Gujarat Election - 2022

દાંતાના કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો કે તેમનું અપહરણ પણ થયું નથી : ચૂંટણી પંચ

ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કાંતિ ખરાડી પર કોઈ હુમલો (Attack) થયો નથી કે તેમનું અપહરણ (Kiddnaping) થયું નથી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ (Police) અધિકારીઓએ સામે ચાલીને કાંતિભાઈ ખરાડીનો સંપર્ક કર્યો હતો અને એમને જો કોઈ ફરિયાદ હોય તો નોંધાવવા કહ્યું હતું. પરંતુ કાંતિભાઈ ખરાડીએ એવી કોઈ જ ઈચ્છા નહીં હોવાનું જણાવ્યું છે. આમ તેમના પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું ન હતું, તેવું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાતના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તા.4 ડિસેમ્બરની મધરાત પછી મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાને આ અંગે તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. બનાસકાંઠા પોલીસના અધિકારીઓ તત્કાળ કાંતિભાઈ ખરાડીને મળ્યા હતા. કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું ન હતું. આ બાબત કાંતિભાઈ ખરાડીએ જાતે બનાસકાંઠા જિલ્લા પોલીસને કહી છે. પોલીસના અનુરોધ પછી પણ તેમણે કોઈ જ કમ્પ્લેન નોંધાવવાની ઈચ્છા નહીં હોવાનું કહ્યું હતું.

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનીના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તરત જ મોડી રાત્રે જરૂરી તપાસ કરી છે એટલું જ નહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પવન ખેરાના ટ્વીટનો પણ રાત્રે 3.58 કલાકે જવાબ આપ્યો છે.

Most Popular

To Top