Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરા શહેરમાં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ખાદી ગ્રામ ઉદ્યોગોમાં પાંચ લાખ રૂપિયાના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે.જોકે કોરોનાની મહામારીને કારણે 40 ટકાનો ખાદીની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. વડોદરા શહેરમાં આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગોમાં કોરોના ના કારણે ચાલુ વર્ષે ખાદીની ખરીદી માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ખાદી ગ્રામ ઉદ્યોગ માં પાંચ લાખ રૂપિયા ના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે.

જોકે આ પહેલા વડોદરા શહેરના સૌથી મોટા રાવપુરા કોઠી ખાતે આવેલા વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન માં સાત લાખ રૂપિયાનો રાષ્ટ્રીય ધ્વજ નો સ્ટોક ભરવામાં આવ્યો હતો.જેની સામે ત્રણ લાખ રૂપિયાનું જ વેચાણ નોંધાયું છે.વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ ભૂતડીઝાંપા બ્રાન્ચના સંચાલક રાકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે વડોદરા જીલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ ભુતડીઝાંપા ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ખાદીની બ્રાન્ચ ખોલવામાં આવી છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ચાલતી હોવાથી અહીં વેચાણ ખૂબ ઓછું હતું.પરંતુ 2021 ની અંદર ખાદી ગ્રામ ઉદ્યોગ ભૂતડીઝાંપણું જે કેન્દ્ર છે.એમાં અમારી જે ખાદીની બ્રાન્ચ આવેલી છે.એમાંથી આ વર્ષે 2021માં વર્ષની શરૂઆતથી જ ખાદી નું સારું એવું વેચાણ થયું છે. એમાં અમે જુદી જુદી પ્રોડક્ટ રાખી છે.જેમકે ખાદીના ધ્વજ છે.ખાદીના કપડા છે.એમાં આ વખતે સારું એવું માર્કેટ જળવાયું છે.અને ગ્રાહકોને હવે ખબર પડી છે કે ખાદી ગ્રામ ઉદ્યોગ ભુતડીઝાંપાની બ્રાન્ચમાં પણ હવે તમામ ચીજવસ્તુઓ મળી રહેશે.

જેથી કરીને હવે 2020 ની અંદર જે ખાદીનું વેચાણ થતું હતું.એના કરતાં 2021 માં સારા એવા ગ્રાહકો આવી રહ્યા છે.અને સારું એવું વેચાણ થઈ રહ્યું છે.જેથી છેલ્લા 2021 ના ઓગસ્ટ મહિનામાં ખાદીનું વેચાણ જોવા જઈએ તો એક લાખ રૂપિયાની આસપાસ થયેલું છે.જે અમારી માટે ઘણાં સારા સમાચાર છે તેમ જણાવ્યું હતું.જ્યારે વડોદરા શહેરની સૌથી મોટા વડોદરા જીલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન કોઠી રાવપુરા બ્રાન્ચના મેનેજર જશવંતભાઈ દલવાડીએ જણાવ્યું હતું કેવડોદરા જીલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન કોઠી રાવપુરા વડોદરા જીલ્લામાં અન્ય વડોદરામાં ચાર ખાદી ભુવન આવેલા છે.

જેમાં રાષ્ટ્રીય તહેવારમાં જોતા રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ પાંચ લાખ રૂપિયા જેટલું ચારેય ભુવનમાં મળીને થયેલ છે.કોઠી રાવપુરા ભુવનમાં અમે 7 લાખ રૂપિયાનો માત્ર ધ્વજનો સ્ટોક ભર્યો હતો.જેમાં ઝભ્ભા , ગાંધીટોપી રાષ્ટ્રીય તહેવારમાં ઘણું બધું વેચાય છે.પરંતુ કોરોનાની મહામારીના કારણે આ વખતે 40% વેચાણમાં ઘટાડો જોવા મળેલ છે.અમારે ત્યાં 7 લાખ માંથી 3,00,000 જેવા 15મી ઓગસ્ટે ધ્વજ વેચાયા છે.અને કોરોના મહામારીને લઈને જ ખાધી ભવનમાં રોજગારીનો વ્યાપ ઓછો થયો છે તેમ જણાવ્યું હતું.

To Top