Entertainment

શાહરૂખ ખાન મા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો, શીશ નમાવી આશીર્વાદ લીધા

નવી દિલ્હી: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ખરેખર બોલિવૂડનો (Bollywood) બાદશાહ છે. શાહરૂખ કામ સાથે ભગવાનને યાદ કરવાનું ક્યારેય ભૂલતો નથી. મક્કામાં (Mecca) ઉમરાહ કર્યા બાદ શાહરૂખે હવે મા વૈષ્ણો દેવીના (Maa Vaishno Devi) દરબારમાં હાજરી આપી હતી. શાહરૂખની આ સ્ટાઇલે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

શાહરૂખ ખાને માતાના દરબારમાં શીશ ઝૂકાવ્યું
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવતા મહિને જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. ત્યારે પોતાની ફિલ્મ સફળ રહે તે માટે તે માતાના દરબારમાં આવી પહોંચ્યો હતો. અને પ્રાર્થના કરી હતી. કિંગ ખાન મોડી રાત્રે કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના પવિત્ર મંદિરે પહોંચ્યા હતા. તેમણે મા વૈષ્ણો દેવીના દરબારમાં માથું નમાવી કરીને પ્રાર્થના કરી.

મળતી માહિતી અનુસાર શારરૂખ ખાને તેના અન્ય સાથીઓએ સાથે માતાના મંદિરે હાજરી આપી હતી અને મા વૈષ્ણો દેવીના ચરણો શિશ ઝૂકાવી પ્રાર્થના કરી હતી. શાહરૂખે તેના ચહેરા પર માસ્ક લગાવ્યું હતું જેથી લોકો તેને ઓળખી ન શકે. તમે શાહરૂખને ફિલ્મી પડદે ઘણા અલગ-અલગ રૂપમાં જોયા જ હશે. ક્યારેક તેણે રોમાન્સ તો ક્યારેક એક્શન કિંગ બનીને લોકોના દિલ જીતી લીધા. પરંતુ રિયલ લાઈફમાં શાહરૂખ સાચો ફેમિલી મેન છે અને ખૂબ જ ધાર્મિક પણ છે. તેઓ દરેક ધર્મને સમાન માને છે. તેથી જ મક્કા જઈને ઉમરાહ કર્યા બાદ શાહરૂખ હવે મા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચી ગયો છે.

શાહરૂખ ખાનને પઠાણ ફિલ્મ પર છે ધણી ઉમ્મીદ
શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ પઠાણથી પડદા પર વાપસી કરી રહ્યો છે. શાહરૂખના ચાહકોમાં પઠાણને લઈને ઘણી ચર્ચા છે. આ ફિલ્મમાં કિંગ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મના અત્યાર સુધી શાહરૂખના ઘણા પોસ્ટર સામે આવ્યા છે. શાહરૂખના લાંબા વાંકડિયા વાળ અને જબરદસ્ત ફિટનેસ જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. ચાહકો હવે તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે કિંગ ખાનની ફિલ્મ પઠાણ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે જોઈએ શાહરૂખની ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે.

Most Popular

To Top