પાણીની મુખ્ય લાઇન તૂટતા મકાનોના પાયા બેસી ગયા, દીવાલોમાં ભયજનક તિરાડોસ્થાનિકોમાં આક્રોશ: “બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી અને તાત્કાલિક વળતર આપો”(પ્રતિનિધિ), વડોદરા,...
બપોરે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા વજેવાલ ગામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું (પ્રતિનિધિ) નડિયાદ, તા.22યાત્રાધામ...
કાલોલ, તા. 24/04/2026કાલોલ તાલુકાના વરવાળા ગામના ગમીરપુરા વિસ્તારમાં એક સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો...
અમેરિકા-ઈરાન યુદ્ધ તણાવની અસરથી પ્રવાસ અંગે લોકો મૂંઝવણમાં ટ્રાવેલ સેક્ટરમાં અસમંજસની સ્થિતિ,એક મહિનાને બદલે હવે માત્ર 10 દિવસ અગાઉ જ બુકિંગનો ટ્રેન્ડ...
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી રાહુલ મીણાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રાહુલે 21 વર્ષીય મહિલાનું...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે શુક્રવાર સુધીમાં સારા સમાચાર આવી શકે...
સમય સર મેડિકલ સહાય ના મળતા ગુમાવ્યો જીવ,એક કલાકની રાહ જોયા બાદ 56 વર્ષીય દિલીપભાઈએ દેહ છોડ્યો ઘટના બાદ પરિવાર પર આભ...
દેશમાં હવાઈ મુસાફરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સાથે ઇથેનોલના મિશ્રણને મંજૂરી આપી છે. આ...
ટેસ્ટિંગ કર્યા વિના જ ઉતાવળે રોડ બનાવી દેતા લાખોના ખર્ચ પર પાણી ફરી વળ્યું; સ્થાનિકોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે રોષ વડોદરા: સંસ્કારી...
શહેરના વિવિધ વોર્ડ મુજબ રિસીવિંગ, ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની જાહેરાત (પ્રતિનિધિ), વડોદરા. તા.22 વડોદરા જિલ્લામાં આગામી તા. 26/04/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની...
મિનીપ્લેક્સ, PG અને પ્રિ-સ્કૂલ માટે નવી ગાઈડલાઈન તૈયાર; બાંધકામ ક્ષેત્રે ફેલાયેલી અનિશ્ચિતતાના વાદળો વિખેરાશે વડોદરા: રાજ્યના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં લાંબા...
બુધવારે (૨૨ એપ્રિલ, ૨૦૨૬), ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી ગણાવવાના નિવેદન બદલ ચેતવણી આપી....
આરટીઈ પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર, પ્રથમ રાઉન્ડ ચોથીએ જાહેર થશે જુનમાં સ્કૂલો શરૂ થતા પહેલા 3 રાઉન્ડની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થવામાં હવે...
શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાનું સઘન અભિયાન (પ્રતિનિધિ), વડોદરા. તા.22 વડોદરા મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી...
21 અને 26 એપ્રિલે પ્રસ્થાન અમદાવાદ ઉનાળાની રજાઓ દરમિયાન વધતી મુસાફરોની સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી–દુર્ગાપુર વચ્ચે સમર...
સુપ્રીમ કોર્ટે બુધવારે I-PAC દરોડા કેસમાં EDની અરજી પર સુનાવણી કરી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ દરમિયાન CM મમતા બેનર્જીની દખલગીરીની...
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારત તરફ જઈ રહેલા એક જહાજને અટકાવ્યું અને જપ્ત કર્યું છે. ઈરાને આરોપ...
નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે પદ સંભાળ્યાના માત્ર 26 દિવસમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે (22 એપ્રિલ, 2026) તેમણે...
ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોના જીવ લીધા હતા. આજે આ જઘન્ય આતંકવાદી હુમલાને એક...
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બીજી બાજુ નેતાઓ નિવેદનબાજી...
અમદાવાદ: લોકસભામાં બંધારણીય સુધારા બિલને લઈને સરકારના પ્રયાસો વિપક્ષની એકતાના કારણે નિષ્ફળ ગયા છે, જે લોકશાહી અને બંધારણની જીત છે. વિપક્ષે સંઘીય...
મુખ્યમંત્રીની સભા માટે પણ ખર્ચ ન થતાં કાર્યકરોમાં નારાજગી; સંગઠનના હોદ્દેદારો પોતાના ગજવાં ભરવામાં વ્યસ્ત હોવાના આક્ષેપોની ચર્ચા તેજવડોદરા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં...
ગાંધીનગર: ગુજરાત ત્રાસવાદ વિરોધી સ્કવોર્ડ (ATS) એ સોશિયલ મીડિયા દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા અને ભારતમાં ઇસ્લામિક શાસન એટલે કે ‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાનું કાવતરું...
મકરપુરામાં મહિલાઓએ નિમિશા પંચાલને આડે હાથ લીધા; કહ્યું- “નવા હોવાનું બહાનું નહીં ચાલે, 15 વર્ષથી પાણી માટે વલખાં મારીએ છીએ” વડોદરામાં સ્થાનિક...
દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક યુવતીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો અનુસાર પીડિતાનું મોબાઇલ ફોન ચાર્જર કેબલથી ગળું દબાવીને આ ગુનો...
SP ડૉ હરેશ દુધાતે બાળકોને ઓફિસમાં નાસ્તો કરાવી દિલ જીત્યા અને પરિવારને સોંપ્યા પ્રતિનિધિ ગોધરા તા.22 પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય...
ગાંધીનગર,તા.21સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે દાહોદ જિલ્લાના ગરબડા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની દાયકાઓ જૂની રાજનીતિ...
ગાંધીનગર,ગુજરાતમાં આર્થિક સંકડામણનો લાભ ઉઠાવી નિર્દોષ નાગરિકોનું લોહી ચૂસતા વ્યાજખોરો સામે રાજ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ....
ગાંધીનગર,બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિપક્ષી નેતૃત્વ અને કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ પર આકરા પ્રહારો...
પ્રતિનિધિ ગોધરા તા.22 આગામી તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ યોજાનારી ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવવા અને મતદારોને...
લોકપ્રિય ફોક હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના ચાહકો માટે એક મોટી ખુશખબર આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી તેની સિક્વલ ‘તુમ્બાડ 2’ની રિલીઝ તારીખ હવે સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. સોહમ શાહની આ ફિલ્મ ફરી એકવાર દર્શકોને ભય અને રહસ્યની દુનિયામાં લઈ જવાની તૈયારીમાં છે. આજરોજ બુધવાર, 29 એપ્રિલ, 2026ના રોજ ફિલ્મના નિર્માતાઓએ ‘તુમ્બાડ 2’ની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સોહમ શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો પોસ્ટર શેર કરીને આ માહિતી આપી હતી. માહિતી અનુસાર, ‘તુમ્બાડ 2’ ફિલ્મ 3 ડિસેમ્બર, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે, દર્શકોને આ ફિલ્મ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે, પરંતુ ફિલ્મની જાહેરાત સાથે જ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.
સોહમ શાહે પોસ્ટ સાથે એક રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું, ‘એક પાપી ભૂતકાળ, એક અશુભ ભવિષ્ય. ભૂખ વધે છે, લોભનો વારસો ચાલુ રહે છે…’ આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે ‘તુમ્બાડ 2’માં પણ પહેલાની ફિલ્મ જેવી જ ડાર્ક અને રહસ્યમય સ્ટોરી જોવા મળશે. ‘તુમ્બાડ’ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તેમજ સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મની અનોખી કહાની, દ્રશ્યો અને લોકકથાઓ પર આધારિત હોરર તત્વોએ તેને ખાસ બનાવી હતી. હવે ‘તુમ્બાડ 2’માં આ કહાનીને આગળ વધારવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન આદેશ પ્રસાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ, આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. નવાઝુદ્દીનની એન્ટ્રીથી ફિલ્મ માટેનો ઉત્સાહ વધુ વધી ગયો છે, કારણ કે તેઓ પોતાના શક્તિશાળી અભિનય માટે જાણીતા છે. ફિલ્મની કહાની વિશે હજી વધુ વિગતો બહાર આવી નથી, પરંતુ અનુમાન છે કે આ ભાગમાં લોભ, ભય અને માનવીય કમજોરીઓને વધુ ઊંડાણથી બતાવવામાં આવશે. ‘તુમ્બાડ’ના પ્રથમ ભાગમાં જેમ એક રહસ્યમય ખજાના અને તેના પાછળ છુપાયેલા ભયાનક સત્યની વાત હતી, તેમ સિક્વલમાં પણ કોઈ નવી રહસ્યમય દુનિયા સામે આવી શકે છે.
‘તુમ્બાડ 2’નું પોસ્ટર પણ ખૂબ જ આકર્ષક અને રહસ્યમય લાગે છે, જે દર્શકોમાં કૌતૂહલ જગાવે છે. ફિલ્મમેકર્સે આ વખતે વધુ મોટા સ્તરે અને વધુ અસરકારક રીતે કથાને રજૂ કરવાની તૈયારી કરી છે. આજકાલ બોલિવૂડમાં સિક્વલ ફિલ્મોનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ દરેક સિક્વલ સફળ થાય એવું નથી. જોકે, ‘તુમ્બાડ’ જેવી મજબૂત ફિલ્મના કારણે ‘તુમ્બાડ 2’ પાસેથી અપેક્ષાઓ પણ ખૂબ ઊંચી છે. આ ફિલ્મ માત્ર હોરર નહીં, પરંતુ એક મજબૂત સ્ટોરી અને મેસેજ સાથે આવશે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ‘તુમ્બાડ 2’ પહેલી ફિલ્મ જેટલી જ અસરકારક સાબિત થાય છે કે નહીં. ઇંતેજાર ખૂબ લાંબો છે પણ ચાહકો એની સિકવલ આવવાના અનાઉસમેન્ટથી જ ઉત્સાહિત થઈ ગયા છે અને હવે 3 ડિસેમ્બર, 2027ની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ ફિલ્મ મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરશે.