National

કેરળ: ટ્રેનમાં ઝગડો થતા એક પેસેન્જરે ટ્રેનના ડબ્બામાં આગ ચાંપી દીધી, બાળકો સહિત ત્રણ ઘાયલ

નવી દિલ્હી: કેરળના (Kerala) કોઝિકોડમાં ટ્રેનમાં (Train) બે મુસાફરો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો, આ ઝગડો એટલી હદે વધી ગયો કે એક મુસાફરે અન્ય એક મુસાફરને આગ (Fire) ચાંપી દીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગ ચાંપીને ભાગી જનાર વ્યક્તિની ઓળખ હજી સુધી થઈ શકી નથી.

કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા બાબતે થયેલી બોલાચાલીમાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિને આગ ચાંપી દેતાં ત્રણ લોકો દાઝી ગયા હતા. રેલવે સૂત્રોએ આ માહિતી આપી હતી. જાણવા મળ્યું છે કે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઇમરજન્સી ચેઇન ખેંચી હતી જેના પગલે ટ્રેન ધીમી પડતાં તે વ્યક્તિ ભાગી ગયો હતો. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 9.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને કોરાપુઝા રેલવે બ્રિજ પર પહોંચી હતી.

પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા ત્રણ લોકો દાઝ્યા
જાણવા મળ્યું છે કે કેરળના કોઝિકોડ જિલ્લાના ઇલાથુર નજીક એક અજાણ્યા વ્યક્તિએ એક મુસાફર પર પેટ્રોલ છાંટીને ચાલતી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 3 લોકો દાઝી ગયા હતા. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસના D1 ડબ્બામાં બની હતી. આ ઘટના જ્યાં બની હતી તે રેલ્વે ટ્રેક પાસે એક બાળક સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. રહેમથ, તેની બહેનની બે વર્ષની પુત્રી અને મત્તાન્નુરના રહેવાસી નૌફલ રેલવે ટ્રેક પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આગ લગાડનાર વ્યક્તિ ટ્રેનમાંથી નાસી છૂટ્યો હતો
મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરી અને આગ પર કાબૂ મેળવ્યો. રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “પ્રાથમિક માહિતી મુજબ કથિત રીતે આગ લાગનાર વ્યક્તિ ઘટના બાદ ભાગી ગયો હતો. બાકીના ઘાયલ મુસાફરોને આરપીએફ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જરૂરી નિરીક્ષણ પછી ટ્રેન રવાના થઈ હતી.” ત્યારે પોલીસ તપાસમાં એવી શંકા દેખાઈ રહી છે કે આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચેના ઝઘડા પછી બની હતી. કોઝિકોડ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે આ મામલે તપાસ શરૂ કરી છે.

લોકલ ટ્રેનમાં એક મુસાફરે બીજા પર એસિડ ફેંક્યું
ગયા મહિને મુંબઈની લોકલ ટ્રેનમાં એક મુસાફરે અન્ય સહ-મુસાફર પર એસિડ ફેંક્યું હતું. 26 માર્ચના રોજ, મુંબઈમાં લોકલ ટ્રેનના દિવ્યાંગ ડબ્બામાં એક સગીર દિવ્યાંગે અન્ય દિવ્યાંગ પર સોલ્યુશન એસિડ વડે હુમલો કરીને એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. મધ્ય રેલવેના મુંબ્રા રેલવે સ્ટેશન પર પ્રમોદ વાડેકર નામનો વ્યક્તિ દિવ્યાંગ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવા માટે ડબ્બામાં ચડ્યો હતો, જ્યારે આ ડબ્બામાં અન્ય એક દિવ્યાંગ પણ મુસાફરી કરી રહ્યો હતો. પ્રમોદ વાડેકર ઉપર ચઢતાની સાથે જ અન્ય એક સગીર દિવ્યાંગે તેના પર સોલ્યુશન એસિડ વડે હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો હતો.

Most Popular

To Top