Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ભારતના (India) ‘જેમ્સબોન્ડ’ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor) અજીત ડોભાલના ‘મિશન મધ્ય એશિયા’ના (Central Asia Mission) કારણે પાકિસ્તાનની (Pakistan) શહેબાઝ શરીફ (Shehbaz Sharif) સરકાર તણાવમાં આવી ગઈ છે. આ જ કારણ છે કે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે લાંબા અંતરાલ બાદ દક્ષિણ એશિયાના (South Asia) દેશોની સંસ્થા સાર્કનું (SAARC) રટણ શરૂ કર્યું છે. એટલું જ નહીં, કાશ્મીરી આતંકવાદીઓને પોષનાર પાકિસ્તાને ઉલટું ભારત પર આતંકવાદી (Terrorist) ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનની ખૂબ નજીક મધ્ય એશિયાઈ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે પહેલીવાર વિશેષ બેઠક કરી છે. ડોભાલની આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તુર્કમેનિસ્તાનના રાજદૂત પણ હાજર હતા. આ બેઠકમાં ડોભાલે કહ્યું કે આતંકવાદ માટે પૈસા લોહી સમાન છે અને તેને રોકવું પ્રાથમિકતા હોવી જોઈએ. આ દરમિયાન આતંકવાદ અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર વિશેષ ચર્ચા થઈ હતી, જે મધ્ય એશિયાઈ દેશોનો પાડોશી દેશ છે અને બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર તણાવ છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાદેશિક જોડાણ વધારવું પડશે. ભારત અફઘાનિસ્તાન અને ઈરાનના ચાબહારના રસ્તે મધ્ય એશિયાના દેશો સાથે વેપાર વધારવાની યોજના બનાવી રહ્યું છે.

પાકિસ્તાની PMએ સાર્કને પુનર્જીવિત કરવાની જાહેરાત કરી
આ દરમિયાન તાલિબાને પણ જાહેરાત કરી છે કે તે ભારતને સંપૂર્ણ સમર્થન અને સુરક્ષા આપશે. આ દરમિયાન પાકિસ્તાન ભારતની આ યોજનાથી અલગ પડી રહ્યું છે અને તેણે સાર્કનો મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝાહરાએ દાવો કર્યો છે કે કાશ્મીરી આતંકવાદીઓને પોષણ આપે છે, તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણીના નક્કર પુરાવા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ તરફ ધ્યાન આપવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદને વેગ આપી રહ્યું છે.

બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જાહેરાત કરી છે કે તેઓ સાર્ક સમિટની બેઠકની પ્રક્રિયા ફરીથી શરૂ કરશે. તેમણે કહ્યું કે સાર્કને પુનઃજીવિત કરવાની પાકિસ્તાનની ઈચ્છા છે. શહેબાઝ શરીફે યાદ અપાવ્યું કે પ્રાદેશિક વિકાસ, કનેક્ટિવિટી અને સહયોગની નિષ્ફળતાને કારણે દક્ષિણ એશિયાના લોકોએ સહન કરવું પડ્યું છે. તેમણે કહ્યું, ‘પાકિસ્તાન સાર્કના પુનરુત્થાનમાં પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.’ છેલ્લા 6 વર્ષથી સાર્કની કોઈ બેઠક થઈ નથી. તેનું કારણ એ છે કે ભારત પાકિસ્તાનમાં યોજાનારી શિખર બેઠકનો વિરોધ કરી રહ્યું છે.

આતંકવાદ અને વાતચીત એક સાથે નથી શક્ય નથી, ભારતે પાકિસ્તાનને ટોણો માર્યો
પાકિસ્તાને નવેમ્બર 2016માં સાર્ક સમિટનું આયોજન કરવાનું હતું પરંતુ બાંગ્લાદેશ, ભૂતાન, અફઘાનિસ્તાન ભારતની સાથે આવવાને કારણે તે થઈ શક્યું નહીં. સાર્કની છેલ્લી બેઠક વર્ષ 2014માં મળી હતી. પાકિસ્તાન પર નિશાન સાધતા ભારતે સ્પષ્ટ કહ્યું છે કે સાર્ક સમિટ માટે અત્યારે વાતાવરણ યોગ્ય નથી. ભારતે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પાર આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત થઈ શકે નહીં.

To Top