Entertainment

કિયારાને તો ક્યારનું પરણવું છે….

કોઇ અભિનેતા કે અભિનેત્રી માટે ફિલ્મને લગતી વાત જ મહત્વની હોય છે. હા, લોકોને તેમના અંગત જીવનમાં જરૂર રસ હોય છે પણ એ રસ તેમના પ્રેમપ્રસંગો અંગેનો હોયછે. કોણ કોના પ્રેમમાં છે ને કોનો પ્રેમ તૂટી ગયો. કોણ કોની સાથે પરણશે? સ્ટાર્સ પરણી જાય પછી લોકોને તેમનામાં તેમની ફિલ્મો પૂરતો રસ રહે છે. કિયારા અડવાણી હજુ ફિલ્મોમાં ગોઠવાય રહી છે અને કહે છે કે આવતા વર્ષના એપ્રિલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પરણી જશે. આમ તો આ સારી વાત કહેવાય ઘણીવાર લાંબા સમય સુધી પ્રેમ પ્રસંગ ચાલે અને પરણી જવાના સમયે જ તેઓ છૂટા પડી જાય.

કિયારા દિલ્હીમાં પરણશે અને સૌ પ્રથમ રજિસ્ટર્ડ મેરેજ કરશે. જો આમ થાય તો એવું સમજવું કે તેઓ પોતાના લગ્નને મોટી ચર્ચાથી બચાવવા માંગે છે. પેલા ડેસ્ટિનેશન વેડિંગમાં પણ તેઓ માનતા નથી. એવું મનાશે. કોફી વિથ કરણની સાતની સિઝન આવા પ્રકારનાં સેન્સેશન માટે જ હોય એમ લાગે છે. કિયારાએ એ શોના લાભ માટે કહ્યું હશે તો મઝા નહીં આવશે. સ્ટાર્સને સામાન્યપણે ફિલ્મો ભેગા કરે છે ને કોઇ ફિલ્મમાં તેઓ સાથે હોયને સફળતા મળે તો અંગતતા વધી જાય છે.

‘શેરશાહ’ ફિલ્મ કિયારા-સિદ્ધાર્થ માટે ટર્નિંગ પોઈન્ટ હતી. કિયારાને તો તે પહેલાં પણ સફળતા મળી હતી પણ સિદ્ધાર્થ માટે તે પહેલી મોટી સફળતા હતી. હવે તેની ‘મીશન મજનુ’ આવી રહી છે. બે વાર તેની રિલીઝ ડેટ આવી પણ ફિલ્મ નથી આવી બાકી રશ્મિકા મંદાના સાથેની એ ફિલ્મ છે. આ ઉપરાંત કરણ જોહરની ‘યોદ્ધા’માં તે દિશા પટની, રાશી ખન્ના સાથે આવી રહ્યો છે. રોહિત શેટ્ટીની વેબસિરીઝ માટે પણ તે ઘણું શૂટિંગ કરી ચુકયો છે અને ‘થેન્ક ગોડ’ તો એકદમ સામે છે.આ દિવાળીઓએ તે રજૂ થશે. જેમાં અજય દેવગણ અને રકુલ પ્રિતસીંઘ પણ છે. કિયારા સાથેના લગ્ન પહેલાં આ ફિલ્મો રિલીઝ થઇ ચુકી હશે. એટલે લોકો જોશે કે ‘શેરશાહ’ શેર જ છેને!

કિયારાની તો બધી ફિલ્મો 2023માં આવી રહી છે. અને તેમાં ‘રામચરણ-15 ખૂબ મહત્વની છે. જો કે જાન્યુઆરીમાં રજૂ થનાર આ ફિલ્મ તેલુગુમાં બની છે. કાર્તિક આર્યન સાતેની ‘સત્યપ્રેમ કી કથા’ આવતા વર્ષે જૂનમાં રજૂ થવાની છે. કિયારાને ખૂબ બધી ફિલ્મો નથી મળી રહી એટલે પરણી જવાની છે? તેની ‘ગોવિંદા નામ મેરા’ કમ્પલીટ થઇને પડી છે પણ રિલીઝનથી થતી. જો તે કારકિર્દી બાબતે અમુક લક્ષ્યાંક ધરાવતી હોય તો આ સંભવિત લગ્ન થોડા વહેલા ગણાશે. પણ દરેકે પોતાની રીતે નિર્ણય લેવાના હોય છે.

લફડાબાજ પૂરવાર થયા વિના તે પરણે તો સારી જ વાત કહેવાય ‘શેરશાહ’માં તે કેપ્ટન વિક્રમ બત્રાની પ્રેમિકા તરીકે હતી. પણ તેની અટક બત્રા થઇ શકતી નથી હા, ‘ગુડ ન્યુઝ’માં તે બત્રા અટક ધારણ કરી ચુકી છે. હવે સિદ્ધાર્થને પરણશે તો અડવાણી મટીને મલ્હોત્રા થશે. પ્રેક્ષકો તો ફિલ્મ વિશે જ પૂછશે. કિયારા-સિદ્ધાર્થ પરણવા પહેલાં સફળ જાય તો ભલે જોડીમાં કામ ન કરે તો પણ આગળની કારકિર્દી ઉમેરાશે. તે બન્ને અત્યારે એક જુદા સમયમાંથી પસાર થિ રહ્યા છે. લગ્ન પહેલાં જૂદો સમય ઘડી શકે તો પ્રેક્ષકો ખુશથશે. •

Most Popular

To Top