ભારતે પાકિસ્તાન સામે વળતા હુમલા શરૂ કરી દીધા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કરી દીધા છે સોશ્યલ મીડિયા માં ચાલી રહેલ માહિતી પરથી આ વાત જાણવા મળી છે. ભારતમાં જમ્મુ, પંજાબ, રાજસ્થાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. ભારતે તેની જવાબી કાર્યવાહીમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનના AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) ને નષ્ટ કરી દીધું છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનના ફૈસલાબાદ, સરગોધા, મુલતાન અને સિયાલકોટ શહેરોમાં પણ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કર્યો છે. જો કે સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ભારતના સૌરક્ષંણ મંત્રાલય તરફથી આ અંગે કોઇ અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી.
પાકિસ્તાનના બધા મિસાઇલ હુમલા નિષ્ફળ ગયા
અગાઉ પાકિસ્તાન સામે બદલો લેવા માટે ભારતે તેમના કુલ 2 લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની લડાકુ વિમાનોમાં બે JF-17 અને એક F-16નો સમાવેશ થાય છે. ગુરુવારે અંધારું થતાંની સાથે જ પાકિસ્તાને સરહદ નજીક ભારતના વિવિધ શહેરો પર 100 થી વધુ મિસાઇલો છોડી. પાકિસ્તાને ફક્ત રાજસ્થાનના જેસલમેરમાં 70 થી વધુ મિસાઇલ હુમલા કર્યા. જોકે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનની બધી મિસાઈલોને હવામાં જ તોડી પાડી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના દરેક ખરાબ ઈરાદાનો જવાબ આપવા માટે ભારતના તમામ સંરક્ષણ તંત્ર આ સમયે સંપૂર્ણપણે સક્રિય છે અને પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
ભારત યોગ્ય જવાબ આપશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નવી દિલ્હીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. પીએમ મોદી, એનએસએ ડોભાલ આ સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે અને દરેક ક્ષણે રિપોર્ટ લઈ રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સમગ્ર મામલે યુરોપિયન યુનિયન સાથે ચર્ચા કરી છે. વિદેશ મંત્રીએ યુરોપિયન યુનિયનને કહ્યું કે ભારત કોઈપણ ઉશ્કેરણીનો યોગ્ય જવાબ આપશે.
