SURAT

ભારતમાં પ્રથમ વખત: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રારંભિક ભૂકંપની તપાસ માટે લાગશે 28 સિસ્મોમીટર

સુરત: (Surat) ભૂકંપ (Earth quack) દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદહાઇ-સ્પીડરેલકોરિડોર) માટે ભૂકંપની તપાસ માટે 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત આ પ્રારંભિક ભૂકંપ શોધ પ્રણાલી પ્રાથમિક તરંગો દ્વારા ધરતીકંપ-પ્રેરિત આંચકાઓને શોધી કાઢશે અને ઓટોમેટિક પાવર શટ ડાઉન કરશે. જ્યારે વીજ શટ ડાઉનની જાણ થશે ત્યારે આકસ્મિત બ્રેક્સ સક્રિય કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી ટ્રેનો બંધ થઈ જશે.

  • ભારતમાં પ્રથમ વખત: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રારંભિક ભૂકંપની તપાસ માટે 28 સિસ્મોમીટર
  • પ્રાથમિક તરંગો દ્વારા ધરતીકંપ-પ્રેરિત આંચકાઓને શોધી કાઢશે અને ઓટોમેટિક પાવર શટ ડાઉન કરશે
  • વીજ શટ ડાઉનની જાણ થશે ત્યારે આકસ્મિત બ્રેક્સ સક્રિય કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી ટ્રેનો બંધ થઈ જશે

28 સિસ્મોમીટરમાંથી 22 સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. આઠ મહારાષ્ટ્રમાં હશે જે મુંબઈ, થાણે, વિરાર અને બોઈસરમાં હશે અને 14 ગુજરાતમાં હશે જે વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદમાં હશે. સિસ્મોમીટર્સ ટ્રેક્શન સબ-સ્ટેશનો અને એલાઇનમેન્ટની સાથે સ્વિચિંગ પોસ્ટ્સમાં સ્થાપિત કરવામાં આવશે.

બાકીના છ સિસ્મોમીટર (જેને આંતરિક સિસ્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે) નજીકના ધરતીકંપની શક્યતા ધરાવતા વિસ્તારો – મહારાષ્ટ્રના ઘેડ, રત્નાગિરિ, લાતુર અને પાંગરી અને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં સ્થાપિત કરવામાં આવશે. એમએએચએસઆર ગોઠવણીની નજીકના વિસ્તારો, જ્યાં છેલ્લા 100 વર્ષોમાં 5.5 થી વધુ તીવ્રતાના ધરતીકંપો આવ્યા છે, ત્યાં જાપાનના નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સૂક્ષ્મ કંપન પરીક્ષણ દ્વારા વિગતવાર સર્વેક્ષણ અને માટીની યોગ્યતાના અભ્યાસ પછી, ઉપરોક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.

Most Popular

To Top