આણંદ : ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પર આવેલી નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલમાં કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ...
સંતરામપુર :`ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર છેલ્લાં સવા મહિનાથી આર.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરીને...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવા -બારડોલી (Bardoli) રોડ પર બીડ ગામની સીમમાં આંટીયા ફળિયા પાટિયા ખાતે ટેમ્પોએ (Tempo) બે બાઈકને (Bike) અડફેટે...
બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં...
સુરત(Surat): મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર ધારાસભ્યો(MLAs) મહારાષ્ટ્રમાંથી આસામમાં શિફ્ટ થયા છે. પરંતુ સૌપ્રથમ તો તેઓ સુરત(Surat) આવ્યા હતા. ગુવાહાટી જતા પહેલા અહીં લા મેરેડિયન(La...
સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના...
ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર,...
દુર્ગુણરૂપી ઝેર જે આપણામાં ઘર કરી ગયું છે તે દૂર કરવા નિષ્ઠા – સમજપૂર્વકના પ્રયાસો સાવ નિષ્ફળ તો નહીં જ જાય. લોભની...
કુહાડીનો ઘા પોતાના માથા પર લઇને ભગવાન વિષ્ણુએ ભરવાડને ગૌહત્યા પાતકમાંથી બચાવ્યો પણ ચોલ રાજાના ડરથી તે ગાયને મારતો હતો એટલે રાજા...
ધર્મ એટલે ઈશ્વર અને માનવ વચ્ચેનો સંબંધ. આ સંબંધ સાચવવા કેટલાક નીતિ – નિયમો બનેલ હોય છે. જેમાં અમુક નિયમો ઈશ્વરે જાતે...
યુધિષ્ઠિરના ધૃતરાષ્ટ્રને અને સર્વસભાસદોને, એમ બંને સંદેશાઓ કહ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. હવે, ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં બરડીપાડાથી કાલીબેલ તરફ જતા માર્ગમાં મોટા ખાડા બચાવવા જતા સુરતનાં (Surat) દંપતિની વેગેનોર કાર (Car) 10 ફૂટ...
જગન્નાથ સાથે જોડાયેલી બે રસપ્રદ વાતો છે. પ્રથમ વાર્તામાં, શ્રી કૃષ્ણ તેમના મહાન ભક્ત રાજ ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં દેખાયા અને તેમને પુરીની નદી...
સુરત (Surat): લિંબાયત ખાતે રહેતી પરિણીતાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં પરિણીતાને તેના પતિના અજાણી મહિલા સાથે અફેર (Affair) હોવાનું...
પ્રભુના દરેક ભક્તના મનમાં એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે સ્વયં જગતપિતા જગતના નાથ ભક્તોને દર્શન દેવા નીકળે છે...
આપણા ઉત્સવોમાં ‘રથયાત્રા’ ખૂબ મહત્ત્વપૂર્ણ ધર્મોત્સવ છે. સેંકડો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવાતો રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રા...
આપણે ભગવાનની સર્જન અને વિસર્જન શક્તિને સમજવાથી માનવનું માન કેવી રીતે ઓગળે છે તે સમજ્યા. આ અંકમાં ભગવાનની આ કર્તૃત્વશક્તિને હજી ઊંડાણથી...
અસલની જૂની કહેવત છે કે ‘લાલો લાભ વગર લોટે નહીં’ અર્થાત્ જીવન વ્હવહારમાં જે વિચારોનું ચલણ ચાલે છે તે સિક્કાની 2 બાજુઓ...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor) માતા-પિતા(parents) બનવા જઈ રહ્યા છે. તેઓએ પોતાના સોશિયલ મીડિયા(social media)ના એકાઉન્ટ પર...
એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ...
માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે...
સુરત (Surat): સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી...
દેશમાં જ્યાં સ્થિરતા અને શાંતિની જરૂર છે, કોમ કોમ વચ્ચે સુમેળની જરૂરિયાત છે, ત્યાં ભાજપ ઠેરઠેર અસ્થિરતા અને અશાંતિ ઉત્પન્ન કરી કોમ...
અમે નવા – સવા બિલ્ડીંગમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે કોઇનો પણ પરિચય નહિ અને કોરોનાને કારણે ઝાઝુ કોઇને પણ મળાતું નહિ પણ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) બાદ હવે પાટડીના (Patdi) ગોરીયાવડમાં પણ આકાશી ચક્રવાતના (Cyclone) બવંડર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા....
