Dakshin Gujarat

પ્રધાનમંત્રી 23મીએ તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે

રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી તા.૨૩ મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી રહી છે, જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, લાઇફ-પર્યાવરણ માટે જીવનશૈલી પર જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃ સ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે.

  • કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ બનાવવા માટે યોજાશે પરિષદ
  • આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે

૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે આયોજિત બેદિવસીય કોન્ફરન્સમાં છ વિષયવાર સત્રો હશે, જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એક્ટિગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ), ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ, પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ, વન્યજીવન વ્યવસ્થાપન, પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Most Popular

To Top