Gujarat

સાપુતારા ખાતે ૩૦ જુલાઈએ “મેઘ મલ્હાર પર્વ”નું ભૂપેન્દ્ર પટેલ ઉદ્ધાટન કરશે

ગાંધીનગર : રાજ્યમાં આગામી તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૯-૦૦ કલાકે સાપુતારા (Saputara) ખાતે મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ‘મેઘ મલ્હાર પર્વ’નું ઉદઘાટન સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાશે, તેમજ વિવિધ પ્રવાસી સુવિધાઓનો લોકાર્પણ સમારોહ યોજાશે. આ પ્રસંગે મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્પિથિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી, હયાત લેકની ફરતે કેનોપિઝ, મોલ રોડના વિકાસની કામગીરી, પાર્કિંગ વ્યવસ્થા સહિતની પ્રવાસી સુવિધાઓ સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતા કેબીનેટ પ્રવક્તા જીતુ વાઘાણીએ કહયું હતું કે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં દર શનિ-રવિ અને જાહેર રજાઓના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જન્માષ્ટમીના દિવસે દહીં-હાંડી સ્પર્ધા, રેઈન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવી રોચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top