Top News

More Posts

   The Latest

Most Popular

ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતી તણાવ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર વાતચીત કરી હતી. મોડી રાત્રે યોજાયેલી સીસીએસ બેઠક બાદ થયેલી આ ચર્ચામાં ગલ્ફ પ્રદેશમાં થયેલા હુમલાઓની ગંભીરતાને કેન્દ્રમાં રાખી નિંદા કરવામાં આવી. પીએમ મોદીએ બંને નેતાઓને ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસોને વખાણ્યા અને પ્રાદેશિક શાંતિ માટે મહત્વપૂર્ણ પગલાંની અપિલ કરી. યુએઈ સાથેની ચર્ચામાં પીએમ મોદીએ ખાસ કરીને ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા બદલ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદનો આભાર માન્યો હતો. મોદીએ જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈ સાથે ઊભું છે અને આ તણાવ ઘટાડવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમનાં કહેવા મુજબ, “અમે UAEમાં રહેતા આપણા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહ્યા છીએ.”

ઇરાની હુમલામાં છેલ્લા બે દિવસમાં UAEમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાં એક ભારતીય નાગરિક પણ સામેલ છે અને 58થી વધુ લોકો ઘાયલ થયા છે. પીએમ મોદીએ ઈઝરાયલ સાથે વાતચીતમાં શાંતિ માટે અપીલ કરી અને ગલ્ફ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રિત કરવા માટે બંને દેશોને પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી. ભારત તાજેતરના તણાવને ગંભીરતાથી જોઈ રહ્યું છે અને તમામ આંતરરાષ્ટ્રીય સંપર્કો દ્વારા ભારતીય સમુદાયની સુરક્ષા અને પ્રદેશની સ્થિરતા સુનિશ્ચિત કરવા પ્રયાસો કરી રહ્યું છે.

To Top