National

દેશની બહાર કોના પૈસા મોકલવામાં આવે છે? રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં અડાણી પર સવાલ ઉઠાવ્યો

મુંબઇ: I.N.D.I.A મહાગઠબંધનની (Opposition parties) બેઠકમાં (Meeting) ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અડાણી ગ્રુપ (Adani Group) પર ચર્ચિત મીડિયા (Media) રિપોર્ટ્સને લઈને સરકારને ઘેરી હતી. રાહુલે પૂછ્યું કે કોના પૈસા દેશની બહાર મોકલવામાં આવે છે. બેઠક પહેલા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી પર જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયાના બે મોટા અખબારોએ અદાણી વિરુદ્ધ ખુલાસો કર્યો છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે થોડા દિવસો પછી ભારતમાં જી-20 બેઠક યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી સંસ્થાઓના નેતાઓ અને પ્રતિનિધિઓ ભારત આવશે. આ પહેલા સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય બાબત નથી, તે દેશની સુરક્ષા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે આના કારણે સમગ્ર વિશ્વમાં ભારતની છબી ખરડાઈ રહી છે.

સરકારે આ સમગ્ર પ્રકરણની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસ કરાવવી જોઈએ અને જે પણ સત્ય છે તે સમગ્ર દેશને જણાવવું જોઈએ. એક અખબારની હેડલાઈન ટાંકીને તેમણે કહ્યું હતું કે, મોદીની નજીકના પરિવારે તેમના શેરોમાં નાણાંનું રોકાણ કર્યું હતું. રાહુલે વધુમાં કહ્યું કે એક અબજ ડોલર અદાણીની કંપનીના નેટવર્ક દ્વારા ભારતમાંથી જુદા જુદા દેશોમાં ગયા અને પાછા આવ્યા.

પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે – આ પૈસા કોના છે? આ પૈસા અદાણીના છે કે બીજાના? આ પાછળનો માસ્ટરમાઇન્ડ વિનોદ અદાણી નામનો એક સજ્જન છે જે ગૌતમ અદાણીનો ભાઈ છે. પૈસાની આ ગેરરીતિમાં અન્ય બે લોકો પણ સામેલ છે. એક નાસિર અલી શાબાન અલી નામનો સજ્જન છે અને બીજો ચાંગ ચુંગ લિંગ નામનો ચાઈનીઝ નાગરિક છે. બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે – આ બે વિદેશી નાગરિકોને લગભગ તમામ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિયંત્રિત કરતી કંપનીઓમાંથી એકના મૂલ્યાંકન સાથે કેમ રમવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) એ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. અહેવાલો અનુસાર, “અપારદર્શક” મોરેશિયસ ફંડ દ્વારા અદાણી જૂથની કેટલીક જાહેરમાં ટ્રેડેડ કંપનીઓના શેરમાં લાખો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે, જેણે અદાણી પરિવારના કથિત બિઝનેસ પાર્ટનર્સના હિસ્સાને “અસ્પષ્ટ” કરી દીધા છે.

Most Popular

To Top