National

TMCએ જાહેર કરી ઉમેદવારોની યાદી, કોલકાતામાં વિશાળ રેલીમાં મમતાએ કહ્યું- ‘અમે NRC લાગુ થવા દઈશું નહીં’

કોલકાતા: (Kolkata) પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જીએ (Mamata Banerjee) રવિવારે લોકસભાના 42 ​​ઉમેદવારોની યાદી જાહેર કરી છે. TMCની જાહેર રેલી દરમિયાન ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તમામ ઉમેદવારોના નામો પર વિચાર કરવામાં આવ્યો હતો. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે મમતા બેનર્જીની ટીએમસી આ લોકસભા ચૂંટણીમાં અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી કરી રહી. પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી શત્રુધ્ન સિન્હા તેમજ ગુજરાતના નિવાસી ક્રિકેટર યુસુફ પઠાણને સીટ આપવામાં આવી હતી જ્યારે નુસરત જહાંનું પત્તુ કાપી નાંખવામાં આવ્યું હતું.

TMCના 42 લોકસભા સીટના ઉમેદવારોના નામ

કૂચ બિહાર- જગદીશ ચંદ્ર બસુ
અલીપુરદ્વાર- પ્રકાશચિક બરાઈક
જલપાઈગુડી- નિર્મલ ચંદ્ર​​​​​​​ રોય
દાર્જીલિંગ- ગોપાલ લામા
રાયગંજ- કૃષ્ણા કલ્યાણી
બાલુરઘાટ- બિપ્લબ મિત્રા
માલદા ઉત્તર- પ્રસૂન બેનર્જી
માલદા દક્ષિણ- શહનાઝ અલી રાહયાન
જાંગીપુર- ખલીલુર રહેમાન
બેરહામપુર- યુસુફ પઠાણ
કૃષ્ણનગર- મોહઆ મોઇત્રા
રાણાઘાટ- મુકુટમોની અધિકારી
બોંગાઓ- વિશ્વજીત દાસ
બારાસાત- ડૉ. કાકલી ઘોષ દસ્તીદાર
ડાયમંડ હાર્બર- અભિષેક બેનર્જી
જાદવપુર- સયાની ઘોષ
કોલકાતા ઉત્તર- સુદીપ બેનર્જી
હાવરા- પ્રસૂન બેનર્જી
ઉલુબેરિયા- સજદા અહેમદ
હુગલી- રચના બેનર્જી
ઘાટલ- દીપક અધિકારી
ઝારગ્રામ- કાલિપાડા સોરેન
મેદિનીપુર- જૂન માલિયા
પુરિલિયા- શાંતિરામ મહતો
બાંકુરા- અરૂપ ચક્રવર્તી
બર્ધમાન પશ્ચિમ- ડૉ. સરમિલા સરકાર
દુર્ગાપુર- કીર્તિ આઝાદ
આસનસોલ- શત્રુઘ્ન સિન્હા
બોલપુર- અસિત કુમાર મલ
બીરભૂમ- શતાબ્દી રોય
બિષ્ણુપુર- સુજાતા ખાન
આરામબાગ- મિતાલી બાગ
કોલકાતા દક્ષિણ- માલા રોય
બરાકપુર- પાર્થ ભૌમિક
કૃષ્ણનગર- મહુઆ મોઇત્રા
હુગલી- સુપરસ્ટાર અભિનેત્રી રચના બેનર્જી
બસીરહાટ- હાજી નુરુલ ઇસ્લામ
તમલુક- ગાયક દેબાંગશુ ભટ્ટાચાર્જી

તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રવિવારે પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ શત્રુધ્ન સિન્હા અને કિર્તી આઝાદને સીટ આપી છે. બહેરામપુર સીટથી કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સામે ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ બસીરહાટથી અભિનેત્રી નુસરત જહાંની ટિકિટ કાપી છે. તેની જગ્યાએ હાજી નુરુલ ઇસ્લામને ટિકીટ આપવામાં આવી છે.

જન ગર્જન સભામાં મમતાનું સંબોધન
તૃણમૂલ કોંગ્રેસે આજે કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ સાથે ટીએમસીએ પણ લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ રેલીમાં પાર્ટીના વડા મમતા બેનર્જીએ લોકોને સંબોધિત કર્યા હતા. આ રેલીને ‘જન ગર્જન સભા’ નામ આપવામાં આવ્યું હતું. આમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સામેલ હતા. રેલીનો મુખ્ય વિષય કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના નાણાકીય લેણાંની કથિત રીતે રોકવાની આસપાસ હતો, જે છેલ્લા બે વર્ષથી રાજ્યના રાજકારણમાં વિવાદાસ્પદ મુદ્દો છે. વિશાળ રેલીમાં લોકોને સંબોધિત કરતા મમતાએ કહ્યું કે અમે બંગાળમાં NRC લાગુ નહીં થવા દઈએ. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી રહી છે. હેરાનગતિ કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ હાથ જોડીને ન્યાયતંત્રને વિનંતી કરી કે મહેરબાની કરીને ખુરશી પર બેસીને બીજેપી માટે કામ ન કરો. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ન્યાયતંત્રનું ઘણું સન્માન કરે છે.

Most Popular

To Top