સ્ટાર પ્લસ TV પરથી તા. 1 મેથી 19 જૂન 8 હપ્તામાં દર રવિવારે સાંજના 7 થી 8 સુરસામાક્ષી ભારત રત્ન લતા મંગેશકરને...
આજકાલ એવું જોવામાં આવી રહ્યું છે કે આપણા હિંદુ ધર્મમાં પેસી ગયેલા દૂષણો વિરૂધ્ધ કોઈ અવાજ ઊઠાવે છે અને કહેવાતા હિંદુત્વવાદીઓ તરત...
સરકારી તમામ સેવાઓમાં પહેલા સૌથી શ્રેષ્ઠ ટપાલ સેવા કહેવાતી પણ હમણાંથી તેમની સેવાઓનું સ્તર કથળ્યું છે. માત્ર ટપાલ વહેંચતી બાબતે જ નહિ...
મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યું છે કે,...
રેલ્વે વિભાગમાં માલ- સમાન ભરનારા કામદારો પાસેથી અધિકારીએ નાણા ઉઘરાયા હોવાનો આક્ષેપ સાથે રજૂઆત
વડોદરા : સગીરાનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારનાર યુપીનો યુવક ઝડપાયો
કપડવંજમાં ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ યથાવત રાખો તેવી માંગ
વડોદરા : આમલેટની લારીવાળા યુવકને માર મારનાર પોલીસ કર્મી-ડ્રાઇવર જેલ ભેગા
પેટલાદની પરિણીતાને યુકે લઇ જઇ પતિએ ત્રાસ આપ્યો
વિરસદમાં ચાર ગઠિયાએ ટ્રક લઇ જઇ સાડા દસ લાખ ન ચુકવ્યાં
એચડી રેવન્નાની પોલીસે કરી અટકાયત, પ્રજ્વલ રેવન્ના ફરાર, કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી
વાંસદા-દમણમાં અમિત શાહે જાહેરસભા સંબોધી, કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી
શું વડોદરા મહાનગર પાલિકા આવી રીતે પોતાના કર્મચારી નો પગાર કરશે … ?
ક્ષત્રિયોનો આક્રોશ યથાવત- જામનગરમાં 500થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સંદેશખાલી: BJPના નેતાએ કબૂલ્યું– બળાત્કારના આરોપો સુનિયોજિત હતા, મમતાએ કહ્યું- ભાજપે સ્ક્રિપ્ટ લખી
દેશના વિવિધ રાજ્યોમાં 8 મે સુધી હીટવેવ, ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે થશે અતિ ભારે વરસાદ
વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવા આવેલ શખ્સ રિક્ષા ડ્રાઈવરને પાર્સલ લેવા મોકલી રિક્ષા લઈ રફુચક્કર
હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવી સુરતથી પકડાયો, પાકિસ્તાનનું કનેક્શન નીકળ્યું
અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા, 6 દિવસ પહેલા કહ્યું હતું- હું કોંગ્રેસ છોડી ક્યાંય નહીં જાઉં..
અમેરિકન મહિલાએ 4 બાળકોને ફ્રીઝમાં મુકી બરફ બનાવી દીધા, ભયાનક ઘટનાથી ન્યાયાધીશો હચમચી ગયા
સાવલી પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે સગા ભાઈના મોત
મોદીએ કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ કર્યો: અમિત શાહ
વડોદરામાં મતદાનકર્મીઓને સૂકા નાસ્તા સાથે વેલ્ફેર કિટ અપાશે
વડોદરામાં મતદાન જાગૃતિ માટે પ્રાઉડ વોટર ક્ટ આઉટ લગાવાયા
ભારતીય સેનાના હેલિકોપ્ટરનું મહારાષ્ટ્રના એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 4 સૈનિકોનો આબાદ બચાવ
આ છે દુનિયાનો સૌથી અમીર કેદી, મહિનાઓ સુધી આખું પાકિસ્તાન બેસીને ખાઈ શકે એટલી મિલકત છે!
