Entertainment

રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરા લગ્ન કરી રહ્યા છે! આ ફેમસ એક્ટરે ફોન કરી આપ્યા અભિનંદન

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) હાલ પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણી ચર્ચામાં છે. પરિણીતી અને AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) વચ્ચે શું રિલેશનશીપ છે તે જાણવામાં દરેકને રસ છે. ચાહકોની નજર પરિણીતી-રાઘવ ચઢ્ઢાની વારંવારની મુલાકાતો પર ટકેલી છે. ત્યારે ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’માં પરિણીતી સાથે કામ કરનાર ફેમસ એક્ટર હાર્ડી સંધુએ (Harrdy sandhu) પરિણીતીને કોલ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ વાત જાતે જ હાર્ડીએ કબૂલ કરી છે. જો કે હજુ સુધી પરિણીતી અને રાઘવ તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

શું કહ્યું હાર્ડી સંધુએ?
પંજાબી સિંગર-એક્ટર હાર્ડી સંધુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું- હું ખૂબ જ ખુશ છું કે આખરે આવું થઈ રહ્યું છે. હું પરિણીતીને શુભેચ્છા પાઠવું છું. તમે જાણો છો, હાર્ડી સંધુ અને પરિણીતીએ 2022માં રિલીઝ થયેલી સ્પાય થ્રિલર ‘કોડ નેમ – તિરંગા’માં કામ કર્યું હતું. હાર્ડીએ જણાવ્યું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે અને પરિણીતી લગ્નની વાત કરતા હતા. અભિનેતાએ કહ્યું- જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરતા હતા ત્યારે અમે લગ્નની વાત કરતા હતા. પરિણીતી મને કહેતી હતી – હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને લાગશે કે મેં મિસ્ટર રાઈટ શોધી કાઢ્યો છે, હાર્ડીએ જણાવ્યું કે તેણે પરિણીતી ચોપરા સાથે તાજેતરમાં વાત કરી હતી. અને હા, મેં તેને ફોન કર્યો અને અભિનંદન આપ્યા હતા.

AAP સાંસદે કહ્યું- હૃદયપૂર્વક અભિનંદન આપું
પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેઓ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા હતા. બંન્ને વારંવાર લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા પછી ચાહકો વચ્ચે તેમના સંબંધોની ચર્ચા જોર પકડે છે. AAP સાંસદ સંજીવ અરોરાના ટ્વીટએ આ અટકળોને વેગ આપ્યો હતો. સંજીવે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનો ફોટો શેર કરીને બંનેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે બંનેનો સાથ પ્રેમ, આનંદ અને સાથીદારીથી ભરેલો રહે. મારી શુભેચ્છાઓ!

રાઘવ-પરિણીતીએ મૌન જાળવ્યું
AAP નેતાના ટ્વિટ બાદ જ્યારે પરિણીતી એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યારે પાપારાઝીએ અભિનેત્રીને રાઘવ ચઢ્ઢાને લગતા પ્રશ્નો પૂછ્યા ત્યારે પરિણીતી શરમાતી રહી અને કશું બોલ્યા વગર એરપોર્ટથી નીકળી ગઈ. બીજી તરફ રાઘવ ચઢ્ઢા પણ પરિણીતીને લગતા પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા પાપારાઝીના સવાલ પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું – તમે મને રાજનીતિ અંગેના પ્રશ્નો પૂછો છો, પરિણીત સાથે જોડાયેલા પ્રશ્નો ન પૂછો. પરિણીતી ચોપરા ગુરુવારે દિલ્હી આવી હતી. આ દરમિયાન રાઘવ ચઢ્ઢા તેમને એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચ્યા હતા. પરિણીતીએ ઈન્સ્ટા પર દિલ્હી મુલાકાતની તસવીરો પણ શેર કરી છે. આમાં તે મોમોઝ એન્જોય કરતી જોવા મળી હતી. અભિનેત્રીની સાથે તેનો ભાઈ પણ દિલ્હીમાં જોવા મળ્યો હતો.

Most Popular

To Top