કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.25% જાળવી રાખવાના EPFOના નિર્ણયને મંજૂરી આપી છે. અગાઉ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 8.25% પર જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર 8.15% થી 0.10% વધારીને 8.25% કરવામાં આવ્યો હતો. જ્યારે 2022-23માં તે 0.05% વધીને 8.10% થી 8.15% થયું હતું.
પીએફ ખાતામાં રકમ કેવી રીતે જમા થાય છે?
EPFO એક્ટ હેઠળ કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી ભથ્થાના 12% પીએફ ખાતામાં જાય છે. જ્યારે કંપની કર્મચારીના મૂળ પગારના 12 ટકા + મોંઘવારી ભથ્થા પણ જમા કરે છે. કંપનીના 12% હિસ્સામાંથી 3.67% પીએફ ખાતામાં જાય છે અને બાકીનો 8.33% પેન્શન યોજનામાં જાય છે. જ્યારે કર્મચારીના હિસ્સાના બધા પૈસા પીએફ ખાતામાં જાય છે.
જણાવી દઈએ કે 2022ની શરૂઆતમાં EPFO એ 2021-22 માટે તેના 7 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો જે ચાર દાયકાથી વધુના નીચલા સ્તરે હતો. આ વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો. અગાઉ 2020-21 માટે EPF પર 8.10 ટકાનો વ્યાજ દર 1977-78 પછીનો સૌથી ઓછો હતો. તે સમયે EPF વ્યાજ દર માત્ર આઠ ટકા હતો.
જ્યારે EPFO એ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર 2018-19 માટે 8.65 ટકાથી ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. EPFO એ 2016-17 માં તેના ગ્રાહકોને 8.65 ટકા અને 2017-18 માં 8.55 ટકા વ્યાજ દર આપ્યો હતો. 2015-16માં વ્યાજ દર 8.8 ટકા પર થોડો વધારે હતો. નિવૃત્તિ ભંડોળ સંસ્થાએ 2013-14 અને 2014-15માં 8.75 ટકા વ્યાજ ચૂકવ્યું હતું, જે 2012-13માં 8.5 ટકા કરતા વધારે હતું. વર્ષ 2011-12માં વ્યાજ દર 8.25 ટકા હતો.
EPF વ્યાજ દર કેવી રીતે નક્કી થાય છે?
EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) વ્યાજ દર નક્કી કરે છે અને પછી તેને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે. જ્યારે સરકાર તેના માટે સંમત થાય છે ત્યારે આ વ્યાજ EPFO સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં જમા થાય છે.