Comments

દુઃખ વેચાતું લીધું

એક કરોડોપતિ બિઝનેસમેન …દોમ દોમ સાહ્યબી અને ચારેબાજુ તેનું નામ …કોઈ દુઃખ નહિ સુખ જ સુખ અને એક દિવસ અચન્ક્તેનું નામ બદનામ થયું કરોડોના ગોટલા બદલ તેની ધરપકડ કરવામાં આવી.સમાચાર ચારે બાજુ ગાજ્યા. તેના પોતાના ગામમાં લોકોએ આ સમાચાર વાંચ્યા ત્યારે બધાને દુઃખ થયું અને નીચાજોણું લાગ્યો હજી વર્ષ પહેલા જ ગામલોકોએ તેનું સન્માન કર્યું હતું.ગામના ભોળા લોકોએ મુખીને સવાલ કર્યો કે, ‘તેણે એવું તે શું કર્યું કે તેની ધરપકડ થઇ?’મુખી બોલ્યા, ‘વધારે કઈ ખબર નથી પણ કરોડોનો ગોટાળો કર્યો છે…ઘણી ટેક્સ ચોરી કરી છે…’ગામ લોકોમાંથી કોઈ બોલ્યું, ‘તેની પાસે તો કરોડો રૂપિયા છે તેને ચોરી કરવાની શી જરૂર પડી ??’

મુખી બોલ્યા, ‘લાલચ …કરોડોના અબજો કરવાની લાલચમાં તેણે ખોટા કામ કરી …ખોટા હિસાબો દેખાડો કરોડોની ઘાલમેલ કરી છે હવે બચી નહિ શકે બધું જ વેચાય જશે અને સજા થશે તે અલગ.’ ગામના લોકો દુઃખી થયા એક જણ બોલ્યો, ‘શું જરૂર હતી આવું કરવાની કરોડોપતિ તો હતો એટલું શું ઓછું હતું?? કોઈ વાતની કમી ન હતી છતાં પૈસાની હેરાફેરી ???’ બીજા જણે કહ્યું, ‘શું કરોડો કમાઈને તેને સંતોષ ન થયો.’ મુખી બોલ્યા, ‘એતો ભગવાન જાણે અથવા એ પોતે જાણે કે આટલા રૂપિયા હોવા છતાં ખોટા કામ શું કામ કર્યા.લાલચને લોભને રોક્યા કેમ નહિ?’

બિઝનેસમેનના કાકા બોલ્યા, ‘એને તો કુટુંબનું નામ બોલ્યું, કરોડો રૂપિયા હતા તે કરોડો રૂપિયા આપીને દુઃખ ખરીદયું અને કુટુંબની શાખ વેચી દીધી.આટ આટલા પૈસા હતા કે સાત પેઢી બેઠા બેઠા કહ્ય પણ આ ખોટા કામ કરી વધુ કમાવાની લાલચે કોઈને મોઢું દેખાડવા લાયક ન રહ્યો.જિંદગી આખી આ કાળી ટીલીનું દુઃખ દુર નહિ થાય.’ મુખી બોલ્યા, ‘માત્ર પૈસા આવી જાય એટલે સુખી જ થવાય અને ગરીબ હોઈએ તો દુઃખી જ હોઈએ તે જરૂરી નથી.શ્રીમંત હતો છતાં લાલચને કારણે વધુ શ્રીમંત થવાની લાહ્યમાં દુઃખી દુઃખી થઇ ગયો.આને આપણે ગામમાં ભાખરી શાક ખાયને સંતોષી અને સુખી છીએ.શ્રીમંતાઈ સુખ નથી અને ગરીબી કઈ દુઃખ નથી, યાદ રાખીએ કે વધુ ને વધુ મેળવવાનો લોભ અને લાલચ દુઃખ જ આપશે.’
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top