SURAT

સુરતમાં પુત્રના વાંકે રત્નકલાકાર પિતાને અપહરણ કરી માર મરાયો, જાનથી મારી નાંખવાની ધમકી

સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર (Diamond Worker) પિતાને (Father) તેના પુત્રના (Son) નાણા લેવાના બાકી નીકળતા હોવાને કારણે ફટકાર્યા હતા. પુત્ર સાથે સબંધ કાપી નાંખનાર પિતાને લેણદારોએ અપહરણ કરીને ફટકાર્યા હતા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ફરિયાદી દામજી મોહન રાંકે જણાવ્યુંકે તેમનો દિકરો ચિરાગને મોબાઇલના ધંધામાં મોટી ખોટ ગઇ હતી. તેના નાણા ધવલ નામના ઇસમે ઉઘરાણી માટે તેઓને રસ્તા વચચે રોકયા હતા. તેના પુત્ર સાથેના નાણાકીય લેતીદેતીમાં તેઓનુ ખોટી રીતે બાઇક પર અપહરણ કર્યુ હતુ.

આ ઉપરાંત તેઓએ ધમકી આપી હતી કે તારા પુત્રને કહી દેજે મારો હિસાબ પુરો કરી નાંખે નહીં તો હું તારૂ પુરૂ કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. અમરોલી-છાપરાભાઠા રોડના સિલ્વર સ્ટેટસમાં રહેતા રત્નકલાકાર દામજી મોહન રાંક (ઉ.વ. 58 મૂળ રહે. ઉમરાળા, તા. કાલાવડ, જિ. જામનગર) ના પુત્ર ચિરાગને મોબાઇલના ધંધામાં ખોટ જતા તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. જેથી ચિરાગ સાથેની નાંણાકીય લેતીદેતીના વિવાદમાં લેણદાર ધવલ મગન ડોંગા (રહે. વૃંદાવન સોસાયટી, ડભોલી) એ તેના બે મિત્રો સાથે મળી દામજીને રસ્તામાં આંતરી માર મારી બાઇક પર અપહરણ કરી વેલંજા-ઉમરા ગામ તરફ લઇ ગયા હતા. જયાં પણ માર મારી તારા છોકરાનો કોન્ટેક કરીને મારો હિસાબ પુરો કરવાનું કહી દેજે નહીં તો તારૂ પુરૂ કરી નાંખીશ એમ કહી ધવલ સહિત ત્રણેય જણા ભાગી ગયા હતા. ઘટના અંગે દામજ રાંકે ધવલ સહિત ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

કાપોદ્રામાં પતિને ફોન ઉપર આપઘાત કરી રહી હોવાની જાણ કરી પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના કાપોદ્રા ખાતે રહેતી પરિણીતાએ એકલતાનો ગેરલાભ લઈને વતનમાં ગયેલા પતિને ફોન ઉપર આપઘાત કરી રહી હોવાની જાણ કરી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા બાપા સીતારામ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય પ્રિયંકાબેનના એક વર્ષ પહેલા વિમલ વર્મા સાથે લગ્ન થયા હતા. વિમલ વર્મા મુળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે સુરતમાં સંચાખાતામાં કામ કરે છે. તે પત્ની સાથે સુરતમાં એકલો રહેતો હતો. ગત 27 નવેમ્બરે તેની તબિયત સારી ન હોવાથી તે વતન ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો. તેની પત્ની પ્રિયંકા ઘરમાં એકલી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે પ્રિયંકાએ તેના પતિને ફોન ઉપર આપઘાત કરી રહી હોવાની જાણ કરી ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિમલે તાત્કાલિક સુરતમાં રહેતા તેમના સંબંધીને જાણ કરતા તેઓ ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પ્રિયંકાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ પોલીસને જાણ કરી હતી. પરિણીતાના આપઘાતનું કારણ જાણવા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top