Entertainment

‘કાલી’ બાદ ‘શિવ-પાર્વતી’ની સિગારેટ પીતી તસ્વીર પોસ્ટ કરી ડિરેક્ટર લીનાએ વધુ ભડકાવ્યો વિવાદ

નવી દિલ્હી: હાલમાં જ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી'(Kali)નું પોસ્ટર(Poster) રિલીઝ થતાં જ સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ વિરોધ(Controversy) શરૂ થઈ ગયો હતો, આ પોસ્ટરમાં હિન્દુ દેવી કાલીના વેશમાં એક મહિલા જોવા મળી હતી જે સિગારેટ પી રહી હતી. આ વિવાદ પછી, સમગ્ર દેશમાં ઘણી જગ્યાએ ડિરેક્ટર લીના મણિમેકલાઈ(Leena Manimekalai) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. તેમ છતાં લીનાની આવી હરકતો ચાલુ જ રહી છે. વિવાદો વચ્ચે હવે લીનાએ ભગવાન શિવ(Shiv) અને પાર્વતી(Parvati) ની એક વિવાદાસ્પદ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. હકીકતમાં લીના ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર વિવાદ બાદથી પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે તેની કોઈ ચાલાકી કામ ન કરતા હવે તેણે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં બે કલાકારો ભગવાન શિવ અને માતા પાર્વતીના વેશમાં ઉભા છે અને તેઓ ધૂમ્રપાન પણ કરી રહ્યા છે. તેના કેપ્શનમાં લીનાએ લખ્યું છે, ‘ક્યાંક બીજે’.

કાલી ફિલ્મના પોસ્ટરને લઈને વિવાદ થયો હતો
આ વિવાદ પહેલા લીના મણિમેકલાઈની ફિલ્મ કાલીના પોસ્ટર પર વિવાદ થયો હતો. તે પોસ્ટરમાં માતા કાલી સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. વિવાદ બાદ ટ્વિટરે નિર્માતા-નિર્દેશક લીના મણિમેકલાઈની પોસ્ટને હટાવી લીધી છે. લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરમાં મા કાલીને સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે તેના એક હાથમાં LGBT સમુદાયનો રંગબેરંગી ધ્વજ પણ દેખાતો હતો. કાલી ફિલ્મના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઘણા રાજ્યોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફિલ્મના પોસ્ટરને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દિલ્હી, યુપી અને મુંબઈમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ભાજપના નેતાઓ રોષે ભરાયા
લીના મણિમેકલાઈએ ટ્વીટ કરેલા આ ફોટો પર રાજનેતાઓના નિવેદન પણ આવવા લાગ્યા છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેણે લખ્યું છે કે આ સર્જનાત્મક અભિવ્યક્તિનો મામલો નથી, તે જાણી જોઈને ઉશ્કેરવાનો મામલો છે. હિંદુઓનો દુરુપયોગ = બિનસાંપ્રદાયિકતા? હિંદુ આસ્થાનું અપમાન = ઉદારવાદ? શહઝાદ પૂનાવાલાએ આગળ લખ્યું કે લીનાને પ્રોત્સાહન મળી રહ્યું છે કારણ કે તે જાણે છે કે ડાબેરી પક્ષો, કોંગ્રેસ, ટીએમસી તેને સમર્થન આપી રહ્યા છે. હજુ સુધી ટીએમસીએ મહુઆ મોઇત્રા પર કાર્યવાહી કરી નથી.

લીના મણિમેકલાઈ કોણ છે?
લીના મણિમેકલાઈ મદુરાઈના દક્ષિણમાં સ્થિત એક દૂરના ગામ મહારાજાપુરમની રહેવાસી છે. તેમના પિતા કોલેજના લેક્ચરર હતા. તે એક ખેતમજૂર પરિવારમાંથી હતી અને તેના ગામના રિવાજ મુજબ, તરુણાવસ્થાના થોડા વર્ષો પછી છોકરીઓના લગ્ન તેમના મામા સાથે કરવામાં આવતા હતા. જ્યારે લીનાને ખબર પડી કે પરિવારના સભ્યો તેના લગ્નની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તે ચેન્નાઈ ભાગી ગઈ. તે પછી તેણે એન્જિનિયરિંગ કર્યું. તેણે આઈટી સેક્ટરમાં નોકરી પણ કરી હતી. ઘણી નોકરીઓ કર્યા પછી, તેણે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું હતું.

Most Popular

To Top