ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
વાઘના વંશવેલાના સંવર્ધન માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ
સાગટાળા અને કજેટા રેન્જમાં વાઘની સતત દેખરેખ, 14 નાઈટ વિઝન કેમેરાથી મોનિટરિંગ
NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટની ટીમે વનકર્મીઓને આપી વિશેષ તાલીમ
દાહોદ, તા. 29
ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દાહોદના જંગલોમાં મધ્યપ્રદેશથી આવેલા વાઘે વસવાટ શરૂ કર્યો છે ત્યારે આ વિસ્તારમાં વાઘનો કાયમી વસવાટ અને તેના વંશવેલાનું સંવર્ધન થાય તે હેતુથી રાજ્ય સરકાર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મધ્યપ્રદેશમાંથી બે વાઘણોને દાહોદના જંગલ વિસ્તારમાં લાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વન વિભાગ દ્વારા વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનાના અંતમાં NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII), દહેરાદૂનની ટાઈગર સેલની નિષ્ણાત ટીમોએ દાહોદની મુલાકાત લઈને સ્થાનિક વનકર્મીઓને ત્રણ દિવસ સુધી વિશેષ તાલીમ આપી હતી.
તાલીમ દરમિયાન વાઘના સંરક્ષણ, દેખરેખ, સુરક્ષા અને મોનિટરિંગ સહિતની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, વાઘના પંજાના નિશાન પરથી નર અને માદા વાઘની ઓળખ કેવી રીતે કરવી તેની પણ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
હાલમાં દાહોદ નજીક આવેલા સાગટાળા જંગલ વિસ્તારમાં વાઘની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાઘના ચોક્કસ લોકેશન અને તેની હલનચલન અંગે માહિતી મેળવવા માટે જંગલ વિસ્તારમાં 14 જેટલા અત્યાધુનિક નાઈટ વિઝન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં વાઘ દાહોદની કજેટા અને સાગટાળા રેન્જ વિસ્તારમાં સ્થાયી થયેલો જોવા મળ્યો છે. ટૂંક સમયમાં મધ્યપ્રદેશથી બે વાઘણોને અહીં લાવીને જંગલમાં મુક્ત કરવામાં આવશે, જેથી આ વિસ્તારમાં વાઘની પ્રજાતિનો વિકાસ અને સંવર્ધન થઈ શકે.
વન્યજીવ નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ સફળ બનશે તો ગુજરાતના વન્યજીવ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ દાહોદ રાજ્યના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