SURAT

રેલવે ગરનાળામાં ટ્રક ફસાતા વરાછામાં બે કિ.મી લાંબો ટ્રાફિક જામ, નોકરી ધંધાએ જતા વાહનચાલકો અટવાયા

સુરત: સુરતમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ફસાઈ જતા વરાછા સુધી બે કિ.મી. સુધીની વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે બનેલી ઘટના બાદ નોકરી-ધંધાએ જઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડાયવર્ઝન જ્યાં અપાવવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ડ્રાઈર્ઝન આપી શકાયું ન હોવાનું કારણ સામે આવ્યું હતું. જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી.

આ ઘટના બાદ ત્રાફિક જામ થતા જ પોદ્દાર આર્કેડ ખાતે બેરિકેટ મુકી દેવામાં આવ્યું હતું. જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા ન હતા. આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી.

Most Popular

To Top