Vadodara

વિકાસપુરુષ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે મધ્ય ગુજરાતમાં ‘વિકાસ’ની આ છે વરવી વાસ્તવિક્તા

       પાવી જેતપુર: છોટાઉદેપુર જીલ્લાના સરહદી ગામ દીયાવાંટમાં પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં બાળકોને બેસાડવા માટે એક પણ ઓરડો નથી. વહીવટી તંત્રની બેદરકારીના કારણે અહીના આદીવાસી બાળકો શિક્ષણથી વંચીત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છોટાઉદેપુર તાલુકાના મધ્ય પ્રદેશની સરહદે આવેલા દીયાવાંટ ગામમાં ૧ થી ૫ ધોરણની શાળા આવેલી છે. આ પ્રાથમીક શાળાના બંને ઓરડાની હાલત ખૂબ જ ખરાબ છે.

આ શાળાના એક ઓરડામાં તો જાણે દીવાલમાં ટીવી મૂક્યું હોય તેમ મોટું ગાબડું પડ્યું છે. જેમાથી સૂર્ય પ્રકાશ ઓરડામાં આવે છે. અને ઉપરના પતરામાથી પણ જાણે આકાશ નજરે પડે તેવા પોલા થઈ ગયા છે. જ્યારે બીજા ઓરડામાં આચાર્યની ઓફિસ બનાવી છે. જેમાં પણ શિક્ષણકાર્ય કરાવતા હોવાનું જણાવી રહ્યા છે. આ ઓરડાની દીવાલોમાં મોટી મોટી તીરાડો પડી ગઈ છે. પતરા પણ પોલા થઈ ગયા છે. જેમાથી ચોમાસા દરમીયાન પાણી પણ ટપકે છે. અને ગમે ત્યારે ઓરડા પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વની વાત એ છે કે હાલ તો ૧ થી ૫ ધોરણના બાળકોને શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

પરંતુ આગામી સમયમાં જ્યારે શાળા શરૂ થશે ત્યારે આટલા બધા બાળકોને શિક્ષણ કાર્ય કરવા બેસાડવા ક્યા? તે સવાલ સ્થાનિક શિક્ષકો માટે માથાનો દુખાવો થઈ પડ્યો છે. દીયાવાંટ પ્રાથમીક શાળાના ઓરડા વર્ષ ૧૯૮૬ – ૮૭ માં બનાવ્યા હતા. જે સંકલીત આદીજાતી વિકાસ પ્રાયોજના વિભાગ તરફથી બનાવવામાં આવ્યા હતા. સરહદી વિસ્તારના આદીવાસીઓ માટે શિક્ષણ, આરોગ્ય અને રસ્તા માટે ટ્રાઈબલની અલગથી ગ્રાંટ પણ ફાળવાવામાં આવે છે તેમ છતાય છતાં વહીવટી તંત્ર આ ગામના બાળકો માટે ઓરડાની વ્યવસ્થા કરી શક્યું નથી.

અત્યારે તો શેરી શિક્ષણ ચાલે છે

??????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

( અમારી શાળામાં ૯૮ બાળકોની રજીસ્ટર સંખ્યા છે. ૩ શિક્ષકો ફરજ બજાવે છે. અત્યારે તો શેરી શિક્ષણ ચાલે છે. અમારી શાળામાં બે ઓરડા છે બંને ઓરડા એકદમ જરજરીત છે. અમે દરખાસ્ત કરેલી જ છે. ૨૭/૧૨/૨૦૧૭ ના રોજ ઓરડા તોડવાની મંજૂરી મળેલી છે. પરંતુ નવા બનાવવાની મંજૂરી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી જૂના પાડવા નહિ તેવી લેખિત સૂચના અમને મળી છે. લોકડાઉન પહેલા ગામમાં એક જગ્યાએ અને શાળાના કંપાઉંડમાં બાળકોને બેસાડતા હતા.)
– હમીરભાઈ રાઠોડ, આચાર્ય, પ્રાથમિક શાળા

( અમારા ગામની શાળા ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. પતરાં ઝરી ગયા છે. નીચે પથ્થર નથી. છોકરા બેસાડવાની કોઈ વ્યવસ્થિત જ્ગ્યા નથી. સરકાર નવી શાળા માટે મંજૂરી આપે અને તે નવી જગ્યા પર કે જે જગ્યા મોટી છે. તો ત્યાં શાળા બનાવે તેવી અમારી વિનંતી છે.)
– મગનભાઇ રાઠવા, સ્થાનિ આગેવાન

( અમારા ગામની સ્કૂલની હાલત ખૂબ ખરાબ છે. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે તો અમારે બાળકોને બેસાડવા ક્યાં ? અત્યારે બેસવાની જગ્યા જ નથી. ઓરડા તો જરાજરીત છે. નીચે તળીયા નથી, ઉપર પતરાં ખલાસ થઈ ગયા છે. દીવાલ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. સરકાર અમને સ્કૂલ બનાવી આપે તેવી અમારી અમારી માંગણી છે.)
રમેશભાઈ રાઠવા, સ્થાનિ આગેવાન

Most Popular

To Top