Gujarat

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, 17 કેસ સહિત રાજ્યમાં નવા 36 કેસ

રાજ્યમાં મંગળવારે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ મનપામાં સૌથી વધુ 17 કેસ સાથે રાજ્યામાં કુલ નવા 36 કેસ નોંધાયા છે. જ્યારે નવસારીમાં વધુ એક કોરોનાના દર્દીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ 25 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,856 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં મંગળવારે અમદાવાદ મનપામાં 17, વડોદરા મનપામાં 6, નવસારીમાં 3, જામનગર મનપામાં 2, રાજકોટ મનપામાં 2, સુરત મનપામાં 2, ગીર સોમનાથમાં 1, જામનગર ગ્રામ્યમાં 1, સુરત ગ્રામ્યમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયો છે. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 319 થઈ છે, જ્યારે 06 દર્દીઓ વન્ટિલેટર પર છે, અને 313 દર્દીઓ સ્ટેબલ છે.

વધુ 5,10,849 વ્યક્તિનું રસીકરણ કરાયું
રાજ્યમાં 10 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,994ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 14,579 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,22,186ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 43,532ને પ્રથમ ડોઝ અને 3,28,548ને બીજો ડોઝ મળી આજે કુલ 5,10,849 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,79,84,129 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top