Gujarat

કેજરીવાલ સામે ભાજપ સોશિયલ મીડિયા પર મહાઠગ અભિયાન ચલાવશે

ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) હવે દિલ્હીના (Delhi) સીએમ (CM) અરવિંદ કેજરીવાલ સામે મહાઠગ અભિયાન શરૂ કરવાની સૂચના આપી છે. પાટીલે ભાજપના કાર્યકરોને મહાઠગ લખવા સૂચના આપી છે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા કાર્યાલયના ખાતમુહૂર્તની શુભેચ્છા પાઠવી હતી.

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કાર્યાલય એટલે સદા કાર્યકરોની નોંધ અને સંકલન કરવા માટે સતત ખુલ્લું રહેતું સ્થળ. ભાજપના કાર્યકરો હંમેશાં સેવા કાર્યમાં રહ્યા છે, જેમાં સંગઠનનું સૌથી મોટું કાર્ય એટલે પેજ પ્રમુખનું કાર્ય એ કાર્ય બહુ સારી રીતે થઇ રહ્યું છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાના નામનો ઉલ્લેખ કર્યા વિના પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાઠગ આવી રહ્યો છે, તેનાથી ચેતજો. આ સાથે જ પાટીલ ભાજપના કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ગુજરાતનાં ભાઈ-બહેનોને વિનંતી છે કે મહાઠગથી સાવધાન રહેજો એવું વાક્ય પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખે.

Most Popular

To Top