Gujarat Main

રવિન્દ્ર જાડેજાએ પિતાની આ વાતને ગણાવી બકવાસ, કહ્યું મારી પાસે પણ કહેવા માટે ઘણું છે…

જામનગર(Jamnagar): સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (RavindraJadeja) ફેમિલીની કોન્ટ્રવર્સી હાલ ચર્ચામાં છે. દીકરા અને પુત્રવધુ સાથે કોઈ સંબંધ નહીં હોવાનો તથા દીકરાને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત તેવા સનસનીખેજ નિવેદનો રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધ સિંહ જાડેજાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં આપ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. હવે આ મામલામાં રવિન્દ્ર જાડેજાએ એક્સ પર એક પોસ્ટ મુકી ખુલાસો કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ પિતાના નિવેદનોને બકવાસ ગણાવ્યા છે અને આ સાથે જ પત્ની રિવાબાનો સપોર્ટ કર્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ હવે પિતા અનિરુદ્ધ સિંહના ઈન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી છે. જાડેજાના પિતાએ એક ઈન્ટરવ્યુમાં ક્રિકેટર અને તેની પત્ની પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એક્સ પરના આ ઈન્ટરવ્યુ અંગે જાડેજાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ઈજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેમાંથી સાજો થઈ રહ્યો છે. 35 વર્ષીય જાડેજાએ એક દિવસ પહેલા ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા. દરમિયાન શુક્રવારે તે અચાનક ચર્ચામાં આવી ગયો, જ્યારે તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેના વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી. જાડેજાના પિતાએ તો એટલું કહી દીધું કે તેમને તેમના પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રિવાબા સાથે કોઈ સંબંધ નથી.

પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જાડેજાએ X પર પોસ્ટ કરીને પોતાનું મૌન તોડ્યું હતું. પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપ્યો છે. જાડેજાએ ઇન્ટરવ્યુમાં જે કહેવામાં આવ્યું હતું તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ ઈન્ટરવ્યુ દ્વારા તેમની પત્ની રિવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જાડેજાએ X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢ્યો. જાડેજાએ સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુમાં જે કહેવામાં આવ્યું હતું તેને અવગણવાનું કહ્યું. જાડેજાએ ગુજરાતીમાં લખ્યું હતું કે, ‘એક અખબારમાં પ્રકાશિત બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન છે. માત્ર એક બાજુનો મુદ્દો બનાવવામાં આવ્યો છે, જેનું હું ખંડન કરું છું. મારી પત્નીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે અત્યંત નિંદનીય અને અભદ્ર છે. મારે પણ ઘણું કહેવું છે જે હું જાહેરમાં ન કહું તો સારું છે, આભાર.

તેણે ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હોત..’ : અનિરુદ્ધ જાડેજા
અગાઉ મીડિયા ઈન્ટરવ્યુમાં તેના પિતા અનિરુદ્ધ સિંહે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે હવે તેની (પુત્ર) સાથે કોઈ સંબંધ નથી. જો તેને ક્રિકેટર ન બનાવાયો હોત તો સારું થાત, જ્યારે તેણે કહ્યું કે જાડેજાની પત્ની રીવાબા જાડેજાને માત્ર પૈસાની ચિંતા છે.

પિતા અનિરુદ્ધે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રવિન્દ્ર અને તેની પત્ની રીવાબા સાથે તેનો કોઈ સંબંધ નથી. અનિરુદ્ધે એમ પણ કહ્યું કે તેણે લગ્ન ન કર્યા હોત તો સારું થાત, તે ક્રિકેટર ન બન્યો હોત તો સારું થાત. જાડેજાના પિતાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્ર જાડેજાને ક્રિકેટર બનાવવાની કાળજી લીધી હતી. તેમની બહેન નયના બાએ પણ તેમને ઘણો સાથ આપ્યો.

Most Popular

To Top