World

શા માટે રશિયાએ 98 વર્ષથી સાચવીને રાખી છે પોતાના આ નેતાની લાશ? દર વર્ષે મૃતદેહ પહેરે છે નવો સૂટ

મોસ્કોઃ (Moscow) રશિયાની રાજધાની મોસ્કોનું રેડ સ્ક્વેર (Red Square) એક ઐતિહાસિક સ્થળ છે જે દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. વ્લાદિમીર લેનિન હજુ પણ આ જગ્યાએ હાજર છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે. તમને થોડો ડર લાગશે પણ આ સાચું છે. લેનિનનો મૃતદેહ (Dead Body) આજે પણ મોસ્કોના રેડ સ્ક્વેર પરના મ્યુઝિયમમાં (Museum) રાખવામાં આવ્યો છે. તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિ પર લાખો લોકો અહીં આવે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આવું છેલ્લા 98 વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ આખરે લેનિનનો મૃતદેહ આજ સુધી શા માટે રાખવામાં આવ્યો અને આટલા વર્ષો સુધી તેને કેવી રીતે સાચવવામાં આવી રહ્યો છે આ ખૂબજ દિલચસ્પ વાત છે.

મૃતદેહને કેમિકલથી સ્નાન કરાવાય છે
વિશ્વ હજુ પણ લેનિનને રશિયામાં બોલ્શેવિક યુદ્ધના નેતા તરીકે જાણે છે. તેમના મૃત શરીરને સામ્યવાદનું પ્રતિક માનવામાં આવે છે. રેડ સ્ક્વેર એ જગ્યા છે જ્યાં લેનિને રશિયન ક્રાંતિ દરમિયાન ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. હજારોના ટોળાએ તેને સાંભળ્યો હતો. જાન્યુઆરી 1924માં તેમનું અવસાન થયું અને ત્યારથી તેમનો મૃતદેહ સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

98 વર્ષ વીતી ગયા બાદ પણ લેનિનનું શરીર આ રીતે રાખવામાં આવ્યું છે. દેશના બાયોમેડિકલ ટેક્નોલોજી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આ મૃતદેહની સારસંભાળમાં પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. મોઇશ્ચરાઇઝિંગ દરરોજ કરવામાં આવે છે અને રાસાયણિક ઇન્જેક્શન લગાડવામાં આવે છે. તેમજ દર વર્ષે મૃતદેહને કેમિકલથી સ્નાન કરાવવામાં આવે છે.

પોશાક બદલાઈ જાય છે
સોવિયત યુનિયનના તૂટ્યા પછી જ દુનિયાને ખબર પડી કે લેનિનના મૃતદેહને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આજે પણ તેનો ચહેરો એકદમ યુવાન દેખાય છે અને તેના પર કોઈ કરચલીઓ નથી. જો કે ક્યારેક તેમના ચહેરા અને હાથ પર ડાર્ક સ્પોટ્સ દેખાય છે. આને એસિડના ઇન્જેક્શન દ્વારા દૂર કરવામાં આવે છે. તેની ડેડ બોડી હંમેશા સૂટ પહેરેલી હોય છે. તેને ફૂગથી બચાવવા માટે સમયાંતરે તેને બદલવામાં આવે છે. પરંતુ ઘણા લોકો માને છે કે એક પ્રકારનો રહસ્યમય પવન હંમેશા આ મૃત શરીરને ઘેરી વળે છે.

ડેડબોડી પાછળ અબજો ખર્ચાયા
સતત 30 વર્ષથી રશિયામાં લેનિનના અંતિમ સંસ્કાર વિશે પ્રશ્નો પૂછવામાં આવતા ઘણા ઓનલાઈન મતદાન થયા છે. માત્ર 18 ટકા લોકોએ કહ્યું છે કે તેમના મૃતદેહને આ રીતે રાખવામાં આવે. મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમને હવે દફનાવવામાં આવે. વર્ષ 2016માં આ મૃતદેહને પહેલીવાર રેડ સ્ક્વેર પર રાખવામાં આવ્યો હતો.

સાથે જ એ પણ બહાર આવ્યું કે આ મૃતદેહને સાચવવામાં કેટલી રકમ ખર્ચવામાં આવે છે. આ મૃતદેહની જાળવણી માટે દર વર્ષે બે લાખ ડોલરનો ખર્ચ થાય છે. ઘણા લોકો આ ખર્ચથી ખૂબ ગુસ્સે છે અને તેઓ માને છે કે મમીની સંભાળ રાખવામાં પણ આના કરતા ઓછો ખર્ચ થઈ શકે છે.

શા માટે દફનાવવામાં ન આવ્યા
સોવિયત યુનિયનના પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવે વારંવાર લેનિનના દફનવિધિ વિશે વાત કરી હતી. તે જ સમયે રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ટિસન તેમના મૃતદેહને દફનાવવા માંગતા ન હતા. 1997માં તેમણે કહ્યું હતું કે રેડ સ્ક્વેરને કબ્રસ્તાન બનાવવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ પુતિને શરીર વિશે કોઈ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. પુતિન માનતા હતા કે લેનિન ગરીબો પર રાજ કરે છે. પુતિને એક વખત તો એમ પણ કહ્યું હતું કે લેનિન રશિયાને એટમ બોમ્બની સ્થિતિમાં લાવ્યા હતા. પરંતુ આ પછી પણ તે તેમને દફનાવવા માંગતા નથી. સ્ટાલિનને પોતાના આદર્શ માનનારા પુતિને એક નિવેદનમાં કહ્યું કે માર્ક્સવાદ બાઈબલ જેવો છે અને લેનિન તેના સંત છે.

Most Popular

To Top