તરસાલીમાં આધેડે ઝેરી પદાર્થ ભેળવી પરિવારને શેરડીનો રસ પીવડાવ્યો, પિતા- પત્નીના મોત, પુત્રની હાલત નાજુક
કેન્દ્ર સરકારે ડૂંગળી પરનો નિકાસ પ્રતિબંધ હટાવ્યો, ખેડૂતોમાં ખુશીની લહેર
બ્રાઝિલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 37ના મોત, ઇન્ડોનેશિયામાં પણ પૂર અને ભૂસ્ખલનથી તબાહી
પાડોશી દેશ નેપાળની અવળચંડાઈ, 100 રૂપિયાની નોટ પર ભારતના આ વિસ્તારોને પોતાના બતાવ્યા
કેસરગંજ: ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં ફાયરિંગથી બેલસર બજાર ગૂંજી ઉઠ્યું, તપાસના આદેશ
‘આતંકી હુમલા બાદ વિશ્વ સમક્ષ રડતી હતી કોંગ્રેસની ડરપોક સરકાર, આજે પાકિસ્તાન રડે છે’- ઝારખંડમાં મોદી ગરજ્યા
સુરતના પાલ ગૌરવપથ રોડ પર ફૂલસ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈને ઊંધી પડી
સુરત અને ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, શા માટે કોંગી ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી?
આણંદ : ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પર આવેલી નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલમાં કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ મૃત્યું પાછળ ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તુરંત પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઇ તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ કાછિયાએ જણાવ્યું હતું કે, મારા મિત્ર પંકજભાઈ ચીમનભાઈ કાછિયા બસ સ્ટેશન વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેમના પત્ની ઘરકામ કરે છે અને બે પુત્રોમાં એક દુબઈ અને બીજો ન્યુઝીલેન્ડ રહે છે.
પંકજભાઈ 25મી જૂનના રોજ સવારે દુકાનમાં આવેલી વખારમાં મમરાની ગુણ ઉપર ચડી અભરાઈ ઉપરથી કોઈ વસ્તુ ઉતારવા જતાં હતાં. તે દરમ્યાન પડી જતા તેમણે હાથની કોણીમાં ઇજા થઈ હતી. આથી તેઓને સાંજના ઓડ ચોકડી આવેલી નિવાન હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. પંકજભાઈની જરૂરી તપાસ બાદ સામાન્ય ફેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. જેના માટે નાનુ ઓપરેશન કરવાની સલાહ આપી હતી. આથી, પરિવારજનો સંમત થતાં રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય ઓપરેશનની વાત હતી અને મોડી રાત્રિના દસ વાગ્યા સુધી ઓપરેશન થિયેટરમાંથી કોઈ બહાર આવ્યું નહતું અને બીજી તરફ જેમ જેમ લોકોને ખબર પડી કે ઓપરેશન કરવાનું છે, તો અમારા સમાજના લોકો હોસ્પિટલ આગળ ખબર અંતર પૂછવા આવવા લાગ્યા હતાં.
બીજી તરફ દર્દીના કોઈ સમાચાર બહાર ન આવતા અમે હોસ્પિટલમાં ગયા પણ અંદર કોઈને આવા દેતા નહતાં. પરંતુ મોડી રાત્રે હોસ્પિટલના સત્તાવાળાઓએ સીધું એમ જ કહ્યું કે બીપી લો થઈ જવાથી તેમનું મોત થયું છે. આ દરમ્યાન હોસ્પિટલનો સ્ટાફ જ ટ્રીટમેન્ટ કરી રહ્યો હતો. કોઈ ડોક્ટર ત્યાં દેખાતા નહતા. આથી મહિલાઓ આવીને તેમને સ્ટાફને કહ્યું કે, તમે એક ફેક્ચરનું સામાન્ય ઓપરેશન કહ્યું હતું અને આવી ઘટના બની ગઈ તો બે – ત્રણ કલાક સુધી અમને જણાવ્યું કેમ નહિ. તો તેઓ જવાબ આપી શક્યા નહતા. આથી પંકજના ઘરનાઓએ ડોક્ટરની સારવારની માહિતીને બધું પૂછપરછ કરી પણ એમને કોઈ સંતોષકારક જવાબ ના મળતા આખરે ઉમરેઠ પોલીસને આ ઘટનાની જણ કરી હતી. ઉમરેઠ પોલીસ હોસ્પિટલ આવી તમામ રિપોર્ટના કાગળ કબજે કરી પંકજભાઈના મૃતદેહને કરમસદ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપી હતી.