National

કોમ્યુનિસ્ટ ભારત છોડો…હિંદુ રક્ષા દળે JNUના મેન ગેટ પર નારા લખી વિવાદ વધાર્યો

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં જાતિવાદી ટીપ્પણી લખ્યા બાદ હોબાળો વધ્યો છે. બે દિવસ બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. હવે હિન્દુ રક્ષા દળના (Hindu Raksha Dal) લોકોએ JNUના મેન ગેટ પર કોમ્યુનિસ્ટો (Communist) ભારત (India) છોડો લખીને યુનિવર્સિટી પ્રશાસનની મુશ્કેલીઓ વધારી દીધી છે. હિંદુ રક્ષા દળે યુનિવર્સિટીના મેન ગેટ (Man Gate) પર લાગેલા બોર્ડ પર આ વાત લખી છે. કોમ્યુનિસ્ટ = ISISI પણ લખવામાં આવ્યું છે. એટલે કે સામ્યવાદીઓની સરખામણી આતંકવાદી સંગઠન ISIS સાથે પણ કરવામાં આવી છે.

હિન્દુ રક્ષા દળના કાર્યકરોનું કહેવું છે કે અમે માત્ર અને માત્ર સનાતની હિન્દુ છીએ. આપણી વચ્ચે માત્ર ચાર વર્ણો છે. દરેક હિંદુમાં ચાર વર્ણો છે. તેઓએ અમને કહ્યું ભારત છોડવા… અમે તેમને ભારત છોડાવી દેશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના જેવો રસ્તો કેમ અપનાવ્યો તો સવાલ પર આ લોકોએ કહ્યું કે તેઓ લખીને છુપાઈ ગયા છે અને અમે લખીને તેમની સામે ઊભા છીએ. અડગ અને મક્કમ રીતે ઊભા છીઈએ. તેમણે કહ્યું કે અમે એવા લોકોને પૂછવા માંગીએ છીએ કે જેમની પાસે હિંમત હોય અને અમારી સાથે વાત કરે. હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ પણ ધમકી આપી છે. વધુમાં તેમણે કહ્યું કે અમે લેખકો વિશે શોધી રહ્યા છીએ.

હિન્દુ રક્ષા દળે કહ્યું કે અમે દરેકનું સન્માન કર્યું છે, પરંતુ આ સન્માનનો ખોટો ફાયદો ન ઉઠાવવો જોઈએ. આ સન્માનનો ખોટો ફાયદો ઉઠાવવાના કારણે જ તેઓ દીવાલ પર લખી રહ્યા છે. ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકોએ ભારત છોડી દેવું જોઈએ. વ્યાજમાં જો સૌથી મોટર્ ઋણ હોય તો તે બ્રાહ્મણનું છે. તે બ્રાહ્મણ જે જ્ઞાની છે તે વિદ્વાન છે. આજે માત્ર જ્ઞાતિઓમાં ભાગલા પાડવાનું કામ થઈ રહ્યું છે. દરેક હિંદુ સમજદાર છે. દરેક હિંદુ બ્રાહ્મણ છે. દરેક વ્યક્તિએ આ વિશે વિચારવું જોઈએ.

ત્યાર બાદ તેમણે ડાબેરી સંગઠન વિશે પૂછવામાં આવ્યું તો હિંદુ રક્ષા દળે કહ્યું કે તેમના દાંત હાથીના છે. કેટલાક ખાવા માટે છે અને કેટલાક બતાવવા માટે છે. તેણે પોતે આ કામ કરાવ્યું છે. જો અમને ખબર પડે તો અમે તેને છોડીશું નહીં. તેઓએ દેશ વિરુદ્ધ કામ કર્યું છે અને અમે દેશના હિતમાં કામ કરીશું. અને જો દેશહિત કામ ખોટું છે તો અમે ભૂલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે કાયદાકીય રીતે કામ કરવા માટે પણ સક્ષમ છીઈએ.

ગુરુવારે લખવામાં આવ્યા હતા સૂત્રોચ્ચાર
તમને જણાવી દઈએ કે ગુરુવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસની ઘણી ઈમારતો પર બ્રાહ્મણ વિરોધી નારાઓ લખવામાં આવ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહી છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-II ઈમારતની દિવાલોને બ્રાહ્મણ અને બનીયા સમુદાયો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પેન્ટ કરવામાં આવ્યું હતું.

વાઇસ ચાન્સેલરે નોટિસ જાહેર કરી
યુનિવર્સિટીના વીસી પ્રો. શાંતિશ્રીએ નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે યુનિવર્સિટીએ આ બાબતની ગંભીર નોંધ લીધી છે કે અજાણ્યા તત્વો દ્વારા દૂષિત ઈરાદા સાથે કેમ્પસની દિવાલો અને ફેકલ્ટી રૂમમાં તોડફોડ કરવામાં આવી છે. વહીવટીતંત્ર આ ઘટનાની નિંદા કરે છે અને જેએનયુમાં આવી ઘટનાઓને સહન કરવામાં આવશે નહીં કારણ કે યુનિવર્સિટી દરેકની છે. સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડીનને આ મામલે તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. JNU તેની સર્વસમાવેશકતા માટે જાણીતું છે અને ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

Most Popular

To Top