Vadodara

છુટાછેડા બાદ પણ પતિએ પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી

વડોદરા : શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અન્નુ સોસાયટીમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી મહિલાના છૂટાછેડા થયા હોવા છતાં પૂર્વપતિ દ્વારા મહિલાને એક સપ્તાહથી હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહિલાની ફરિયાદના આધારે પૂર્વ પતિ વિરુદ્ધ પોલીસે હેરાનગતિ અને ધાકધમકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અન્નુ સોસાયટીમાં રહેતી પ્રાચી ઉર્ફે અનસૂયા પ્રવિણભાઈ પાટીલ ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2006માં તેણીએ નવાપુરા ખાતે થેટા નિકેશ કનુભાઈ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષબાદ દંપતી વચ્ચે સુમેર ન થતા  તેણીએ છૂટાછેડા લઇ લીધા હતા.

દરમિયાન તેણીના વર્ષ 2013માં સમાજના રીતિ રિવાજ મુજબ પ્રવીણભાઈ રાજુભાઈ પાટીલ સાથે લગ્ન થયા હતા. ત્યારે છેલ્લા 1 સપ્તાહથી નિકેશ કનુભાઈ પરમાર તેણીને બ્યુટીપાર્લર પાસવ રોજ આવી બીભત્સ ગાળો બોલી બોલાચાલી ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ગત તા. 14 ઓક્ટોબરના રોજ સવારે 11.15 વાગ્યે પ્રાચી પોતાના બ્યુટીપાર્લર પર હતી. ત્યરે નિકેશ ફરીથી આવ્યો હતો અને બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી પ્રાંચીએ બનાવ અંગે પોલીસને જાણ કરી પૂર્વ પતિ નિકેશ પરમાર વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે હેરાનગતિ અને ધાકધમકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top