Dakshin Gujarat Main

નવસારી જિલ્લામાં 12 PSIની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો

નવસારી: (Navsari) નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 12 પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ (Police) વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી સરળતા ખાતર નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ ફરજ બજાવતાં 12 પોલીસ અધિકારીઓની આંતરીક બદલી (Transfer) કરતો ઓર્ડર કર્યો છે. જેમાં બીલીમોરાના (Bilimora) પોલીસ કર્મીઓની પણ બદલી કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસ વડાએ 12 પીએસઆઇની આંતરિક બદલીઓ કરી છે. જેમાં પીએસઆઇ એસ.ડી.સાળુંકેની આઇયુસીએડબ્લ્યૂ/એએચટીયુ યુનિટમાં, પીએસઆઇ એ.એન.ચૌધરીની નવસારી ટાઉન સ્ટેશન મિલ વિસ્તાર ચોકીમાં, પીએસઆઇ એન.ડી.ચૌધરીની ટાઉન પોલીસ સાંઢકૂવા ચોકી, પીએસઆઇ એ.આર.સૂર્યવંશી ટાઉન પોલીસ ચારપુલ ચોકી, પીએસઆઇ એચ.એસ.ચાવડાની રીડર શાખા, પીએસઆઇ એચ.પી.ગરાસીયાની જિલ્લા ટ્રાફિક શાખા, પીએસઆઇ કે.એમ.વસાવાની બીલીમોરા પોલીસ સ્ટેશન, પીએસઆઇ કે.કે.સુરતીની બીલીમોરા પોલીસ સ્ટેશન, પીએસઆઇ એસ.જે.કડીવાલાની ચીખલી પોલીસ સ્ટેશન, પીએસઆઇ ડો.જે.એન.જોષીની ટાઉન પોલીસ ગોલવાડ/પારસીવાડ ચોકી, પીએસઆઇ એસ.એસ.માલની ખેરગામ પોલીસ સ્ટેશન અને પીએસઆઇ જી.એસ.પટેલની ચીખલી પોલીસ સ્ટેશન રાનકૂવા ચોકી ખાતે બદલીઓ કરવામાં આવી છે.

બીલીમોરાના પોલીસ કર્મીઓની પણ બદલી કરી દેવામાં આવી
બીલીમોરા : જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી સરળતા ખાતર નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ ફરજ બજાવતાં 12 પોલીસ અધિકારીઓની આંતરીક બદલી કરતો ઓર્ડર કર્યો છે. જેમાં બીલીમોરાના સિનીયર પો.સ.ઇ. એચ.પી ગરાસીયાની નવસારી જિલ્લા ટ્રાફીક શાખામાં બદલી કરી દેવામાં આવી છે, તેમના સ્થાને જલાલપોરમાં ફરજ બજાવતા સિનીયર પો.સ.ઇ. કે.એમ વસાવાને બીલીમોરાના સિનિયર પોસઇ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે બીલીમોરામાં ફરજ બજાવતા સેકન્ડ પોસઇ એ.એન ચૌધરીની નવસારી ટાઉન, મિલ વિસ્તારમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ લીવ રીઝર્વ રહેલા કે.કે સુરતીની બીલીમોરાના સેકન્ડ પોસઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા 12 પોલીસના ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top