World

‘હિન્દુઓ સામે મુસ્લિમ દેશો એક થાય, પાકિસ્તાન ભારત પર હુમલો કરે’, આ દેશમાં હિંદુઓ વિરુદ્ધ ઓકાયું ઝેર

નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હવે પેલેસ્ટાઈન(Palestine) માંથી વિરોધના અવાજો સંભળાઈ રહ્યા છે. પયગંબર મોહમ્મદ વિશે ભાજપ(BJP) નેતા(Leader)ઓની ટિપ્પણીના વિરોધમાં 10 જૂને જેરુસલેમની અલ અક્સા મસ્જિદ(Al Aqsa Mosque)માં એક હિંદુ(Hindu) વિરોધી(Against) રેલી(Rally)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હિંદુઓ વિરોધી ભાષણ આપવામાં આવ્યું હતું. એક મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, પેલેસ્ટિનિયન ઈસ્લામિક વિદ્વાન નિધલ સિયામે ગાયની પૂજા કરતા હિંદુઓ વિરુદ્ધ જેહાદ શરૂ કરવા અપીલ કરી હતી.

પાકિસ્તાન પાસે હિંદુઓને પાઠ ભણાવવા માટે સક્ષમ સેના છે: ઇસ્લામિક વિદ્વાન
ઇસ્લામિક વિદ્વાન નિધલ સિયામે કહ્યું, “અમે અલ અક્સા મસ્જિદમાંથી મુસ્લિમોની સેનાઓને સંબોધિત કરી રહ્યા છીએ. ઇજિપ્ત, તુર્કી, જોર્ડન અને તમામ મુસ્લિમ દેશોમાં આપણે કહીએ છીએ, તમે ક્યાં છો? શું તમારા ધર્મ અને પયગંબર મુહમ્મદને સમર્થન આપવાનો આ યોગ્ય સમય નથી? શું તમારા દેશોને આઝાદ કરવાનો આ યોગ્ય સમય નથી? પાકિસ્તાનના લોકો, હિંદુઓ સામે લડવા માટે અન્ય કરતા તમારી જવાબદારી વધુ છે.

હિંદુઓ વિરુદ્ધ મુસ્લિમ દેશોને એક થવા આહ્વાન
વીડિયોમાં અમેરિકાએ પહેલા ઈરાક અને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો એ બાબતની વાત કરી પછી સ્વીડને મુસ્લિમ બાળકોનું અપહરણ કર્યું, ત્યારબાદ ફ્રાન્સે હુમલો કર્યો, રશિયનોએ ઘણી વખત હુમલો કર્યો. પછી ચીને ગુના કર્યા એ બાબતોની વાત કતી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, હવે ગાયોની પૂજા કરનારા હિંદુઓએ મસ્જિદોનો નાશ કર્યો છે. તેઓએ મુસ્લિમોને મારી નાખ્યા અને તેમના ગામોનો નાશ કર્યો હતો.

પાકિસ્તાને હિંદુઓ પર હુમલાની અપીલ
તેમણે કહ્યું, પાકિસ્તાનના લોકો, તમારે હિન્દુઓ સામે લડવાની મોટી જવાબદારી નિભાવવાની છે. હિંદુઓ તમારી સરહદ પર છે, તેઓએ તમારી જમીનો કબજે કરી છે અને તમારા જ લોકોને મારી રહ્યા છે. હિંદુઓ સાથે લડવા માટે યુદ્ધ મેદાન ખોલવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ પયગંબર પર ભાજપના નેતાઓની વિવાદિત ટિપ્પણીનો દેશ અને વિદેશમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારતમાં પણ હિંસાઓ કરાઈ રહી છે. આ વિવાદ અટકવાને બદલે વધુ વકરી રહ્યો છે. ઘણા દેશોમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારના અહેવાલો પણ છે.

Most Popular

To Top