Gujarat

અમદાવાદ શહેરમાં કોરોનાના 9 કેસ સાથે રાજ્યમાં વધુ 19 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં વધુ 9 કેસ સાથે કુલ 19 નવા કોરોનાના કેસ નોંધાવા પામ્યાં છે. જોકે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીઓનું મૃત્યું થયું નથી. તો વળી, રાજ્યમાં 13 કોરોના દર્દીઓ સાજા થયા છે. આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 9, સુરત મનપા, વડોદરા મનપામાં 3-3, કચ્છમાં 2, અને ભાવનગર મનપા, ગીર સોમનાથમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,15,275 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 152 એક્ટિવ કેસ, 145 દર્દીઓ સ્ટેબલ છે, તેમાંથી 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં આજે સોમવારે 18-45 વર્ષ સુધીના 2,63,081 વ્યક્તિને પ્રથમ અને 1,72,160 બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 82,151ને પ્રથમ અને 79,177 બીજો ડોઝ જ્યારે 23 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 4,662ને બીજો ડોઝ મળી આજે કુલ 6,01,254 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,97,04,707 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top