોવાના દાખલાઓ પણ છે. સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક દર્દીની નજર સામે જ ચાર વ્યક્તિના કોરોનામાં મોત થઈ ગયા હતાં અને પાંચમાં દર્દી તરીકે તે વ્યક્તિ ખુદ મોતને ભેટી ગયા હતાં. સુરતમાં કોરોનામાં મોતની આવી હાલત હોવા છતાં પણ તંત્ર દ્વારા કોરોનાના મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં હોવાનું સાબિત થઈ રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં શુક્રવારે કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા હોવા છતા સુરત મનપા દ્વારા બહાર પાડવામાં આવતી પ્રેસ યાદીમાં સ્મીમેર હોસ્પિટલનું એકપણ મોત દર્શાવવામાં આવ્યું ન હતું.
સ્મીમેરમાં આઠના મોતના આ છે પૂરાવા
સુરત મનપા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસયાદીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓના મોતની માહિતી દર્શાવવામાં આવી છે. પરંતુ સ્મીમેરના પીએમ ચોપડામાં થયેલી નોંધ પ્રમાણે, પાંડેસરાની 75 વર્ષીય મહિલા દર્દી, નંદુરબારના 68 વર્ષના વૃદ્ધ, પરવટ પાટીયાના 74 વર્ષીય વૃદ્ધ, કતારગામની 75 વર્ષીય વૃદ્ધા, કાપોદ્રાના 80 વર્ષીય વૃદ્ધ, રાંદેર તાડવાડી વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધ, નવાગામના 55 વર્ષીય આધેડ અને ડિંડોલીના 62 વર્ષીય વૃદ્ધના મોત થયા છે. જેને પગલે તંત્ર દ્વારા કોરોનામાં થતાં મોતનો આંક છુપાવવામાં આવી રહ્યો હોવાની આશંકા પ્રબળ બની છે.

શું કહે છે સ્મીમેરના સત્તાધીશો
સ્મીમેર હોસ્પિટલના સિનીયર આરએમઓ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની તમામ કામગીરીનો ડેટા સુરત મહાનગર પાલિકાને સતત મોકલવામાં આવે છે. મોત અંગેની માહિતી બાબતે હું કશું કહી શકું તેમ નથી. જયારે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિ. ડો. વંદનાબેન દેસાઇએ પણ મનપાના આરોગ્ય વિભાગને આ ખબર હોવાનું જણાવ્યું હતું.
કયા મોતને કોરોનામાં ગણવું તે ડેથ ઓડિટ કમિટી નક્કી કરે છે: મ્યુનિ.કમિ.
તંત્ર દ્વારા સુરતમાં કોરોનામાં થતાં મોતના આંકડાઓને છુપાવવામાં આવી રહ્યાં હોવા અંગે મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ કોરોનામાં મોત કોને ગણવું તે મનપા તંત્ર નક્કી કરતું નથી. આ માટે સરકાર દ્વારા ડેથ ઓડિટ કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા જ કોરોના થયેલા મોત નિયત કરવામાં આવે છે. કોરોનામાં મોતના આંકને મહાપાલિકા સાથે લાગેવળગતું નથી.