Business

નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં બેરોજગારી દર વધ્યો, છેલ્લા છ મહિનાની ટોચ પર

નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય બેરોજગારીનો દર અને ગ્રામીણ બેરોજગારીનો દર ડિસેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે. આ દર્શાવે છે કે લગભગ તમામ ક્ષેત્રો ખુલ્યા હોવા છતાં અર્થતંત્રમાં મજૂરો અને વ્યવસાયિકો સમાવી શકાશે નહીં. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (Centre for Monitoring Indian Economy – CMIE) ના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર 6.51% થી વધીને 9.06% પર પહોંચી ગયો છે. બીજી બાજુ ગ્રામીણ બેરોજગારીનો દર તે જ સમયગાળા દરમિયાન 6.26થી વધીને 9.15 % થયો છે.

જૂનમાં, જ્યારે દેશમાં રોગચાળો ચરમસીમાએ હતો, અને ઘણા ક્ષેત્રો લોકડાઉન હેઠળ હતા ત્યારે રાષ્ટ્રીય સ્તરે માસિક બેરોજગારી 10.18% અને ગ્રામીણ ભારતમાં 9.49% હતી. જુલાઈમાં આ આંકડા અનુક્રમે 7.4% અને 6.51% રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે શહેરી બેરોજગારી દર ( 8.84 %) જે છેલ્લા ઘણા મહિનાઓથી ગ્રામીણ અને રાષ્ટ્રીય સરેરાશ કરતા ઊંચા સ્તરે રહ્યો છે, જે ડિસેમ્બરમાં બંનેની સરખામણીએ ઓછો છે. જો કે નવેમ્બરના આંકડા કરતા આ હજી વધુ છે અને ચાર મહિનામાં તે સૌથી વધુ છે, તે હજી પણ આશા આપે છે કે શહેરી ભારત અન્ય પ્રદેશો કરતા વધુ સારી રીતે આકાર લેશે.

અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી EPF સબસિડી યોજના ચાલુ હોવા છતાં, અર્થતંત્ર હજી સુસ્ત છે અને મજૂર બજારમાં પૂરતા હાથ માટે હજુ તૈયાર નથી તેવું તાજેતરના આંકડા દર્શાવે છે. તેઓએ દલીલ કરી હતી કે રોજગારી પર સતત દબાણ કેન્દ્રિય સરકારને આવતા મહિને વાર્ષિક બજેટમાં ગ્રામીણ રોજગાર યોજના, ઇન્ફ્રા અને સાથી ક્ષેત્રો પર વધુ ખર્ચ કરવા દબાણ ઉભું કરી શકે છે, જેથી રોજગાર સર્જાય. સરકારી આંકડા મુજબ, નવેમ્બરમાં મનરેગાએ લગભગ 236 મિલિયન વ્યકિતઓ માટે દૈનિક વેતન રોજગાર યોજના શરૂ કરી હતી. જ્યારે તે ડિસેમ્બરમાં આ આંકડો 188.07 મિલિયન રહ્યો હતો. જેનો અર્થ એ છે કે એક મહિનામાં 48 મિલિયન લોકો બેરોજગાર થયા.

નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક ગ્રોથના અર્થશાસ્ત્રના અધ્યાપક અરૂપ મિત્રે ઉમેર્યું હતું કે, સરકારે પુનર્જીવિત માંગ પર વધુ ખર્ચ કરવો પડશે. રોજગાર સર્જનના અન્ય ઉપાયોની વચ્ચે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) પર માળખાકીય સુવિધાઓ પર વધુ ખર્ચ કરવાની જરૂર છે. મજૂર સઘન બાંધકામ અને છૂટક સેગમેન્ટમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે.

તેમણે ઉમેર્યુ હતુ કે, “ભારતમાં જોબ માર્કેટ એક જટિલ પરિસ્થિતિમાં છે. માંગ ઓછી છે અને અર્થવ્યવસ્થા પૂરતી પુનર્જીવિત થઈ નથી. ખુલ્લી બેરોજગારી (જ્યારે વ્યક્તિ શિક્ષિત હોય અને કામ કરવા તૈયાર હોય, પણ નોકરી મેળવવામાં અસમર્થ હોય ત્યારે) તે એક ભાગ છે. બીજી બાજુ રોજગાર કઇ રીતે ઊભો કરવો,ખાસ કરીને મહિલા કામદારોને કેવી રીતે પાછો લાવવા.”. કર્ણાટકની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સહયોગી પ્રોફેસર અમિત બેસોલે જણાવ્યુ કે લોકોના જનધન ખાતાઓ દ્વારા તેમના હાથમાં વધુ રોકડ મૂકવાનો તાત્કાલિક ઉપાય કરી શકાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top